Rajkotમાં વાયરલ થઈ કવિતા, ભાજપમાં અસંતોષની લાગણી ચરમસીમાએ! કવિતારૂપે પ્રગટ થયો અસંતોષ


  • Published By :
  • Published Date : 2023-08-24 16:39:59

ભાજપમાં ચાલતા આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા પત્રિકા કાંડ સામે આવ્યો હતો. ત્યારે હવે કવિતા કાંડ સામે આવ્યો છે. કથિત કવિતાના માધ્યમથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ છે જેમાં ભાજપથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં આ કવિતા ફરતી થવાથી ખડબળાટ  મચી ગયો છે. રાજકારણ ગરમાયું છે. કવિતામાં જી હજૂરીયા અને સગાવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનો ઉલ્લેખ છે. ઉપરાંત એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.



ભાજપમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમાએ!

થોડા સમય પહેલા પત્રિકાકાંડ સામે આવ્યો હતો. ભાજપના જ નેતાઓ  ભાજપના નેતા વિરૂદ્ધ ષડયંત્ર ઘડી રહ્યા છે. હજી પત્રિકા કાંડની ચર્ચાઓ શાંત થઈ નથી તો હવે કવિતાકાંડની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા ફરતી થઈ છે જેને કારણે રાજકારણ ગરમાયું છે. જે કવિતા ફરતી થઈ ગઈ છે તેમાં દીનદયાળના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે ભાજપથી જે ઘટનાઓ સામે આવી રહી છે તે પહેલા ક્યારેય નથી બની. થોડા સમય પહેલા જામનગરમાં સાંસદ, ધારાસભ્ય તેમજ મેયર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે કવિતા વાયરલ થઈ રહી છે તેમાં કાર્યકરનો અસંતોષ ઉભરાઈને બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે.  



જે કવિતા વાયરલ થઈ રહી છે તેના શબ્દો આ પ્રમાણે છે... 


કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં

જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..

નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.

કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..

અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો

જ્યારે મહાદેવને પગે લાગતા..

આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.

જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..

જૂનું થઇ ગયું... સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..

જૂનું થઇ ગયું... આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય ક.........(અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય.. 

જૂનું થઇ ગયું...પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..

સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામતી જાય છે..



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.