Gujaratની રાજનીતિમાં ફરી જોવા મળ્યો કવિતા ટ્રેન્ડ! ફરી એક વખત પરેશ ધાનાણીએ પોસ્ટ કરી કવિતા... જાણો શું લખ્યું કવિતામાં?


  • Published By :
  • Published Date : 2024-04-03 11:44:30

રાજનેતાઓનો અંતરાત્મા ભલે કોઈ વખત જાગતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી નેતામાં રહેલો કવિ અવાર-નવાર જાગી રહ્યો છે..! આજ કાલ કવિતા લખી કટાક્ષ કરવો જાણે ટ્રેન્ડ થઈ રહ્યો છે. નેતાઓ કટાક્ષમાં કવિતાઓ લખી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરેશ ધાનાણી અનેક વખત કવિતાઓ ટ્વિટ કરતા હોય છે ત્યારે ફરી એક વખત પરેશ ધાનાણીએ કવિતાને ટ્વિટ કરી છે અને આડકતરી રીતે પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હોય તેવું લાગે છે... 

પરેશ ધાનાણીએ ફરી ટ્વિટ કરી કવિતા... 

લોકસભા ચૂંટણીનો માહોલ સતત ગરમાઈ રહ્યો છે. ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે 26 લોકસભા  બેઠકો પર ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં વિવાદ છેડાઈ ગયો છે. કાર્યકર્તાઓ ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. આ તરફ પરષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ ઉઠી છે અને રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કટાક્ષ કરતા એક ટ્વિટ કરી છે. 


સોશિયલ મીડિયા પર પરેશ ધાનાણીએ કવિતા ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે


""અહંકાર, હમેંશા હારે છે.""


રોટી, બેટી, રાજ અને ધર્મના રક્ષકો ને

કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક

"માતૃ શક્તિ" ને વંદન..,


દેશની દિકરીઓના દામનને દાગ લગાડનારા

વિરુદ્ધ "જૌહર" ની જરૂર નહી પડે..,


"જવતલીયા" હજુ તો જીવે છે..! 


આની પહેલા પણ કમલમમાં ચાલતા કકળાટ પર કર્યો હતો કટાક્ષ!

આ ટ્વિટ નીચે તેમણે એક ફોટો મૂક્યો છે જેમાં સી.આર.પાટીલ છે. મહત્વનું છે કે જે કવિતા તેમણે ટ્વિટ કરી છે તેને પરષોત્તમ રૂપાલા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.! આડકતરી રીતે તેમણે તેમના પર નિશાન સાધ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આની પહેલા પણ અનેક વખત પરેશ ધાનાણીએ કવિતા કરી પરિસ્થિતિ પર કટાક્ષ કર્યો છે. 31 માર્ચે પણ તેમણે એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે કમલમે થઈ રહ્યો છે કકળાટ... મહત્વનું છે ગુજરાતની રાજનીતિમાં હવે કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ, ભાજપ તેમજ આપના નેતાઓ કવિતા કરી કટાક્ષ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે...        



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.