Rajkotમાં વાયરલ થઈ કવિતા, ભાજપમાં અસંતોષની લાગણી ચરમસીમાએ! કવિતારૂપે પ્રગટ થયો અસંતોષ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-24 16:39:59

ભાજપમાં ચાલતા આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા પત્રિકા કાંડ સામે આવ્યો હતો. ત્યારે હવે કવિતા કાંડ સામે આવ્યો છે. કથિત કવિતાના માધ્યમથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ છે જેમાં ભાજપથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં આ કવિતા ફરતી થવાથી ખડબળાટ  મચી ગયો છે. રાજકારણ ગરમાયું છે. કવિતામાં જી હજૂરીયા અને સગાવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનો ઉલ્લેખ છે. ઉપરાંત એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.



ભાજપમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમાએ!

થોડા સમય પહેલા પત્રિકાકાંડ સામે આવ્યો હતો. ભાજપના જ નેતાઓ  ભાજપના નેતા વિરૂદ્ધ ષડયંત્ર ઘડી રહ્યા છે. હજી પત્રિકા કાંડની ચર્ચાઓ શાંત થઈ નથી તો હવે કવિતાકાંડની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા ફરતી થઈ છે જેને કારણે રાજકારણ ગરમાયું છે. જે કવિતા ફરતી થઈ ગઈ છે તેમાં દીનદયાળના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે ભાજપથી જે ઘટનાઓ સામે આવી રહી છે તે પહેલા ક્યારેય નથી બની. થોડા સમય પહેલા જામનગરમાં સાંસદ, ધારાસભ્ય તેમજ મેયર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે કવિતા વાયરલ થઈ રહી છે તેમાં કાર્યકરનો અસંતોષ ઉભરાઈને બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે.  



જે કવિતા વાયરલ થઈ રહી છે તેના શબ્દો આ પ્રમાણે છે... 


કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં

જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..

નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.

કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..

અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો

જ્યારે મહાદેવને પગે લાગતા..

આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.

જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..

જૂનું થઇ ગયું... સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..

જૂનું થઇ ગયું... આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય ક.........(અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય.. 

જૂનું થઇ ગયું...પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..

સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામતી જાય છે..



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે