Pakistanની સાન ઠેકાણે આવી, PM શાહબાઝે કહ્યું- ભારત સાથે ચર્ચા કરવા તૈયાર, 3 યુદ્ધે માત્ર ગરીબી જ આપી


  • Published By :
  • Published Date : 2023-08-01 21:03:58

આર્થિક સંકટ (Economic Crisis)નો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ (Shehbaz Sharif)એ પોતાના વલણમાં મોટું પરિવર્તન કર્યું છે. તેણે હવે ભારત સાથે વાતચીત માટે હાથ લંબાવ્યો છે. શાહબાઝ શરીફે કહ્યું કે તેઓ દેશના વિકાસને આગળ વધારવાના પ્રયાસોના ભાગરૂપે ભારત સાથે વાતચીત કરવા માંગે છે. તેમણે કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તે પાડોશી દેશ ભારત સાથે વાત કરવા તૈયાર છે. શરીફે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ત્રણ મોટા યુદ્ધો લડ્યા, માત્ર ગરીબી, બેરોજગારી અને સંસાધનોનો અભાવ જ જોયો છે. યુદ્ધથી કોઈનું ભલું થવાનું નથી.


ત્રણ યુદ્ધ લડ્યા, ગરીબી મળી 


શાહબાઝ શરીફે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પાકિસ્તાન કોઈની વિરૂદ્ધ કંઈ પણ આશ્રય આપતું નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર, શરીફ બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોનો અંત લાવવા અને મૂલ્યવાન સંબંધોને પ્રાથમિકતા આપવા માંગે છે. પાક PMએ કહ્યું કે 1947થી અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા છીએ, આના પરિણામે દેશમાં માત્ર ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા અને નબળી આરોગ્ય વ્યવસ્થાનો ભોગ બન્યો છે.


વિવાદોને ખતમ કરવા અપીલ


વડાપ્રધાન શાહબાઝ શરીફે પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે. તે કોઈના પર હુમલો કરવા માટે નથી પરંતુ પોતાના રક્ષણ માટે છે. તેમણે કહ્યું કે ભગવાન ક્યારેય એવી સ્થિતિ ન સર્જે કે પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તે. જો આવું થયું હોત, તો તે સમય દરમિયાન શું થયું હતું તે કહેવા માટે કોઈ જીવતું ન હોત. યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે આપણે વિવાદોને ખતમ કરીને આગળ વધવું જોઈએ.


ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર 


વડાપ્રધાન શાહબાઝ શરીફ મંગળવારે ખનિજ સમિટના ઉદ્ઘાટન સમયે બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અમારા પાડોશી દેશ (ભારત) સાથે પણ કોઈપણ સાથે વાતચીત કરવા તૈયાર છીએ. પરંતુ શરત એ છે કે પડોશી દેશ ટેબલ પર ગંભીર મુદ્દાઓ પર જ વાત કરે, પાયાવિહોણા આક્ષેપો ન કરે, કારણ કે હવે યુદ્ધએ કોઈ વિકલ્પ નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.