Vadodaraમાં Police Vanમાં દારુ પાર્ટી કરતા Police પકડાયા!આ છે Gujaratમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ?


  • Published By :
  • Published Date : 2024-01-17 16:34:21

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાત જ્યારે કરવામાં આવે ત્યારે તમે મનમાં હસતા હશો... એવું કહેતા હશો કે આ કાયદો તો માત્ર કાગળ પર જ છે. ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ઠેર-ઠેર દારૂની પોટલીઓ મળે છે તેવી વાત પણ તમે કરતા હશો. એવું પણ કહેતા હશો કે જો સરકાર અને પોલીસ ધારેને તો દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવી શકે છે. પરંતુ પોલીસ એટલા માટે ચૂપ છે કારણ કે તેમને હપ્તા મળતા હોય છે.! જો કડકપણે પાલન કરવામાં આવે તો તેમના સુધી પહોંચતા હપ્તા બંધ થઈ જાય! 


જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં જઈ કરી ફરિયાદ 

પોલીસ અને દારૂની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસકર્મચારીઓ પોતે દારૂ પી રહ્યા છે. એવી માહિતી મળી છે કે વડોદરામાં પોલીસની વેનમાં પોલીસ કર્મી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જાગૃત્ત નાગરીક દ્વારા આનો વીડિયો ઉતારવામાં આવ્યો અને તેની ચર્ચાઓ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર વડોદરા પોલીસને એક જાગૃત નાગરિકે જાણકારી આપી કે શહેરના મુજમહુડા વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે સી ટીમ માટે ફાળવવામાં આવેલી એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આવી ફરિયાદ મળતા પોલીસે જ તે પોલીસવાનને તાત્કાલિક પોલીસ સ્ટેશને બોલાવી. 

નશાની હાલતમાં ઝડપાયા ત્રણ વ્યક્તિ!

પોલીસ દ્વારા જ્યારે આ અંગેની તપાસ કરવામાં આવી તે દરમિયાન જે.પી રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા, માનવ પુરુષોત્તમ કહાર તેમજ સાકીર કાદરભાઈ મણિયાર ત્રણેય લોકો દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્રણેયની અટકાયત કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

અનેક વખત આવા વીડિયો આવતા રહે છે સામે

મહત્વનું છે કે અનેક વખત પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉભા થાય છે. પોલીસ વિભાગનું એક સારૂં પાસુ છે જેમાં કર્મનિષ્ઠ પોલીસ અધિકારીઓ છે પરંતુ આવા પોલીસ બહુ ઓછા છે. અનેક પોલીસ કર્મીઓ એવા છે જે પોલીસની વર્દી પર ડાઘ લગાડે છે. સામાન્ય માણસ સાથે કરવામાં આવતો વ્યવહાર પણ અનેક વખત ડિબેટનો મુદ્દો બનતો હોય છે. આવું પહેલી વાર નથી જ્યાં પોલીસવાળા નશાની હાલતમાં દેખાયા હોય આવા અનેક કિસ્સાઓ છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.