ગુજરાતમાં ચૂંટણી પહેલા માહોલ ગરમાયો, પીએમ આવતીકાલથી બે દિવસના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 11:22:27


સી.આર.પાટીલ થોડા દિવસ પહેલા જ કહી ચુક્યા છે કે રાજ્યમાં 60 દિવસમાં તો આચારસંહિતા લાગી જશે, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓ સાથે મેદાને છે, સૌથી વધારે તો આમ આદમી પાર્ટી આક્રમકતા સાથે મેદાનમાં ઉતરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ સરકારી યોજનાઓ અને ઈમારતોના લોકાર્પણના નેજા હેઠળ પ્રધાનમંત્રી મોદીને મેદાને ઉતારી રહી છે

લોકાર્પણ સરકારી, પણ વાત તો થશે રાજનીતિની જ!


પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, 27મીએ અમદાવાદના રિવરફ્રંટ પર ખાદી મહોત્સવની સાથે સાબરમતી નદી પર બનેલા ફુટ ઓવર બ્રિજનું પણ લોકાર્પણ કરશે, આ ફુટ ઓવર બ્રિજ ક્યારનોય તૈયાર થઈને ઉભો છે પણ પીએમનો સમય મળે અને ઉદઘાટન પછી સામાન્ય લોકો માટે ખુલ્લો મુકાય એની રાહ જોવાતી હતી, પીએમ 27મીએ અધિકારીક રીતે અટલ બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુકશે, જો કે એના પહેલા જ શહેઝાદ ખાન પઠાણ કૉંગ્રેસના અમદાવાદ કૉર્પોરેશનના વિપક્ષના નેતા રાજકીય વિરોધમાં બ્રિજનું લોકાર્પણ કરી ચુક્યા છે.


30 રૂપિયામાં આ બ્રિજ પર ફરવા જવાશે!

સાબરમતી નદીના બે કાંઠાને જોડતા આ બ્રિજ પર ફરવા જવા માટે તમારે વ્યક્તિ દિઠ 30 રૂપિયા આપવાના થઈ શકે છે, તમે એના પર સાઈકલ પણ લઈને જઈ શકો એવી વ્યવસ્થા પણ કૉર્પોરેશન કરી રહ્યુ હોવાની વાત થઈ રહી છે, રીવરફ્રંટ પર સૌથી મોટો પ્રશ્ન પાર્કીંગનો થાય છે તો એના માટે પણ કૉર્પોરેશને વ્યવસ્થા કરીને બંને બાજુ મલ્ટીલેવલ પાર્કીંગ બનાવ્યા છે


ચૂંટણી પહેલા પીએમ કચ્છીમાંડુઓને રીઝવશે

કચ્છ સાથે નરેન્દ્ર મોદીનું કનેક્શન એકદમ મજબૂત રહ્યુ છે, વર્ષ 2001ના ભૂકંપની આપત્તી પણ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદ સાથે કનેક્શન વાળી છે, પણ દરેક આપત્તીની જેમ જ કચ્છના ભૂકંપને પણ પીએમ અવસરમાં પલટાવી શક્યા હતા, અને હવે મૃતકોની યાદમાં, કચ્છની ખુમારીને બિરદાવતા સ્મૃતિવનનું લોકાર્પણ પણ પીએમ મોદી કરવાના છે. અંજારમાં વીર-બાળક સ્મારકનું લોકાર્પણ થવાનું છે જ્યાં ભૂકંપમાં માર્યા ગયેલા બાળકોની યાદો ઉભી કરાઈ છે, તો જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા વર્ણવી છે.


ગરમ થઈ જશે ગુજરાતનો માહોલ

આ લોકાર્પણો સામાન્ય લોકો સાથે સંકળાયેલા છે, પીએમ ગુજરાત આવે ત્યારે માહોલ પણ અલગ જ ઉભો થતો હોય છે ત્યારે ગુજરાતના પોલિટીક્સમાં ગરમી આવી જવાની છે એ વાત નક્કી છે.






અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.