Vadodaraમાં Police Vanમાં દારુ પાર્ટી કરતા Police પકડાયા!આ છે Gujaratમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ?


  • Published By :
  • Published Date : 2024-01-17 16:34:21

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાત જ્યારે કરવામાં આવે ત્યારે તમે મનમાં હસતા હશો... એવું કહેતા હશો કે આ કાયદો તો માત્ર કાગળ પર જ છે. ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ઠેર-ઠેર દારૂની પોટલીઓ મળે છે તેવી વાત પણ તમે કરતા હશો. એવું પણ કહેતા હશો કે જો સરકાર અને પોલીસ ધારેને તો દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવી શકે છે. પરંતુ પોલીસ એટલા માટે ચૂપ છે કારણ કે તેમને હપ્તા મળતા હોય છે.! જો કડકપણે પાલન કરવામાં આવે તો તેમના સુધી પહોંચતા હપ્તા બંધ થઈ જાય! 


જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં જઈ કરી ફરિયાદ 

પોલીસ અને દારૂની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસકર્મચારીઓ પોતે દારૂ પી રહ્યા છે. એવી માહિતી મળી છે કે વડોદરામાં પોલીસની વેનમાં પોલીસ કર્મી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જાગૃત્ત નાગરીક દ્વારા આનો વીડિયો ઉતારવામાં આવ્યો અને તેની ચર્ચાઓ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર વડોદરા પોલીસને એક જાગૃત નાગરિકે જાણકારી આપી કે શહેરના મુજમહુડા વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે સી ટીમ માટે ફાળવવામાં આવેલી એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આવી ફરિયાદ મળતા પોલીસે જ તે પોલીસવાનને તાત્કાલિક પોલીસ સ્ટેશને બોલાવી. 

નશાની હાલતમાં ઝડપાયા ત્રણ વ્યક્તિ!

પોલીસ દ્વારા જ્યારે આ અંગેની તપાસ કરવામાં આવી તે દરમિયાન જે.પી રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા, માનવ પુરુષોત્તમ કહાર તેમજ સાકીર કાદરભાઈ મણિયાર ત્રણેય લોકો દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્રણેયની અટકાયત કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

અનેક વખત આવા વીડિયો આવતા રહે છે સામે

મહત્વનું છે કે અનેક વખત પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉભા થાય છે. પોલીસ વિભાગનું એક સારૂં પાસુ છે જેમાં કર્મનિષ્ઠ પોલીસ અધિકારીઓ છે પરંતુ આવા પોલીસ બહુ ઓછા છે. અનેક પોલીસ કર્મીઓ એવા છે જે પોલીસની વર્દી પર ડાઘ લગાડે છે. સામાન્ય માણસ સાથે કરવામાં આવતો વ્યવહાર પણ અનેક વખત ડિબેટનો મુદ્દો બનતો હોય છે. આવું પહેલી વાર નથી જ્યાં પોલીસવાળા નશાની હાલતમાં દેખાયા હોય આવા અનેક કિસ્સાઓ છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.