કિરણ પટેલ કેસમાં પોલીસે કરી આ બે લોકોની ધરપકડ! જાણો કોની વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-03-21 17:38:44

છેલ્લા ઘણા દિવસોથી નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે કિરણ પટેલની સાથે જે અન્ય બે ગુજરાતીઓ કાશ્મીરમાં વીઆઈપી સુવિધાઓ મેળવી રહ્યા હતા હતી તેની ઓળખ કરી લેવામાં આવી છે. જે બે યુવાનોની વાત કરવામાં આવી રહી છે તેમાંથી એક ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા છે અને બીજો તેનો મિત્ર જય સીતાપરા છે. 

Kiran Patel AND CM Pro

આ ઘટનામાં સામેલ બે લોકોની કરાઈ ધરપકડ!

કિરણ પટેલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીર પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે કાશ્મીર પોલીસ અમદાવાદ આવી હતી અને બંને યુવાનોને કાશ્મીર લઈ ગઈ હતી. જે બે લોકોને પૂછપરછ માટે કાશ્મીર લઈ જવાયા છે તે લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાના પુત્ર છે અને બીજો વ્યક્તિ તેનો મિત્ર જય સીતાપરા છે. છેલ્લા ચાર જેટલા દિવસોથી તેઓ જમ્મુ કાશ્મીર પોલીસની કબજામાં છે. આ બંને લોકો જમ્મુ કાશ્મીરમાં જ્યારે પીએમઓ અધિકારી બની જ્યારે જમ્મુ કાશ્મીરમાં ફરતો હતો ત્યારે આ બંને લોકો પણ એમાં સામેલ હતા. મળતી માહિતી અનુસાર આ બંને ગુજરાત પરત આવી ગયા છે. કિરણ પટેલના રિમાન્ડ બાદ બંનેને કાશ્મીર બોલાવવામાં આવ્યા હતા અને જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે. 


23 માર્ચના રોજ હાથ ધરાશે સુનાવણી 

થોડા સમય પહેલા નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોતાના પ્રવાસ દરમિયાન અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી ઉપરાંત અનેક અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મુદ્દો સામે આવતા એક ચર્ચાનો વિષય બની ગયો હતો. કેવી રીતે એક સામાન્ય માણસ નકલી પીએમઓ અધિકારી બની સુવિધાઓ મેળવી શકે છે તે એક પ્રશ્ન છે. કિરણ પટેલે જામીન મેળવવા માટે શ્રીનગર કોર્ટમાં અરજી કરી છે. 23મી માર્ચના રોજ આ અંગે ચૂકાદો સંભળાવવામાં આવશે. અમદાવાદમાં રહેતા કિરણ પટેલનો ઠગ તરીકેનો ભાંડો ફૂટતા પોલીસે ગુન્હો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.