Rajkotમાં વાયરલ થઈ કવિતા, ભાજપમાં અસંતોષની લાગણી ચરમસીમાએ! કવિતારૂપે પ્રગટ થયો અસંતોષ


  • Published By :
  • Published Date : 2023-08-24 16:39:59

ભાજપમાં ચાલતા આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા પત્રિકા કાંડ સામે આવ્યો હતો. ત્યારે હવે કવિતા કાંડ સામે આવ્યો છે. કથિત કવિતાના માધ્યમથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ છે જેમાં ભાજપથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં આ કવિતા ફરતી થવાથી ખડબળાટ  મચી ગયો છે. રાજકારણ ગરમાયું છે. કવિતામાં જી હજૂરીયા અને સગાવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનો ઉલ્લેખ છે. ઉપરાંત એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.



ભાજપમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમાએ!

થોડા સમય પહેલા પત્રિકાકાંડ સામે આવ્યો હતો. ભાજપના જ નેતાઓ  ભાજપના નેતા વિરૂદ્ધ ષડયંત્ર ઘડી રહ્યા છે. હજી પત્રિકા કાંડની ચર્ચાઓ શાંત થઈ નથી તો હવે કવિતાકાંડની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા ફરતી થઈ છે જેને કારણે રાજકારણ ગરમાયું છે. જે કવિતા ફરતી થઈ ગઈ છે તેમાં દીનદયાળના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે ભાજપથી જે ઘટનાઓ સામે આવી રહી છે તે પહેલા ક્યારેય નથી બની. થોડા સમય પહેલા જામનગરમાં સાંસદ, ધારાસભ્ય તેમજ મેયર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે કવિતા વાયરલ થઈ રહી છે તેમાં કાર્યકરનો અસંતોષ ઉભરાઈને બહાર આવી હોય તેવું લાગી રહ્યું છે.  



જે કવિતા વાયરલ થઈ રહી છે તેના શબ્દો આ પ્રમાણે છે... 


કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં

જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..

નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.

કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..

અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો

જ્યારે મહાદેવને પગે લાગતા..

આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.

જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..

જૂનું થઇ ગયું... સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..

જૂનું થઇ ગયું... આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય ક.........(અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય.. 

જૂનું થઇ ગયું...પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..

સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામતી જાય છે..



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.