Pakistanની સાન ઠેકાણે આવી, PM શાહબાઝે કહ્યું- ભારત સાથે ચર્ચા કરવા તૈયાર, 3 યુદ્ધે માત્ર ગરીબી જ આપી


  • Published By :
  • Published Date : 2023-08-01 21:03:58

આર્થિક સંકટ (Economic Crisis)નો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ (Shehbaz Sharif)એ પોતાના વલણમાં મોટું પરિવર્તન કર્યું છે. તેણે હવે ભારત સાથે વાતચીત માટે હાથ લંબાવ્યો છે. શાહબાઝ શરીફે કહ્યું કે તેઓ દેશના વિકાસને આગળ વધારવાના પ્રયાસોના ભાગરૂપે ભારત સાથે વાતચીત કરવા માંગે છે. તેમણે કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તે પાડોશી દેશ ભારત સાથે વાત કરવા તૈયાર છે. શરીફે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ત્રણ મોટા યુદ્ધો લડ્યા, માત્ર ગરીબી, બેરોજગારી અને સંસાધનોનો અભાવ જ જોયો છે. યુદ્ધથી કોઈનું ભલું થવાનું નથી.


ત્રણ યુદ્ધ લડ્યા, ગરીબી મળી 


શાહબાઝ શરીફે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પાકિસ્તાન કોઈની વિરૂદ્ધ કંઈ પણ આશ્રય આપતું નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર, શરીફ બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોનો અંત લાવવા અને મૂલ્યવાન સંબંધોને પ્રાથમિકતા આપવા માંગે છે. પાક PMએ કહ્યું કે 1947થી અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા છીએ, આના પરિણામે દેશમાં માત્ર ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા અને નબળી આરોગ્ય વ્યવસ્થાનો ભોગ બન્યો છે.


વિવાદોને ખતમ કરવા અપીલ


વડાપ્રધાન શાહબાઝ શરીફે પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે. તે કોઈના પર હુમલો કરવા માટે નથી પરંતુ પોતાના રક્ષણ માટે છે. તેમણે કહ્યું કે ભગવાન ક્યારેય એવી સ્થિતિ ન સર્જે કે પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તે. જો આવું થયું હોત, તો તે સમય દરમિયાન શું થયું હતું તે કહેવા માટે કોઈ જીવતું ન હોત. યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે આપણે વિવાદોને ખતમ કરીને આગળ વધવું જોઈએ.


ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર 


વડાપ્રધાન શાહબાઝ શરીફ મંગળવારે ખનિજ સમિટના ઉદ્ઘાટન સમયે બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અમારા પાડોશી દેશ (ભારત) સાથે પણ કોઈપણ સાથે વાતચીત કરવા તૈયાર છીએ. પરંતુ શરત એ છે કે પડોશી દેશ ટેબલ પર ગંભીર મુદ્દાઓ પર જ વાત કરે, પાયાવિહોણા આક્ષેપો ન કરે, કારણ કે હવે યુદ્ધએ કોઈ વિકલ્પ નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.