PMનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ:અંદાજે 15, 670 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 08:59:24

પીએમ મોદી ડેફએક્સપો 2022નું ઉદ્ઘાટન કરશે
PM મોદી આજે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે
પીએમ મોદી ઈન્ડિયા અર્બન હાઉસિંગ કન્વેન્શન 2022નું પણ ઉદ્ઘાટન કરશે

PM Modi likely to spend five days in Gujarat by mid October | DeshGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. PM મોદી આજે DefExpo 2022નું ઉદ્ઘાટન કરશે. આ સાથે બપોર બાદ ગુજરાતમાં અનેક વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી રૂ. 15,670 કરોડના વિકાસ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે 'પાથ ટુ પ્રાઇડ' થીમ હેઠળ યોજાનાર ડિફેન્સ એક્સ્પો, પ્રદર્શનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી ધરાવે છે. આ વર્ષના ડિફેન્સ એક્સ્પો સાત નવી ડિફેન્સ કંપનીઓના એક વર્ષની ઉજવણી પણ કરશે. આ કંપનીઓ 240 વર્ષ જૂના ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડમાંથી બનાવવામાં આવી હતી. આ તમામ કંપનીઓ પહેલીવાર ડિફેન્સ એક્સપોમાં ભાગ લઈ રહી છે.


ભારતીય કંપનીઓ માટે ખૂબ જ ખાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9:45 કલાકે મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે DefExpo22નું ઉદ્ઘાટન કરશે. ડિફેન્સ એક્સપોની ખાસ વાત એ છે કે તે ભારતીય કંપનીઓ માટે ખૂબ જ ખાસ છે. આ એક્સ્પો 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર છે.


જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ થશે

તેમની ગુજરાત મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બપોરે 3:15 વાગ્યે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ બપોરે 12 વાગ્યે અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન પણ કરશે.


પીએમ મોદી ઈન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કરશે. PM મોદી સાંજે 6 વાગ્યે રાજકોટમાં અનેક મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.


આ DefExpo ઘરેલું સંરક્ષણ ઉદ્યોગના વધતા પરાક્રમનું પ્રદર્શન કરશે

આ પહેલીવાર છે જ્યારે માત્ર ભારતીય કંપનીઓ માટે જ સંરક્ષણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ એક્સ્પો ઘરેલું સંરક્ષણ ઉદ્યોગની વધતી જતી ક્ષમતાને પ્રદર્શિત કરશે. રાષ્ટ્રના સંકલ્પને હાંસલ કરવા માટે આ એક મુખ્ય પ્રેરક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"