Gujaratની રાજનીતિમાં ફરી જોવા મળ્યો કવિતા ટ્રેન્ડ! ફરી એક વખત પરેશ ધાનાણીએ પોસ્ટ કરી કવિતા... જાણો શું લખ્યું કવિતામાં?


  • Published By :
  • Published Date : 2024-04-03 11:44:30

રાજનેતાઓનો અંતરાત્મા ભલે કોઈ વખત જાગતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી નેતામાં રહેલો કવિ અવાર-નવાર જાગી રહ્યો છે..! આજ કાલ કવિતા લખી કટાક્ષ કરવો જાણે ટ્રેન્ડ થઈ રહ્યો છે. નેતાઓ કટાક્ષમાં કવિતાઓ લખી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરેશ ધાનાણી અનેક વખત કવિતાઓ ટ્વિટ કરતા હોય છે ત્યારે ફરી એક વખત પરેશ ધાનાણીએ કવિતાને ટ્વિટ કરી છે અને આડકતરી રીતે પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હોય તેવું લાગે છે... 

પરેશ ધાનાણીએ ફરી ટ્વિટ કરી કવિતા... 

લોકસભા ચૂંટણીનો માહોલ સતત ગરમાઈ રહ્યો છે. ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે 26 લોકસભા  બેઠકો પર ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં વિવાદ છેડાઈ ગયો છે. કાર્યકર્તાઓ ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. આ તરફ પરષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ ઉઠી છે અને રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કટાક્ષ કરતા એક ટ્વિટ કરી છે. 


સોશિયલ મીડિયા પર પરેશ ધાનાણીએ કવિતા ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે


""અહંકાર, હમેંશા હારે છે.""


રોટી, બેટી, રાજ અને ધર્મના રક્ષકો ને

કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક

"માતૃ શક્તિ" ને વંદન..,


દેશની દિકરીઓના દામનને દાગ લગાડનારા

વિરુદ્ધ "જૌહર" ની જરૂર નહી પડે..,


"જવતલીયા" હજુ તો જીવે છે..! 


આની પહેલા પણ કમલમમાં ચાલતા કકળાટ પર કર્યો હતો કટાક્ષ!

આ ટ્વિટ નીચે તેમણે એક ફોટો મૂક્યો છે જેમાં સી.આર.પાટીલ છે. મહત્વનું છે કે જે કવિતા તેમણે ટ્વિટ કરી છે તેને પરષોત્તમ રૂપાલા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.! આડકતરી રીતે તેમણે તેમના પર નિશાન સાધ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આની પહેલા પણ અનેક વખત પરેશ ધાનાણીએ કવિતા કરી પરિસ્થિતિ પર કટાક્ષ કર્યો છે. 31 માર્ચે પણ તેમણે એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે કમલમે થઈ રહ્યો છે કકળાટ... મહત્વનું છે ગુજરાતની રાજનીતિમાં હવે કવિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ, ભાજપ તેમજ આપના નેતાઓ કવિતા કરી કટાક્ષ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે...        



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.