PM નરેન્દ્ર મોદીએ મોરબી હોસ્પિટલની મુલાકાત લીધી, ઈજાગ્રસ્તોને મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-01 18:57:15

રવિવાર સાંજની લગભગ સાડા છ વાગ્યાની આ ઘટના છે. મોરબીનો ઝુલતો પુલ તૂટતા અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. પુલ તૂટતા 100થી વધુ લોકો મચ્છુ નદીમાં પડીને ડૂબી ગયા હતા જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. આજે પ્રધાનમંત્રી મોદીએ આ વિસ્તારની મુલાકાત લીધી છે...

પ્રધાનમંત્રી સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા 

રવિવારની દુર્ઘટના બાદ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંગળવારના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા અને આજે મંગળવારે પ્રધાનમંત્રી મોરબી પહોંચ્યા હતા. બપોરે મોરબી પહોંચ્યા બાદ સૌથી પહેલા તેઓએ એ સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં આ કારમી દુર્ઘટના થઈ હતી જેમાં 130થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. પ્રધાનમંત્રીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે ઘટનાસ્થળે માહિતી આપી હતી કે કેવી રીતે આ દુર્ઘટના થઈ હતી. 

સારવારમાં કોઈ કચાશ ના રહેવી જોઈએઃ મોદી

ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલમાં પાંચ લોકો સારવાર લઈ રહ્યા છે. આ એ લોકો છે જે મોતના મોઢામાંથી પાછા આવ્યા છે. હાલ તેઓની હાલત સામાન્ય છે અને તમામ સારવાર લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ તેમની સાથે વાતો કરી તેમના હાલચાલ પૂછ્યા અને મોરબી પોલીસ વડાની ઓફિસે હાઈ લેવલની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.