PM નરેન્દ્ર મોદીએ મોરબી હોસ્પિટલની મુલાકાત લીધી, ઈજાગ્રસ્તોને મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-01 18:57:15

રવિવાર સાંજની લગભગ સાડા છ વાગ્યાની આ ઘટના છે. મોરબીનો ઝુલતો પુલ તૂટતા અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. પુલ તૂટતા 100થી વધુ લોકો મચ્છુ નદીમાં પડીને ડૂબી ગયા હતા જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. આજે પ્રધાનમંત્રી મોદીએ આ વિસ્તારની મુલાકાત લીધી છે...

પ્રધાનમંત્રી સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા 

રવિવારની દુર્ઘટના બાદ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંગળવારના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા અને આજે મંગળવારે પ્રધાનમંત્રી મોરબી પહોંચ્યા હતા. બપોરે મોરબી પહોંચ્યા બાદ સૌથી પહેલા તેઓએ એ સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં આ કારમી દુર્ઘટના થઈ હતી જેમાં 130થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. પ્રધાનમંત્રીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે ઘટનાસ્થળે માહિતી આપી હતી કે કેવી રીતે આ દુર્ઘટના થઈ હતી. 

સારવારમાં કોઈ કચાશ ના રહેવી જોઈએઃ મોદી

ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલમાં પાંચ લોકો સારવાર લઈ રહ્યા છે. આ એ લોકો છે જે મોતના મોઢામાંથી પાછા આવ્યા છે. હાલ તેઓની હાલત સામાન્ય છે અને તમામ સારવાર લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ તેમની સાથે વાતો કરી તેમના હાલચાલ પૂછ્યા અને મોરબી પોલીસ વડાની ઓફિસે હાઈ લેવલની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"