સિંધુ ભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડનાર યુવકોની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-10-26 17:46:57

દિવાળીનો તહેવાર ઘરે પરિવાર સાથે આનંદથી મનાવવામાં આવતો હોય છે. પરિવારના તમામ લોકો એક સાથે હળી-મળીને દિવડા સળગાવી અને ફટાકડા ફોડી આનંદથી તહેવાર મનાવતા હોય છે. પરંતુ દિવાળીમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર નવી જ રીતે દિવાળી ઉજવવાનો ચીલો અમુક નબીરાઓએ ચીતર્યો છે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે જેમાં પોલીસે 9 યુવકોની ધરપકડ કરી છે.

 

સરખેજ પોલીસે નબીરાઓ વિરૂદ્ધ કરી કાર્યવાહી

સિંધુ ભવન રોડ પર ફટાકડા ફોડનાર નબીરો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. સરખેજ પોલીસે હર્ષદ ગરંભા, હિતેશ ઠાકોર, સાહિલ કુરેશી, અસદ મેમણ, સમીર શેખ સહિત તેમજ અન્ય 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે યુવકો પર પોલીસે સકંજો કસ્યો છે ઉપરાંત વીડિયોમાં દેખાતી ગાડીને પણ પોતાના કબજામાં લીધી છે.

 કયો વીડિયો થયો હતો વાયરલ

અમદાવાદમાં સિંધુ ભવન રોડ આવેલો છે. તાજ હોટલ નજીક રાત્રિના સમયમાં અમુક નબીરાનો જાહેરમાં ગાડી પર ફટાકડા ફોડતો અને રસ્તા પરથી પસાર થતા લોકોને હેરાન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોની અંદર આવારા લુખ્ખા તત્વો જાહેરમાં ફટાકડા ફોડી રહ્યા છે અને રસ્તો બ્લોક કરી રહ્યા છે તેવું નજરે પડે છે. એવું લાગી રહ્યું છે કે આ લોકોને પોલીસનો ડર નહીં હોય. રોડ પર આવી રીતે ફટાકડા ફોડાતા વાહન પર જતા લોકોને પણ જીવનું જોખમ સર્જાતું હોય છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.