પોઈચા : નર્મદા નદીમાં ડૂબી ગયેલા લોકોમાંથી એક વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ, બાકી રહેલા લોકોની થઈ રહી છે શોધખોળ


  • Published By :
  • Published Date : 2024-05-15 12:27:38

ગઈકાલે પોઈચાથી એક સમાચાર સામે આવ્યા જેણે લોકોને ગમગીન કરી દીધા.. સુરતથી પોઈચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા લોકો એકાએક તણાઈ ગયા.. 8 લોકો પાણીમાં ડૂબી ગયા જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો.. સાત લોકોની શોધખોળ ચાલું હતી અને હવે સમાચાર મળી રહ્યા છે કે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર 6 કિમી દૂર આવેલા પૂલ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. બાકીના લોકોને શોધવાની તજવીજ ચાલી રહી છે.. 

News18 Gujarati

8 જેટલા લોકો ગયા હતા ન્હાવા

દુર્ઘટના ક્યારે પણ અને કોઈની સાથે પણ સર્જાઈ શકે છે.. ન્હાવા માટે ગયેલા લોકોને પણ નહીં ખબર હોય કે તે દુર્ઘટનાનો શિકાર બનવાના છે.. નર્મદા નદીમાં ન્હાવા ગયેલા લોકો અચાનક ડૂબી ગયા.. 8 જેટલા લોકો ડૂબ્યા હતા જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બાકી રેહલા લોકોની શોધખોળ ચાલી રહી હતી. 

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

એક વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ

લોકો સુરક્ષિત રીતે મળી આવે તેવી આશા હતી પરંતુ ડૂબા ગયેલા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની લાશ સવારે મળી આવી હતી. અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.. મળતી માહિતી અનુસાર તણાઈ ગયેલા લોકોને શોધવા માટે એનડીઆરએફની ટીમ તેમજ અનેક ફાયર ફાઈટરની ટીમ કાર્યરત છે.. મહત્વનું છે ડૂબી ગયેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.