PMનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ:અંદાજે 15, 670 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 08:59:24

પીએમ મોદી ડેફએક્સપો 2022નું ઉદ્ઘાટન કરશે
PM મોદી આજે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે
પીએમ મોદી ઈન્ડિયા અર્બન હાઉસિંગ કન્વેન્શન 2022નું પણ ઉદ્ઘાટન કરશે

PM Modi likely to spend five days in Gujarat by mid October | DeshGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. PM મોદી આજે DefExpo 2022નું ઉદ્ઘાટન કરશે. આ સાથે બપોર બાદ ગુજરાતમાં અનેક વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી રૂ. 15,670 કરોડના વિકાસ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે 'પાથ ટુ પ્રાઇડ' થીમ હેઠળ યોજાનાર ડિફેન્સ એક્સ્પો, પ્રદર્શનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી ધરાવે છે. આ વર્ષના ડિફેન્સ એક્સ્પો સાત નવી ડિફેન્સ કંપનીઓના એક વર્ષની ઉજવણી પણ કરશે. આ કંપનીઓ 240 વર્ષ જૂના ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડમાંથી બનાવવામાં આવી હતી. આ તમામ કંપનીઓ પહેલીવાર ડિફેન્સ એક્સપોમાં ભાગ લઈ રહી છે.


ભારતીય કંપનીઓ માટે ખૂબ જ ખાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9:45 કલાકે મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે DefExpo22નું ઉદ્ઘાટન કરશે. ડિફેન્સ એક્સપોની ખાસ વાત એ છે કે તે ભારતીય કંપનીઓ માટે ખૂબ જ ખાસ છે. આ એક્સ્પો 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર છે.


જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ થશે

તેમની ગુજરાત મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બપોરે 3:15 વાગ્યે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ બપોરે 12 વાગ્યે અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન પણ કરશે.


પીએમ મોદી ઈન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કરશે. PM મોદી સાંજે 6 વાગ્યે રાજકોટમાં અનેક મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.


આ DefExpo ઘરેલું સંરક્ષણ ઉદ્યોગના વધતા પરાક્રમનું પ્રદર્શન કરશે

આ પહેલીવાર છે જ્યારે માત્ર ભારતીય કંપનીઓ માટે જ સંરક્ષણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ એક્સ્પો ઘરેલું સંરક્ષણ ઉદ્યોગની વધતી જતી ક્ષમતાને પ્રદર્શિત કરશે. રાષ્ટ્રના સંકલ્પને હાંસલ કરવા માટે આ એક મુખ્ય પ્રેરક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.