Social Media પર પોલીસ બની એક્ટિવ! સ્ટંટ કરનારા લોકો વિરૂદ્ધ થઈ રહી છે કાર્યવાહી, જુઓ હવે પોલીસે કોને પાઠ ભણાવ્યો?


  • Published By :
  • Published Date : 2024-02-10 11:38:06

રસ્તા પર સ્ટંટ કરી રીલ ઉતારવી જાણે આજકાલના જનરેશનની ફેશન બની ગઈ છે તેવું લાગે છે. સોશિયલ મીડિયામાં લાઈક મેળવવાના ચક્કરમાં આવા લોકો અન્ય લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે. સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો આપણને જોવા મળતા હોય છે. જ્યારે આવી સ્ટંટવાળી રીલ આપણે જોઈએ ત્યારે થાય કે આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આજકાલ પોલીસ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ધ્યાન પોલીસ રાખતી હોય તેવું લાગી રહ્યું છે. સ્ટંટ કરી નિયમો તોડનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસના ઓફિશિયલ X એકાઉન્ટથી એક ટ્વિટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતા પોલીસ વિભાગે આવા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. બીફોર અને આફટર વાળો વીડિયો શેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર રોલા પાડવા લોકો કરતા હોય છે સ્ટંટ!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે તે આપણે જાણીએ છીએ. પ્રતિદિન અનેક લોકો મોતને ભેટે છે. કોઈ વખત પોતાની ભૂલને કારણે અને કોઈ વખત બીજાની ભૂલને કારણે અકસ્માત સર્જાય છે. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવી વાત અનેક વખત કરવામાં આવે છે, નિયમોનું પાલન કરવુંએ આપણી ફરજ પણ છે. રસ્તા પર અનેક લોકો સ્ટંટ કરતા દેખાતા હોય છે. રસ્તા પર રોલા પાડવા માટે રસ્તો બનાવ્યો હોય તેમ બેફામ બની લોકો રસ્તા પર સ્ટંટ કરતા દેખાતા હોય છે.


સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગુજરાતની પોલીસ!

આજકાલ અનેક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોના માધ્યમથી પોલીસ કાયદો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. ઘણા સમય પહેલા એક સમાચાર આવ્યા હતા કે રસ્તા પર ડાન્સ કરી રહેલા લોકોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત આવી કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રીક્ષા વાળો બેફામ બની અને બેદરકાર બની રીક્ષા ચલાવી રહ્યો હતો. એવા એવા સ્ટંટ કરતો હતો જેને જોઈ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. રીક્ષામાં ડ્રાઈવર એક માત્ર ન હતો તેની સાથે બીજા પણ લોકો હતા જે પણ આવા સ્ટંટની મજા માણી રહ્યા હતા. 

આવા સ્ટંટ કરી બીજા લોકોના જીવને મૂકીએ છીએ સંકટમાં!  

મહત્વનું છે કે આજકાલ લોકો બેફામ બનીને વાહન ચલાવતા હોય છે. તેમને પોતાના જીવની પરવાહ તો નથી હોતી પરંતુ તે બીજાના જીવને જોખમમાં નાખતા પહેલા પણ નથી વિચારતા. આવા સ્ટંટ કરતા આપણે અટકીએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તેવી આશા રાખીએ છીએ. કારણ કે આપણી સુરક્ષા આપણા હાથમાં..! આપણે કોઈના જીવને બચાવી ના શકીએ તો કંઈ નહીં પરંતુ આપણા કારણે કોઈ બીજાના જીવ જોખમમાં ના મૂકાય તે વાતનું ધ્યાન તો આપણે રાખી શકીએને...!      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.