'શ્રી રામ ઘરે આવ્યા...' Geeta Rabariનું આ ભજન સાંભળી ભાવવિભોર થયા PM Modi,X પર કર્યું શેર


  • Published By :
  • Published Date : 2024-01-07 18:20:21

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે, આ શાનદાર સમારોહમાં પીએમ મોદી સહિતની અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના તમામ ગીતકારો નવા-નવા ભજનો તૈયાર કરી રહ્યા છે. આ કાર્યક્રમને લઈ ગુજરાતના કચ્છની પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારીએ પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ ભજન રિલીઝ કર્યું છે. આ ભજન એટલું મધુર છે, કે પીએમ મોદીને પણ ખૂબ જ પસંદ આવ્યું છે. જેથી તેમણે આ ભજન સોશિયલ મીડિયા પર તે શેર કર્યું હતું. 

PM મોદીએ કરી પ્રશંસા


ભજનીક ગીતાબેન રબારીના આ ભજનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર એકાઉન્ટ પર શેર કર્યું છે, તેમણે લખ્યું કે 'અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનનો ઈન્તઝાર ખતમ થવાનો છે, દેશભરના મારા પરિવારજનો તેમની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતા રાહ જોઈ રહ્યા છે, તેમના સ્વાગતમાં ગીતાબેન રબારીજીનું આ ભજન ભાવવિભોર કરનારૂં છે.' 

 

ગીતાબેન રબારીએ PM મોદીનો આભાર માન્યો


PM મોદીએ આ ભજન શેર કર્યું ત્યાર બાદ ગીતાબેન રબારીએ આ અંગે અપાર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે 10 દિવસ પહેલા તેણે આ ગીત 'રામ ઘર આયે' રિલીઝ કર્યું હતું અને હવે ભારતના વડાપ્રધાન મોદીએ તેને શેર કર્યું છે, તેના માટે મોદીજીનો ખૂબ ખૂબ આભાર અને તમારા આશીર્વાદ આપે તેવી વિનંતી. ગીતાબેને કહ્યું કે મને ગર્વ છે કે મારું ગીત પીએમ મોદીના માધ્યમથી સમગ્ર ભારત અને સનાતનીઓ સુધી પહોંચી રહ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.