Vadodaraમાં Police Vanમાં દારુ પાર્ટી કરતા Police પકડાયા!આ છે Gujaratમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ?


  • Published By :
  • Published Date : 2024-01-17 16:34:21

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાત જ્યારે કરવામાં આવે ત્યારે તમે મનમાં હસતા હશો... એવું કહેતા હશો કે આ કાયદો તો માત્ર કાગળ પર જ છે. ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ઠેર-ઠેર દારૂની પોટલીઓ મળે છે તેવી વાત પણ તમે કરતા હશો. એવું પણ કહેતા હશો કે જો સરકાર અને પોલીસ ધારેને તો દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવી શકે છે. પરંતુ પોલીસ એટલા માટે ચૂપ છે કારણ કે તેમને હપ્તા મળતા હોય છે.! જો કડકપણે પાલન કરવામાં આવે તો તેમના સુધી પહોંચતા હપ્તા બંધ થઈ જાય! 


જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં જઈ કરી ફરિયાદ 

પોલીસ અને દારૂની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસકર્મચારીઓ પોતે દારૂ પી રહ્યા છે. એવી માહિતી મળી છે કે વડોદરામાં પોલીસની વેનમાં પોલીસ કર્મી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જાગૃત્ત નાગરીક દ્વારા આનો વીડિયો ઉતારવામાં આવ્યો અને તેની ચર્ચાઓ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર વડોદરા પોલીસને એક જાગૃત નાગરિકે જાણકારી આપી કે શહેરના મુજમહુડા વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે સી ટીમ માટે ફાળવવામાં આવેલી એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આવી ફરિયાદ મળતા પોલીસે જ તે પોલીસવાનને તાત્કાલિક પોલીસ સ્ટેશને બોલાવી. 

નશાની હાલતમાં ઝડપાયા ત્રણ વ્યક્તિ!

પોલીસ દ્વારા જ્યારે આ અંગેની તપાસ કરવામાં આવી તે દરમિયાન જે.પી રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા, માનવ પુરુષોત્તમ કહાર તેમજ સાકીર કાદરભાઈ મણિયાર ત્રણેય લોકો દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્રણેયની અટકાયત કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

અનેક વખત આવા વીડિયો આવતા રહે છે સામે

મહત્વનું છે કે અનેક વખત પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉભા થાય છે. પોલીસ વિભાગનું એક સારૂં પાસુ છે જેમાં કર્મનિષ્ઠ પોલીસ અધિકારીઓ છે પરંતુ આવા પોલીસ બહુ ઓછા છે. અનેક પોલીસ કર્મીઓ એવા છે જે પોલીસની વર્દી પર ડાઘ લગાડે છે. સામાન્ય માણસ સાથે કરવામાં આવતો વ્યવહાર પણ અનેક વખત ડિબેટનો મુદ્દો બનતો હોય છે. આવું પહેલી વાર નથી જ્યાં પોલીસવાળા નશાની હાલતમાં દેખાયા હોય આવા અનેક કિસ્સાઓ છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.