ઠંડીથી રસ્તા પર રહેતા લોકોને રક્ષણ મળે માટે Policeએ કર્યું ધાબળાનું વિતરણ, ખરા અર્થમાં સાર્થક કર્યું પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-18 15:42:54

અનેક શબ્દો એવા હોય છે જે સાંભળીને આપણી નજરની સામે એક ચિત્ર ઉભું થઈ જાય. આપણે જેવું તેમના માટે સાંભળ્યું હોય તેવી છબી આપણી સામે આવી જાય. તેવો જ એક શબ્દ છે પોલીસ... પોલીસનું નામ સાંભળતા જ આપણા મનમાં એવી વાત આવવા લાગે છે જેમાં પોલીસની નેગેટિવ છબીઓ હોય. અનેક પોલીસ દ્વારા કરવામાં આવેલું વર્તન, પોલીસના ધાકધમકીનો મિજાજ આપણા દિમાગમાં યાદ આવે. આજે પોલીસના એવો ચહેરો બતાવો છે જે એકદમ પોઝિટિવ છે. અનેક વખત પોલીસ લોકોની મદદે આવતી હોય છે તેવો વીડિયો સામે આવ્યો છે.

નિ:સહાય લોકોને પોલીસે કર્યું ધાબળાનું વિતરણ

અનેક માણસો એવા હોય છે જે પોલીસના નામથી ફફડે છે. કોઈ ફરિયાદ કરવા પણ જો પોલીસ સ્ટેશન જવાનું હોય તો તે નથી જતા કારણ કે તેમને પોલીસનો ખોફ હોય છે. સામાન્ય માણસ પોલીસની મદદ લે તે માટે, પોલીસ તેમના માટે જ છે તે માટે પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે. પોલીસ પ્રજાનો મિત્ર એવું સૂત્ર છે જેને ગુજરાત પોલીસ સાર્થક કરી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં રસ્તા પર રહેતા નિરાધાર અને નિ:સહાય લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ઠંડી સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે પોલીસ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. 


પોલીસ દ્વારા અનેક વખત કરવામાં આવે છે આવી પ્રવૃત્તિ!

મહત્વનું છે કે આપણે તો ઘરમાં રહીએ છીએ, ઠંડીથી રક્ષણ મળે તે માટે આપણી પાસે ધાબળા છે, સ્વેટર છે પરંતુ રસ્તા પર રહેતા નિરાધાર લોકો પાસે નથી તો ઘર નથી તો ઠંડીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા. ઠંડી હોય, ગરમી હોય કે પછી ચોમાસું હોય આ લોકોને રસ્તા પર જ પોતાનું જીવન ગુજારવું પડે છે. ત્યારે શિયાળામાં ઠંડીથી આ લોકોને રક્ષણ મળી રહે તે માટે ધાબળાનું વિતરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આવી અનેક પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.