PM નરેન્દ્ર મોદીએ મોરબી હોસ્પિટલની મુલાકાત લીધી, ઈજાગ્રસ્તોને મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-01 18:57:15

રવિવાર સાંજની લગભગ સાડા છ વાગ્યાની આ ઘટના છે. મોરબીનો ઝુલતો પુલ તૂટતા અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. પુલ તૂટતા 100થી વધુ લોકો મચ્છુ નદીમાં પડીને ડૂબી ગયા હતા જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. આજે પ્રધાનમંત્રી મોદીએ આ વિસ્તારની મુલાકાત લીધી છે...

પ્રધાનમંત્રી સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા 

રવિવારની દુર્ઘટના બાદ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંગળવારના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા અને આજે મંગળવારે પ્રધાનમંત્રી મોરબી પહોંચ્યા હતા. બપોરે મોરબી પહોંચ્યા બાદ સૌથી પહેલા તેઓએ એ સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં આ કારમી દુર્ઘટના થઈ હતી જેમાં 130થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. પ્રધાનમંત્રીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે ઘટનાસ્થળે માહિતી આપી હતી કે કેવી રીતે આ દુર્ઘટના થઈ હતી. 

સારવારમાં કોઈ કચાશ ના રહેવી જોઈએઃ મોદી

ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલમાં પાંચ લોકો સારવાર લઈ રહ્યા છે. આ એ લોકો છે જે મોતના મોઢામાંથી પાછા આવ્યા છે. હાલ તેઓની હાલત સામાન્ય છે અને તમામ સારવાર લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ તેમની સાથે વાતો કરી તેમના હાલચાલ પૂછ્યા અને મોરબી પોલીસ વડાની ઓફિસે હાઈ લેવલની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.