અમરેલીમાં દારૂના હપ્તા મામલે પોલીસ-બુટલેગરનો ઓડિયો વાયરલ થતા ખળભળાટ, જિલ્લા પોલીસવડાએ કરી આ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-09-26 21:31:11

ગુજરાતમાં દારૂબંધી હવે મજાક બની ગઈ છે, દારૂબંધીનો અમલ કરાવનારા પોલીસકર્મીઓ જ બુટલેગરો પાસેથી  હપ્તા ઉઘરાવીને સંરક્ષણ આપે છે. રાજ્યના તમામ મોટા શહેરો અને ગામડાઓમાં દારૂની બદી ચિંતાજનક હદે વધી રહી છે. જો કે અમરેલીમાં એક પોલીસકર્મી અને બુટલેગર વચ્ચેની વાતચીતની ઓડિયો-ક્લિપ વાઈરલ થતાં હડકંપ મચી ગયો છે. પોલીસકર્મી દ્વારા ખુલ્લેઆમ બૂટલેગરને દારૂ વેચવા માટે પ્રોત્સાહન આપી માસિક 20 હજારના હપતાની માગણી કરવામાં આવતી હોવાની ઓડિયો-ક્લિપ વાઈરલ થતાં એસપી દ્વારા તાત્કાલિક અસરથી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઓડિયો-ક્લિપને લઈ અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પણ અમરેલી પોલીસ પર દારૂના વેચાણને લઈ ગંભીર આક્ષેપો કર્યા છે. આ  સમગ્ર મામલે અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે અને આ મામલો અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.  




વિપુલ દુધાતે શું રજુઆત કરી?


આ ઓડિયો પોલીસ અને બુટલેગરનું છે જેમાં પોલીસ પૈસાની લેવડદેવડની વાત કરી રહ્યા છે.. વીડિયો બહાર આવતા અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારથી લીલીયા પોલીસ મથકમાં એસ આર ગોહિલ પીએસઆઈ બનીને આવ્યા છે ત્યારથી ખુલ્લેઆમ બુટલેગર દારુ વેચી રહ્યા છે. લોકોએ અનેકવાર પીએસઆઈને ફરિયાદ કરી છે પણ લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે તેવી વાતો પણ સામે આવી રહી છે. ઘટનાની સામે મામલો જિલ્લા પોલીસ વડા સામે પહોંચતા તેમણે કાર્યવાહી કરી છે અને જયસુખ મકવાણા, એક જમાદાર અને પીએસઆઈ એસ આર ગોહિલની હેડક્વાર્ટરમાં બદલી કરાવી નાખવાની અપીલ કરવામાં આવી હતી. બુટલેગરનું નામ વિપુલ ગોહિલ છે પણ પોલીસ અધિકારી પીએસઆઈ છે કે નહીં તે જાણવા માટે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. જો પીએસઆઈ હશે તો કડક કાર્યવાહી થશે એવી વાતો છે. જોઈએ હવે શું થાય છે?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.