Gujaratની રાજનીતિમાં ફરી જોવા મળ્યો કવિતા ટ્રેન્ડ! ફરી એક વખત પરેશ ધાનાણીએ પોસ્ટ કરી કવિતા... જાણો શું લખ્યું કવિતામાં?


  • Published By :
  • Published Date : 2024-04-03 11:44:30

રાજનેતાઓનો અંતરાત્મા ભલે કોઈ વખત જાગતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી નેતામાં રહેલો કવિ અવાર-નવાર જાગી રહ્યો છે..! આજ કાલ કવિતા લખી કટાક્ષ કરવો જાણે ટ્રેન્ડ થઈ રહ્યો છે. નેતાઓ કટાક્ષમાં કવિતાઓ લખી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરેશ ધાનાણી અનેક વખત કવિતાઓ ટ્વિટ કરતા હોય છે ત્યારે ફરી એક વખત પરેશ ધાનાણીએ કવિતાને ટ્વિટ કરી છે અને આડકતરી રીતે પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હોય તેવું લાગે છે... 

પરેશ ધાનાણીએ ફરી ટ્વિટ કરી કવિતા... 

લોકસભા ચૂંટણીનો માહોલ સતત ગરમાઈ રહ્યો છે. ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે 26 લોકસભા  બેઠકો પર ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં વિવાદ છેડાઈ ગયો છે. કાર્યકર્તાઓ ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. આ તરફ પરષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ ઉઠી છે અને રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કટાક્ષ કરતા એક ટ્વિટ કરી છે. 


સોશિયલ મીડિયા પર પરેશ ધાનાણીએ કવિતા ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે


""અહંકાર, હમેંશા હારે છે.""


રોટી, બેટી, રાજ અને ધર્મના રક્ષકો ને

કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક

"માતૃ શક્તિ" ને વંદન..,


દેશની દિકરીઓના દામનને દાગ લગાડનારા

વિરુદ્ધ "જૌહર" ની જરૂર નહી પડે..,


"જવતલીયા" હજુ તો જીવે છે..! 


આની પહેલા પણ કમલમમાં ચાલતા કકળાટ પર કર્યો હતો કટાક્ષ!

આ ટ્વિટ નીચે તેમણે એક ફોટો મૂક્યો છે જેમાં સી.આર.પાટીલ છે. મહત્વનું છે કે જે કવિતા તેમણે ટ્વિટ કરી છે તેને પરષોત્તમ રૂપાલા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.! આડકતરી રીતે તેમણે તેમના પર નિશાન સાધ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આની પહેલા પણ અનેક વખત પરેશ ધાનાણીએ કવિતા કરી પરિસ્થિતિ પર કટાક્ષ કર્યો છે. 31 માર્ચે પણ તેમણે એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે કમલમે થઈ રહ્યો છે કકળાટ... મહત્વનું છે ગુજરાતની રાજનીતિમાં હવે કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ, ભાજપ તેમજ આપના નેતાઓ કવિતા કરી કટાક્ષ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે...        



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે