Pakistanની સાન ઠેકાણે આવી, PM શાહબાઝે કહ્યું- ભારત સાથે ચર્ચા કરવા તૈયાર, 3 યુદ્ધે માત્ર ગરીબી જ આપી


  • Published By :
  • Published Date : 2023-08-01 21:03:58

આર્થિક સંકટ (Economic Crisis)નો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ (Shehbaz Sharif)એ પોતાના વલણમાં મોટું પરિવર્તન કર્યું છે. તેણે હવે ભારત સાથે વાતચીત માટે હાથ લંબાવ્યો છે. શાહબાઝ શરીફે કહ્યું કે તેઓ દેશના વિકાસને આગળ વધારવાના પ્રયાસોના ભાગરૂપે ભારત સાથે વાતચીત કરવા માંગે છે. તેમણે કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તે પાડોશી દેશ ભારત સાથે વાત કરવા તૈયાર છે. શરીફે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ત્રણ મોટા યુદ્ધો લડ્યા, માત્ર ગરીબી, બેરોજગારી અને સંસાધનોનો અભાવ જ જોયો છે. યુદ્ધથી કોઈનું ભલું થવાનું નથી.


ત્રણ યુદ્ધ લડ્યા, ગરીબી મળી 


શાહબાઝ શરીફે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પાકિસ્તાન કોઈની વિરૂદ્ધ કંઈ પણ આશ્રય આપતું નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર, શરીફ બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોનો અંત લાવવા અને મૂલ્યવાન સંબંધોને પ્રાથમિકતા આપવા માંગે છે. પાક PMએ કહ્યું કે 1947થી અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા છીએ, આના પરિણામે દેશમાં માત્ર ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા અને નબળી આરોગ્ય વ્યવસ્થાનો ભોગ બન્યો છે.


વિવાદોને ખતમ કરવા અપીલ


વડાપ્રધાન શાહબાઝ શરીફે પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે. તે કોઈના પર હુમલો કરવા માટે નથી પરંતુ પોતાના રક્ષણ માટે છે. તેમણે કહ્યું કે ભગવાન ક્યારેય એવી સ્થિતિ ન સર્જે કે પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તે. જો આવું થયું હોત, તો તે સમય દરમિયાન શું થયું હતું તે કહેવા માટે કોઈ જીવતું ન હોત. યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે આપણે વિવાદોને ખતમ કરીને આગળ વધવું જોઈએ.


ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર 


વડાપ્રધાન શાહબાઝ શરીફ મંગળવારે ખનિજ સમિટના ઉદ્ઘાટન સમયે બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અમારા પાડોશી દેશ (ભારત) સાથે પણ કોઈપણ સાથે વાતચીત કરવા તૈયાર છીએ. પરંતુ શરત એ છે કે પડોશી દેશ ટેબલ પર ગંભીર મુદ્દાઓ પર જ વાત કરે, પાયાવિહોણા આક્ષેપો ન કરે, કારણ કે હવે યુદ્ધએ કોઈ વિકલ્પ નથી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .