કિરણ પટેલ કેસમાં પોલીસે કરી આ બે લોકોની ધરપકડ! જાણો કોની વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-03-21 17:38:44

છેલ્લા ઘણા દિવસોથી નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે કિરણ પટેલની સાથે જે અન્ય બે ગુજરાતીઓ કાશ્મીરમાં વીઆઈપી સુવિધાઓ મેળવી રહ્યા હતા હતી તેની ઓળખ કરી લેવામાં આવી છે. જે બે યુવાનોની વાત કરવામાં આવી રહી છે તેમાંથી એક ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા છે અને બીજો તેનો મિત્ર જય સીતાપરા છે. 

Kiran Patel AND CM Pro

આ ઘટનામાં સામેલ બે લોકોની કરાઈ ધરપકડ!

કિરણ પટેલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીર પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે કાશ્મીર પોલીસ અમદાવાદ આવી હતી અને બંને યુવાનોને કાશ્મીર લઈ ગઈ હતી. જે બે લોકોને પૂછપરછ માટે કાશ્મીર લઈ જવાયા છે તે લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાના પુત્ર છે અને બીજો વ્યક્તિ તેનો મિત્ર જય સીતાપરા છે. છેલ્લા ચાર જેટલા દિવસોથી તેઓ જમ્મુ કાશ્મીર પોલીસની કબજામાં છે. આ બંને લોકો જમ્મુ કાશ્મીરમાં જ્યારે પીએમઓ અધિકારી બની જ્યારે જમ્મુ કાશ્મીરમાં ફરતો હતો ત્યારે આ બંને લોકો પણ એમાં સામેલ હતા. મળતી માહિતી અનુસાર આ બંને ગુજરાત પરત આવી ગયા છે. કિરણ પટેલના રિમાન્ડ બાદ બંનેને કાશ્મીર બોલાવવામાં આવ્યા હતા અને જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે. 


23 માર્ચના રોજ હાથ ધરાશે સુનાવણી 

થોડા સમય પહેલા નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોતાના પ્રવાસ દરમિયાન અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી ઉપરાંત અનેક અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મુદ્દો સામે આવતા એક ચર્ચાનો વિષય બની ગયો હતો. કેવી રીતે એક સામાન્ય માણસ નકલી પીએમઓ અધિકારી બની સુવિધાઓ મેળવી શકે છે તે એક પ્રશ્ન છે. કિરણ પટેલે જામીન મેળવવા માટે શ્રીનગર કોર્ટમાં અરજી કરી છે. 23મી માર્ચના રોજ આ અંગે ચૂકાદો સંભળાવવામાં આવશે. અમદાવાદમાં રહેતા કિરણ પટેલનો ઠગ તરીકેનો ભાંડો ફૂટતા પોલીસે ગુન્હો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.