થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસ એલર્ટ, રતનપુર ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ, અમદાવાદમાં બાજ નજર


  • Published By :
  • Published Date : 2022-12-27 20:28:29

વર્ષ 2022નો અંતિમ દિવસ એટલે થર્ટી ફર્સ્ટ, 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ ગુજરાતમાં દારુ-ડ્રગ્સ સહિતની બદી રોકવા માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી રાજ્યના અનેક સ્થળોએ નાની મોટી પાર્ટી યોજાતી હોય છે અને તેમાં નશાબંધીના લીરેલીરા ઉડતા જોવા મળે છે. ગુજરાતના તમામ પાડોશી રાજ્યોની સરહદે પોલીસ ઠેર ઠેર ચેકીંગ કરી રહી છે. જો કે સૌથી સતર્કતા અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પણ સમગ્ર જિલ્લાને જોડતી રાજસ્થાન સરહદની રતનપુર સહિતની તમામ ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.


રતનપુર ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક


ગુજરાતના બુટલેગરો માટે  માટે શામળાજી નજીકની રતનપુર ચેકપોસ્ટ, બોબીમાતા, મેઘરજની કાલીયા કુવા ઉંડાવા સહિતની ચેકપોસ્ટ સ્વર્ગ સમાન છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી આવતા તમામ નાના મોટા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા વાહનોમાં આવતા મુસાફરો તેમજ તેમાં ભરેલા માલસામાનની તપાસ કરવામાં આવી રહી છે. દારૂના બુટલેગરો માટે દારૂ ઘૂસાડવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતી આ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ઘી ક્લોક ચોવીસ કલાક વાહનોનું સઘન ચેકીંગ કરી સતર્કતા રખાઈ રહી છે તેમજ રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રખાઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજસ્થાનની રતનપુર ચેક પોસ્ટ ઉપરથી પોલીસ દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપવામાં આવે છે 


અમદાવાદ પોલીસ પણ એક્સનમાં


31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 10,000 જેટલા પોલીસ જવાનો 4000 હોમગાર્ડ અને 15 જેટલી એસઆરપીની ટુકડી સુરક્ષામાં જોડાશે.  ઉજવણી માટે ફેવરેટ ગણાતા એવા સીજી રોડ, એસજી હાઇવે રીંગ રોડ રિવરફ્રન્ટ અટલબ્રીજ વગેરે જેવા મહત્વના સ્થાનો પર પોલીસ ખાસ નજર બનાવી રાખશે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ફેવરેટ ગણાતા એવા સીજી રોડ, એસજી હાઇવે રીંગ રોડ રિવરફ્રન્ટ, અટલબ્રીજ વગેરે મહત્વના સ્થાનો પર પોલીસ ખાસ નજર રાખશે. 


પોલીસ આધુનિક ઉપકરણોથી તપાસ કરશે


પોલીસ સુરક્ષા માટે બ્રિથ એનેલાઈઝર સિસ્ટમ અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટની મદદથી નશીલો પદાર્થ સેવન કરનાર લોકોની તપાસ પણ કરી શકશે. સાથે સાથે પોલીસ બૉડી વોર્ન કેમેરા અને ડ્રોનની મદદથી સુરક્ષાનું ધ્યાન રાખશે. પોલીસ અને મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં પણ અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખશે. અલગ અલગ ડ્રાઈવ ચાલે છે. નવા વર્ષેની ઉજવણી પહેલા અમદાવાદ શહેર પોલીસ પ્રોહિબીશન ડ્રાઈવ ચલાવી રહી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.