Pakistanની સાન ઠેકાણે આવી, PM શાહબાઝે કહ્યું- ભારત સાથે ચર્ચા કરવા તૈયાર, 3 યુદ્ધે માત્ર ગરીબી જ આપી


  • Published By :
  • Published Date : 2023-08-01 21:03:58

આર્થિક સંકટ (Economic Crisis)નો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ (Shehbaz Sharif)એ પોતાના વલણમાં મોટું પરિવર્તન કર્યું છે. તેણે હવે ભારત સાથે વાતચીત માટે હાથ લંબાવ્યો છે. શાહબાઝ શરીફે કહ્યું કે તેઓ દેશના વિકાસને આગળ વધારવાના પ્રયાસોના ભાગરૂપે ભારત સાથે વાતચીત કરવા માંગે છે. તેમણે કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તે પાડોશી દેશ ભારત સાથે વાત કરવા તૈયાર છે. શરીફે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ત્રણ મોટા યુદ્ધો લડ્યા, માત્ર ગરીબી, બેરોજગારી અને સંસાધનોનો અભાવ જ જોયો છે. યુદ્ધથી કોઈનું ભલું થવાનું નથી.


ત્રણ યુદ્ધ લડ્યા, ગરીબી મળી 


શાહબાઝ શરીફે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પાકિસ્તાન કોઈની વિરૂદ્ધ કંઈ પણ આશ્રય આપતું નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર, શરીફ બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોનો અંત લાવવા અને મૂલ્યવાન સંબંધોને પ્રાથમિકતા આપવા માંગે છે. પાક PMએ કહ્યું કે 1947થી અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા છીએ, આના પરિણામે દેશમાં માત્ર ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા અને નબળી આરોગ્ય વ્યવસ્થાનો ભોગ બન્યો છે.


વિવાદોને ખતમ કરવા અપીલ


વડાપ્રધાન શાહબાઝ શરીફે પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે. તે કોઈના પર હુમલો કરવા માટે નથી પરંતુ પોતાના રક્ષણ માટે છે. તેમણે કહ્યું કે ભગવાન ક્યારેય એવી સ્થિતિ ન સર્જે કે પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તે. જો આવું થયું હોત, તો તે સમય દરમિયાન શું થયું હતું તે કહેવા માટે કોઈ જીવતું ન હોત. યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે આપણે વિવાદોને ખતમ કરીને આગળ વધવું જોઈએ.


ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર 


વડાપ્રધાન શાહબાઝ શરીફ મંગળવારે ખનિજ સમિટના ઉદ્ઘાટન સમયે બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અમારા પાડોશી દેશ (ભારત) સાથે પણ કોઈપણ સાથે વાતચીત કરવા તૈયાર છીએ. પરંતુ શરત એ છે કે પડોશી દેશ ટેબલ પર ગંભીર મુદ્દાઓ પર જ વાત કરે, પાયાવિહોણા આક્ષેપો ન કરે, કારણ કે હવે યુદ્ધએ કોઈ વિકલ્પ નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.