અમરેલીમાં દારૂના હપ્તા મામલે પોલીસ-બુટલેગરનો ઓડિયો વાયરલ થતા ખળભળાટ, જિલ્લા પોલીસવડાએ કરી આ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-09-26 21:31:11

ગુજરાતમાં દારૂબંધી હવે મજાક બની ગઈ છે, દારૂબંધીનો અમલ કરાવનારા પોલીસકર્મીઓ જ બુટલેગરો પાસેથી  હપ્તા ઉઘરાવીને સંરક્ષણ આપે છે. રાજ્યના તમામ મોટા શહેરો અને ગામડાઓમાં દારૂની બદી ચિંતાજનક હદે વધી રહી છે. જો કે અમરેલીમાં એક પોલીસકર્મી અને બુટલેગર વચ્ચેની વાતચીતની ઓડિયો-ક્લિપ વાઈરલ થતાં હડકંપ મચી ગયો છે. પોલીસકર્મી દ્વારા ખુલ્લેઆમ બૂટલેગરને દારૂ વેચવા માટે પ્રોત્સાહન આપી માસિક 20 હજારના હપતાની માગણી કરવામાં આવતી હોવાની ઓડિયો-ક્લિપ વાઈરલ થતાં એસપી દ્વારા તાત્કાલિક અસરથી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઓડિયો-ક્લિપને લઈ અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પણ અમરેલી પોલીસ પર દારૂના વેચાણને લઈ ગંભીર આક્ષેપો કર્યા છે. આ  સમગ્ર મામલે અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે અને આ મામલો અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.  




વિપુલ દુધાતે શું રજુઆત કરી?


આ ઓડિયો પોલીસ અને બુટલેગરનું છે જેમાં પોલીસ પૈસાની લેવડદેવડની વાત કરી રહ્યા છે.. વીડિયો બહાર આવતા અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારથી લીલીયા પોલીસ મથકમાં એસ આર ગોહિલ પીએસઆઈ બનીને આવ્યા છે ત્યારથી ખુલ્લેઆમ બુટલેગર દારુ વેચી રહ્યા છે. લોકોએ અનેકવાર પીએસઆઈને ફરિયાદ કરી છે પણ લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે તેવી વાતો પણ સામે આવી રહી છે. ઘટનાની સામે મામલો જિલ્લા પોલીસ વડા સામે પહોંચતા તેમણે કાર્યવાહી કરી છે અને જયસુખ મકવાણા, એક જમાદાર અને પીએસઆઈ એસ આર ગોહિલની હેડક્વાર્ટરમાં બદલી કરાવી નાખવાની અપીલ કરવામાં આવી હતી. બુટલેગરનું નામ વિપુલ ગોહિલ છે પણ પોલીસ અધિકારી પીએસઆઈ છે કે નહીં તે જાણવા માટે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. જો પીએસઆઈ હશે તો કડક કાર્યવાહી થશે એવી વાતો છે. જોઈએ હવે શું થાય છે?



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.