જામનગરના દરેડમાં PNBની બ્રાંચના લેડીઝ વોશ રુમમાંથી ઝડપાયો સ્પાઈ કેમેરો, ઈન્ચાર્જ મેનેજર સામે નોંધાઈ FIR


  • Published By :
  • Published Date : 2023-08-15 20:37:23

મહિલાઓની જાસુસી કરવા માટે કે તેમના અવરજવરના સ્થળોએ છુપા કેમેરા ઈન્સ્ટોલ કરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. વિકૃત મગજના લોકો લેડિઝ વોશ રૂમમાં સ્પાઈ કેમેરા લગાવતા પણ શરમાતા નથી.જામનગર નજીક દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક શાખાનાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળી આવતાં હડકંપ મચી ગયો છે.  દરેડમાં પંજાબ નેશનલ બેંકની શાખામાં તો ઈન્ચાર્જ મેનેજરે જ મહિલાઓના વોશરૂમમાં સ્પાઈ કેમેરા લગાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 


PNBની મહિલા કર્મચારીએ નોંધાવી ફરિયાદ


જામનગર નજીક દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક શાખાનાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. PNBની મહિલા કર્મચારીએ આ મામલે પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેંકનાં ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.PNBની આ શાખા દરેડ ઉદ્યોગનગર ફેઈઝ થ્રીમાં મહાવીર સર્કલ નજીક આવેલી છે. આ બેંકમાં નોકરી કરતાં બિહારનાં વતની અને બેંકના કર્મચારી મધુલતા કુમારીએ આ સ્પાય કેમેરા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલા કર્મચારી મધુલતા કુમારી 10 ઓગસ્ટના રોજ બપોરે લેડીઝ વોશરૂમમાં ગયા ત્યારે વોશરૂમમાં સ્પાય કેમેરો સેટ કરવામાં આવ્યો હોવાનું તેઓનાં ધ્યાનમાં આવ્યું હતું. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બેંકશાખાનાં ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈનીએ આ કૃત્ય કર્યું છે. ફરિયાદી મહિલાનાં ગુપ્ત ફોટો કે વીડિયો મેળવી લેવા મેનેજરે આ કૃત્ય આચર્યું હોવાના આરોપ થયા છે. આ મહિલાની ફરિયાદનાં આધારે પોલીસે મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરતા સ્પાઈ કેમેરો કબજે કર્યો છે અને તપાસ માટે FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. 


ઇન્ચાર્જ મેનેજર ફરાર


મહિલા કર્મચારીએ પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 354(સી) મુજબ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતાં જ આરોપી ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની ફરાર થઇ ચુક્યો છે. ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની મૂળ હરિયાણાનો વતની છે. અખિલેશ સૈનીએ જ 7 ઓગસ્ટના રોજ મહિલા વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. બેંકના મેનેજર રજા પર હોઈ, તેના ચાર્જમાં અખિલેશ સૈની હતો, જેથી મહિલા કર્મચારીએ આ બાબતે અખિલેશ સૈનીને વાત કરી HRD હેડને વાત કરવાનું કહ્યું હતું. જો કે તેણે કોઈ કાર્યવાહી કરી નહોંતી. બેંકની મહિલા કર્મચારીઓના વીડિયો અને ફોટો લેવાના બદઈરાદાથી અખિલેશ સૈનીએ મહિલાઓના વોશરૂમમાં કેમેરો લગાવ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.