અમરેલીમાં દારૂના હપ્તા મામલે પોલીસ-બુટલેગરનો ઓડિયો વાયરલ થતા ખળભળાટ, જિલ્લા પોલીસવડાએ કરી આ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-09-26 21:31:11

ગુજરાતમાં દારૂબંધી હવે મજાક બની ગઈ છે, દારૂબંધીનો અમલ કરાવનારા પોલીસકર્મીઓ જ બુટલેગરો પાસેથી  હપ્તા ઉઘરાવીને સંરક્ષણ આપે છે. રાજ્યના તમામ મોટા શહેરો અને ગામડાઓમાં દારૂની બદી ચિંતાજનક હદે વધી રહી છે. જો કે અમરેલીમાં એક પોલીસકર્મી અને બુટલેગર વચ્ચેની વાતચીતની ઓડિયો-ક્લિપ વાઈરલ થતાં હડકંપ મચી ગયો છે. પોલીસકર્મી દ્વારા ખુલ્લેઆમ બૂટલેગરને દારૂ વેચવા માટે પ્રોત્સાહન આપી માસિક 20 હજારના હપતાની માગણી કરવામાં આવતી હોવાની ઓડિયો-ક્લિપ વાઈરલ થતાં એસપી દ્વારા તાત્કાલિક અસરથી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઓડિયો-ક્લિપને લઈ અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પણ અમરેલી પોલીસ પર દારૂના વેચાણને લઈ ગંભીર આક્ષેપો કર્યા છે. આ  સમગ્ર મામલે અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે અને આ મામલો અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.  




વિપુલ દુધાતે શું રજુઆત કરી?


આ ઓડિયો પોલીસ અને બુટલેગરનું છે જેમાં પોલીસ પૈસાની લેવડદેવડની વાત કરી રહ્યા છે.. વીડિયો બહાર આવતા અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારથી લીલીયા પોલીસ મથકમાં એસ આર ગોહિલ પીએસઆઈ બનીને આવ્યા છે ત્યારથી ખુલ્લેઆમ બુટલેગર દારુ વેચી રહ્યા છે. લોકોએ અનેકવાર પીએસઆઈને ફરિયાદ કરી છે પણ લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે તેવી વાતો પણ સામે આવી રહી છે. ઘટનાની સામે મામલો જિલ્લા પોલીસ વડા સામે પહોંચતા તેમણે કાર્યવાહી કરી છે અને જયસુખ મકવાણા, એક જમાદાર અને પીએસઆઈ એસ આર ગોહિલની હેડક્વાર્ટરમાં બદલી કરાવી નાખવાની અપીલ કરવામાં આવી હતી. બુટલેગરનું નામ વિપુલ ગોહિલ છે પણ પોલીસ અધિકારી પીએસઆઈ છે કે નહીં તે જાણવા માટે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. જો પીએસઆઈ હશે તો કડક કાર્યવાહી થશે એવી વાતો છે. જોઈએ હવે શું થાય છે?



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.