પોઈચા : નર્મદા નદીમાં ડૂબી ગયેલા લોકોમાંથી એક વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ, બાકી રહેલા લોકોની થઈ રહી છે શોધખોળ


  • Published By :
  • Published Date : 2024-05-15 12:27:38

ગઈકાલે પોઈચાથી એક સમાચાર સામે આવ્યા જેણે લોકોને ગમગીન કરી દીધા.. સુરતથી પોઈચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા લોકો એકાએક તણાઈ ગયા.. 8 લોકો પાણીમાં ડૂબી ગયા જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો.. સાત લોકોની શોધખોળ ચાલું હતી અને હવે સમાચાર મળી રહ્યા છે કે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર 6 કિમી દૂર આવેલા પૂલ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. બાકીના લોકોને શોધવાની તજવીજ ચાલી રહી છે.. 

News18 Gujarati

8 જેટલા લોકો ગયા હતા ન્હાવા

દુર્ઘટના ક્યારે પણ અને કોઈની સાથે પણ સર્જાઈ શકે છે.. ન્હાવા માટે ગયેલા લોકોને પણ નહીં ખબર હોય કે તે દુર્ઘટનાનો શિકાર બનવાના છે.. નર્મદા નદીમાં ન્હાવા ગયેલા લોકો અચાનક ડૂબી ગયા.. 8 જેટલા લોકો ડૂબ્યા હતા જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બાકી રેહલા લોકોની શોધખોળ ચાલી રહી હતી. 

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

એક વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ

લોકો સુરક્ષિત રીતે મળી આવે તેવી આશા હતી પરંતુ ડૂબા ગયેલા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની લાશ સવારે મળી આવી હતી. અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.. મળતી માહિતી અનુસાર તણાઈ ગયેલા લોકોને શોધવા માટે એનડીઆરએફની ટીમ તેમજ અનેક ફાયર ફાઈટરની ટીમ કાર્યરત છે.. મહત્વનું છે ડૂબી ગયેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે..   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે