'સવાયા કચ્છી' નમોનું સ્વપ્ન, જેનાથી બરબાદ થયું કચ્છ તેની સ્મૃતિથી થશે આબાદ!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 12:38:38

રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી આજે કચ્છની પહોંચ્યા છે. ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં અનેક લોકો ઉમટી પડ્યા હતા. પીએમ મોદીએ કચ્છના ભુજિયા ડુંગરમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. 400 કરોડ રૂપિયાના ખર્ચે 470 એકરમાં તૈયાર કરાયેલું ભૂકંપ સ્મૃતિવન પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. આ વિશાળ મ્યૂઝિયમની રસપ્રદ વિગત અહીં રજૂ કરવામાં આવી છે.



કેવું છે ભૂકંપ સ્મૃતિવન?


કચ્છના ભુજિયા ડુંગરમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે 470 એકરમાં નિર્માણ થયેલું સ્મૃતિવન દેશનું સૌ પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક છે. આ મ્યૂઝિયમની દિવાલો અને ફ્લોઅરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.10 વર્ષની મહેનતના અંતે આ વિશ્વકક્ષાનું મ્યૂઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે.


લોકોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે માટે આ ભુકંપ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. મ્યૂઝિયમમાં કુલ 7 બ્લોક છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં રજૂ કરવામાં આવી છે. મ્યૂઝિયમાં 2001માં કચ્છના આવેલા વિનાશકારી ભૂકંપની અનુભૂતિ કરાવવવા માટે એક થિયેટરનું તૈયાર કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે, અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે.


આ મ્યૂઝિયમમાં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી ગુજરાતની કળા અને સંસ્કૃતિ , વાવાઝોડાનું વિજ્ઞાન , રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના કચ્છનો વિકાસ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે.અહીં 50 ઓડિયો વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે..પુનઃસ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ધરતીકંપમો ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે.. વર્ષ 2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે. એની સાથે અહીં અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, 35 ચેકડેમ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.