'શ્રી રામ ઘરે આવ્યા...' Geeta Rabariનું આ ભજન સાંભળી ભાવવિભોર થયા PM Modi,X પર કર્યું શેર


  • Published By :
  • Published Date : 2024-01-07 18:20:21

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે, આ શાનદાર સમારોહમાં પીએમ મોદી સહિતની અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના તમામ ગીતકારો નવા-નવા ભજનો તૈયાર કરી રહ્યા છે. આ કાર્યક્રમને લઈ ગુજરાતના કચ્છની પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારીએ પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ ભજન રિલીઝ કર્યું છે. આ ભજન એટલું મધુર છે, કે પીએમ મોદીને પણ ખૂબ જ પસંદ આવ્યું છે. જેથી તેમણે આ ભજન સોશિયલ મીડિયા પર તે શેર કર્યું હતું. 

PM મોદીએ કરી પ્રશંસા


ભજનીક ગીતાબેન રબારીના આ ભજનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર એકાઉન્ટ પર શેર કર્યું છે, તેમણે લખ્યું કે 'અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનનો ઈન્તઝાર ખતમ થવાનો છે, દેશભરના મારા પરિવારજનો તેમની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતા રાહ જોઈ રહ્યા છે, તેમના સ્વાગતમાં ગીતાબેન રબારીજીનું આ ભજન ભાવવિભોર કરનારૂં છે.' 

 

ગીતાબેન રબારીએ PM મોદીનો આભાર માન્યો


PM મોદીએ આ ભજન શેર કર્યું ત્યાર બાદ ગીતાબેન રબારીએ આ અંગે અપાર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે 10 દિવસ પહેલા તેણે આ ગીત 'રામ ઘર આયે' રિલીઝ કર્યું હતું અને હવે ભારતના વડાપ્રધાન મોદીએ તેને શેર કર્યું છે, તેના માટે મોદીજીનો ખૂબ ખૂબ આભાર અને તમારા આશીર્વાદ આપે તેવી વિનંતી. ગીતાબેને કહ્યું કે મને ગર્વ છે કે મારું ગીત પીએમ મોદીના માધ્યમથી સમગ્ર ભારત અને સનાતનીઓ સુધી પહોંચી રહ્યું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે