PMનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ:અંદાજે 15, 670 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 08:59:24

પીએમ મોદી ડેફએક્સપો 2022નું ઉદ્ઘાટન કરશે
PM મોદી આજે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે
પીએમ મોદી ઈન્ડિયા અર્બન હાઉસિંગ કન્વેન્શન 2022નું પણ ઉદ્ઘાટન કરશે

PM Modi likely to spend five days in Gujarat by mid October | DeshGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. PM મોદી આજે DefExpo 2022નું ઉદ્ઘાટન કરશે. આ સાથે બપોર બાદ ગુજરાતમાં અનેક વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી રૂ. 15,670 કરોડના વિકાસ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે 'પાથ ટુ પ્રાઇડ' થીમ હેઠળ યોજાનાર ડિફેન્સ એક્સ્પો, પ્રદર્શનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી ધરાવે છે. આ વર્ષના ડિફેન્સ એક્સ્પો સાત નવી ડિફેન્સ કંપનીઓના એક વર્ષની ઉજવણી પણ કરશે. આ કંપનીઓ 240 વર્ષ જૂના ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડમાંથી બનાવવામાં આવી હતી. આ તમામ કંપનીઓ પહેલીવાર ડિફેન્સ એક્સપોમાં ભાગ લઈ રહી છે.


ભારતીય કંપનીઓ માટે ખૂબ જ ખાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9:45 કલાકે મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે DefExpo22નું ઉદ્ઘાટન કરશે. ડિફેન્સ એક્સપોની ખાસ વાત એ છે કે તે ભારતીય કંપનીઓ માટે ખૂબ જ ખાસ છે. આ એક્સ્પો 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર છે.


જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ થશે

તેમની ગુજરાત મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બપોરે 3:15 વાગ્યે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ બપોરે 12 વાગ્યે અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન પણ કરશે.


પીએમ મોદી ઈન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કરશે. PM મોદી સાંજે 6 વાગ્યે રાજકોટમાં અનેક મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.


આ DefExpo ઘરેલું સંરક્ષણ ઉદ્યોગના વધતા પરાક્રમનું પ્રદર્શન કરશે

આ પહેલીવાર છે જ્યારે માત્ર ભારતીય કંપનીઓ માટે જ સંરક્ષણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ એક્સ્પો ઘરેલું સંરક્ષણ ઉદ્યોગની વધતી જતી ક્ષમતાને પ્રદર્શિત કરશે. રાષ્ટ્રના સંકલ્પને હાંસલ કરવા માટે આ એક મુખ્ય પ્રેરક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.