PM નરેન્દ્ર મોદીએ મોરબી હોસ્પિટલની મુલાકાત લીધી, ઈજાગ્રસ્તોને મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-01 18:57:15

રવિવાર સાંજની લગભગ સાડા છ વાગ્યાની આ ઘટના છે. મોરબીનો ઝુલતો પુલ તૂટતા અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. પુલ તૂટતા 100થી વધુ લોકો મચ્છુ નદીમાં પડીને ડૂબી ગયા હતા જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. આજે પ્રધાનમંત્રી મોદીએ આ વિસ્તારની મુલાકાત લીધી છે...

પ્રધાનમંત્રી સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા 

રવિવારની દુર્ઘટના બાદ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંગળવારના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા અને આજે મંગળવારે પ્રધાનમંત્રી મોરબી પહોંચ્યા હતા. બપોરે મોરબી પહોંચ્યા બાદ સૌથી પહેલા તેઓએ એ સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં આ કારમી દુર્ઘટના થઈ હતી જેમાં 130થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. પ્રધાનમંત્રીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે ઘટનાસ્થળે માહિતી આપી હતી કે કેવી રીતે આ દુર્ઘટના થઈ હતી. 

સારવારમાં કોઈ કચાશ ના રહેવી જોઈએઃ મોદી

ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલમાં પાંચ લોકો સારવાર લઈ રહ્યા છે. આ એ લોકો છે જે મોતના મોઢામાંથી પાછા આવ્યા છે. હાલ તેઓની હાલત સામાન્ય છે અને તમામ સારવાર લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ તેમની સાથે વાતો કરી તેમના હાલચાલ પૂછ્યા અને મોરબી પોલીસ વડાની ઓફિસે હાઈ લેવલની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. 




આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.