'શ્રી રામ ઘરે આવ્યા...' Geeta Rabariનું આ ભજન સાંભળી ભાવવિભોર થયા PM Modi,X પર કર્યું શેર


  • Published By :
  • Published Date : 2024-01-07 18:20:21

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે, આ શાનદાર સમારોહમાં પીએમ મોદી સહિતની અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના તમામ ગીતકારો નવા-નવા ભજનો તૈયાર કરી રહ્યા છે. આ કાર્યક્રમને લઈ ગુજરાતના કચ્છની પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારીએ પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ ભજન રિલીઝ કર્યું છે. આ ભજન એટલું મધુર છે, કે પીએમ મોદીને પણ ખૂબ જ પસંદ આવ્યું છે. જેથી તેમણે આ ભજન સોશિયલ મીડિયા પર તે શેર કર્યું હતું. 

PM મોદીએ કરી પ્રશંસા


ભજનીક ગીતાબેન રબારીના આ ભજનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર એકાઉન્ટ પર શેર કર્યું છે, તેમણે લખ્યું કે 'અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનનો ઈન્તઝાર ખતમ થવાનો છે, દેશભરના મારા પરિવારજનો તેમની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતા રાહ જોઈ રહ્યા છે, તેમના સ્વાગતમાં ગીતાબેન રબારીજીનું આ ભજન ભાવવિભોર કરનારૂં છે.' 

 

ગીતાબેન રબારીએ PM મોદીનો આભાર માન્યો


PM મોદીએ આ ભજન શેર કર્યું ત્યાર બાદ ગીતાબેન રબારીએ આ અંગે અપાર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે 10 દિવસ પહેલા તેણે આ ગીત 'રામ ઘર આયે' રિલીઝ કર્યું હતું અને હવે ભારતના વડાપ્રધાન મોદીએ તેને શેર કર્યું છે, તેના માટે મોદીજીનો ખૂબ ખૂબ આભાર અને તમારા આશીર્વાદ આપે તેવી વિનંતી. ગીતાબેને કહ્યું કે મને ગર્વ છે કે મારું ગીત પીએમ મોદીના માધ્યમથી સમગ્ર ભારત અને સનાતનીઓ સુધી પહોંચી રહ્યું છે.



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.