પોઈચા : નર્મદા નદીમાં ડૂબી ગયેલા લોકોમાંથી એક વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ, બાકી રહેલા લોકોની થઈ રહી છે શોધખોળ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-15 12:27:38

ગઈકાલે પોઈચાથી એક સમાચાર સામે આવ્યા જેણે લોકોને ગમગીન કરી દીધા.. સુરતથી પોઈચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા લોકો એકાએક તણાઈ ગયા.. 8 લોકો પાણીમાં ડૂબી ગયા જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો.. સાત લોકોની શોધખોળ ચાલું હતી અને હવે સમાચાર મળી રહ્યા છે કે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર 6 કિમી દૂર આવેલા પૂલ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. બાકીના લોકોને શોધવાની તજવીજ ચાલી રહી છે.. 

News18 Gujarati

8 જેટલા લોકો ગયા હતા ન્હાવા

દુર્ઘટના ક્યારે પણ અને કોઈની સાથે પણ સર્જાઈ શકે છે.. ન્હાવા માટે ગયેલા લોકોને પણ નહીં ખબર હોય કે તે દુર્ઘટનાનો શિકાર બનવાના છે.. નર્મદા નદીમાં ન્હાવા ગયેલા લોકો અચાનક ડૂબી ગયા.. 8 જેટલા લોકો ડૂબ્યા હતા જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બાકી રેહલા લોકોની શોધખોળ ચાલી રહી હતી. 

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

એક વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ

લોકો સુરક્ષિત રીતે મળી આવે તેવી આશા હતી પરંતુ ડૂબા ગયેલા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની લાશ સવારે મળી આવી હતી. અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.. મળતી માહિતી અનુસાર તણાઈ ગયેલા લોકોને શોધવા માટે એનડીઆરએફની ટીમ તેમજ અનેક ફાયર ફાઈટરની ટીમ કાર્યરત છે.. મહત્વનું છે ડૂબી ગયેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે..   



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.