કિરણ પટેલ કેસમાં પોલીસે કરી આ બે લોકોની ધરપકડ! જાણો કોની વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-03-21 17:38:44

છેલ્લા ઘણા દિવસોથી નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે કિરણ પટેલની સાથે જે અન્ય બે ગુજરાતીઓ કાશ્મીરમાં વીઆઈપી સુવિધાઓ મેળવી રહ્યા હતા હતી તેની ઓળખ કરી લેવામાં આવી છે. જે બે યુવાનોની વાત કરવામાં આવી રહી છે તેમાંથી એક ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા છે અને બીજો તેનો મિત્ર જય સીતાપરા છે. 

Kiran Patel AND CM Pro

આ ઘટનામાં સામેલ બે લોકોની કરાઈ ધરપકડ!

કિરણ પટેલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીર પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે કાશ્મીર પોલીસ અમદાવાદ આવી હતી અને બંને યુવાનોને કાશ્મીર લઈ ગઈ હતી. જે બે લોકોને પૂછપરછ માટે કાશ્મીર લઈ જવાયા છે તે લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાના પુત્ર છે અને બીજો વ્યક્તિ તેનો મિત્ર જય સીતાપરા છે. છેલ્લા ચાર જેટલા દિવસોથી તેઓ જમ્મુ કાશ્મીર પોલીસની કબજામાં છે. આ બંને લોકો જમ્મુ કાશ્મીરમાં જ્યારે પીએમઓ અધિકારી બની જ્યારે જમ્મુ કાશ્મીરમાં ફરતો હતો ત્યારે આ બંને લોકો પણ એમાં સામેલ હતા. મળતી માહિતી અનુસાર આ બંને ગુજરાત પરત આવી ગયા છે. કિરણ પટેલના રિમાન્ડ બાદ બંનેને કાશ્મીર બોલાવવામાં આવ્યા હતા અને જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે. 


23 માર્ચના રોજ હાથ ધરાશે સુનાવણી 

થોડા સમય પહેલા નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોતાના પ્રવાસ દરમિયાન અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી ઉપરાંત અનેક અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મુદ્દો સામે આવતા એક ચર્ચાનો વિષય બની ગયો હતો. કેવી રીતે એક સામાન્ય માણસ નકલી પીએમઓ અધિકારી બની સુવિધાઓ મેળવી શકે છે તે એક પ્રશ્ન છે. કિરણ પટેલે જામીન મેળવવા માટે શ્રીનગર કોર્ટમાં અરજી કરી છે. 23મી માર્ચના રોજ આ અંગે ચૂકાદો સંભળાવવામાં આવશે. અમદાવાદમાં રહેતા કિરણ પટેલનો ઠગ તરીકેનો ભાંડો ફૂટતા પોલીસે ગુન્હો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે