અમરેલીમાં દારૂના હપ્તા મામલે પોલીસ-બુટલેગરનો ઓડિયો વાયરલ થતા ખળભળાટ, જિલ્લા પોલીસવડાએ કરી આ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-09-26 21:31:11

ગુજરાતમાં દારૂબંધી હવે મજાક બની ગઈ છે, દારૂબંધીનો અમલ કરાવનારા પોલીસકર્મીઓ જ બુટલેગરો પાસેથી  હપ્તા ઉઘરાવીને સંરક્ષણ આપે છે. રાજ્યના તમામ મોટા શહેરો અને ગામડાઓમાં દારૂની બદી ચિંતાજનક હદે વધી રહી છે. જો કે અમરેલીમાં એક પોલીસકર્મી અને બુટલેગર વચ્ચેની વાતચીતની ઓડિયો-ક્લિપ વાઈરલ થતાં હડકંપ મચી ગયો છે. પોલીસકર્મી દ્વારા ખુલ્લેઆમ બૂટલેગરને દારૂ વેચવા માટે પ્રોત્સાહન આપી માસિક 20 હજારના હપતાની માગણી કરવામાં આવતી હોવાની ઓડિયો-ક્લિપ વાઈરલ થતાં એસપી દ્વારા તાત્કાલિક અસરથી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઓડિયો-ક્લિપને લઈ અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પણ અમરેલી પોલીસ પર દારૂના વેચાણને લઈ ગંભીર આક્ષેપો કર્યા છે. આ  સમગ્ર મામલે અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે અને આ મામલો અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.  




વિપુલ દુધાતે શું રજુઆત કરી?


આ ઓડિયો પોલીસ અને બુટલેગરનું છે જેમાં પોલીસ પૈસાની લેવડદેવડની વાત કરી રહ્યા છે.. વીડિયો બહાર આવતા અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારથી લીલીયા પોલીસ મથકમાં એસ આર ગોહિલ પીએસઆઈ બનીને આવ્યા છે ત્યારથી ખુલ્લેઆમ બુટલેગર દારુ વેચી રહ્યા છે. લોકોએ અનેકવાર પીએસઆઈને ફરિયાદ કરી છે પણ લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે તેવી વાતો પણ સામે આવી રહી છે. ઘટનાની સામે મામલો જિલ્લા પોલીસ વડા સામે પહોંચતા તેમણે કાર્યવાહી કરી છે અને જયસુખ મકવાણા, એક જમાદાર અને પીએસઆઈ એસ આર ગોહિલની હેડક્વાર્ટરમાં બદલી કરાવી નાખવાની અપીલ કરવામાં આવી હતી. બુટલેગરનું નામ વિપુલ ગોહિલ છે પણ પોલીસ અધિકારી પીએસઆઈ છે કે નહીં તે જાણવા માટે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. જો પીએસઆઈ હશે તો કડક કાર્યવાહી થશે એવી વાતો છે. જોઈએ હવે શું થાય છે?



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.