જામનગરના દરેડમાં PNBની બ્રાંચના લેડીઝ વોશ રુમમાંથી ઝડપાયો સ્પાઈ કેમેરો, ઈન્ચાર્જ મેનેજર સામે નોંધાઈ FIR


  • Published By :
  • Published Date : 2023-08-15 20:37:23

મહિલાઓની જાસુસી કરવા માટે કે તેમના અવરજવરના સ્થળોએ છુપા કેમેરા ઈન્સ્ટોલ કરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. વિકૃત મગજના લોકો લેડિઝ વોશ રૂમમાં સ્પાઈ કેમેરા લગાવતા પણ શરમાતા નથી.જામનગર નજીક દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક શાખાનાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળી આવતાં હડકંપ મચી ગયો છે.  દરેડમાં પંજાબ નેશનલ બેંકની શાખામાં તો ઈન્ચાર્જ મેનેજરે જ મહિલાઓના વોશરૂમમાં સ્પાઈ કેમેરા લગાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 


PNBની મહિલા કર્મચારીએ નોંધાવી ફરિયાદ


જામનગર નજીક દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક શાખાનાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. PNBની મહિલા કર્મચારીએ આ મામલે પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેંકનાં ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.PNBની આ શાખા દરેડ ઉદ્યોગનગર ફેઈઝ થ્રીમાં મહાવીર સર્કલ નજીક આવેલી છે. આ બેંકમાં નોકરી કરતાં બિહારનાં વતની અને બેંકના કર્મચારી મધુલતા કુમારીએ આ સ્પાય કેમેરા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલા કર્મચારી મધુલતા કુમારી 10 ઓગસ્ટના રોજ બપોરે લેડીઝ વોશરૂમમાં ગયા ત્યારે વોશરૂમમાં સ્પાય કેમેરો સેટ કરવામાં આવ્યો હોવાનું તેઓનાં ધ્યાનમાં આવ્યું હતું. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બેંકશાખાનાં ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈનીએ આ કૃત્ય કર્યું છે. ફરિયાદી મહિલાનાં ગુપ્ત ફોટો કે વીડિયો મેળવી લેવા મેનેજરે આ કૃત્ય આચર્યું હોવાના આરોપ થયા છે. આ મહિલાની ફરિયાદનાં આધારે પોલીસે મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરતા સ્પાઈ કેમેરો કબજે કર્યો છે અને તપાસ માટે FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. 


ઇન્ચાર્જ મેનેજર ફરાર


મહિલા કર્મચારીએ પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 354(સી) મુજબ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતાં જ આરોપી ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની ફરાર થઇ ચુક્યો છે. ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની મૂળ હરિયાણાનો વતની છે. અખિલેશ સૈનીએ જ 7 ઓગસ્ટના રોજ મહિલા વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. બેંકના મેનેજર રજા પર હોઈ, તેના ચાર્જમાં અખિલેશ સૈની હતો, જેથી મહિલા કર્મચારીએ આ બાબતે અખિલેશ સૈનીને વાત કરી HRD હેડને વાત કરવાનું કહ્યું હતું. જો કે તેણે કોઈ કાર્યવાહી કરી નહોંતી. બેંકની મહિલા કર્મચારીઓના વીડિયો અને ફોટો લેવાના બદઈરાદાથી અખિલેશ સૈનીએ મહિલાઓના વોશરૂમમાં કેમેરો લગાવ્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.