Rajkotમાં વાયરલ થઈ કવિતા, ભાજપમાં અસંતોષની લાગણી ચરમસીમાએ! કવિતારૂપે પ્રગટ થયો અસંતોષ


  • Published By :
  • Published Date : 2023-08-24 16:39:59

ભાજપમાં ચાલતા આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા પત્રિકા કાંડ સામે આવ્યો હતો. ત્યારે હવે કવિતા કાંડ સામે આવ્યો છે. કથિત કવિતાના માધ્યમથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ છે જેમાં ભાજપથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં આ કવિતા ફરતી થવાથી ખડબળાટ  મચી ગયો છે. રાજકારણ ગરમાયું છે. કવિતામાં જી હજૂરીયા અને સગાવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનો ઉલ્લેખ છે. ઉપરાંત એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.



ભાજપમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમાએ!

થોડા સમય પહેલા પત્રિકાકાંડ સામે આવ્યો હતો. ભાજપના જ નેતાઓ  ભાજપના નેતા વિરૂદ્ધ ષડયંત્ર ઘડી રહ્યા છે. હજી પત્રિકા કાંડની ચર્ચાઓ શાંત થઈ નથી તો હવે કવિતાકાંડની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા ફરતી થઈ છે જેને કારણે રાજકારણ ગરમાયું છે. જે કવિતા ફરતી થઈ ગઈ છે તેમાં દીનદયાળના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે ભાજપથી જે ઘટનાઓ સામે આવી રહી છે તે પહેલા ક્યારેય નથી બની. થોડા સમય પહેલા જામનગરમાં સાંસદ, ધારાસભ્ય તેમજ મેયર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે કવિતા વાયરલ થઈ રહી છે તેમાં કાર્યકરનો અસંતોષ ઉભરાઈને બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે.  



જે કવિતા વાયરલ થઈ રહી છે તેના શબ્દો આ પ્રમાણે છે... 


કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં

જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..

નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.

કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..

અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો

જ્યારે મહાદેવને પગે લાગતા..

આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.

જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..

જૂનું થઇ ગયું... સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..

જૂનું થઇ ગયું... આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય ક.........(અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય.. 

જૂનું થઇ ગયું...પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..

સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામતી જાય છે..



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.