ઠંડીથી રસ્તા પર રહેતા લોકોને રક્ષણ મળે માટે Policeએ કર્યું ધાબળાનું વિતરણ, ખરા અર્થમાં સાર્થક કર્યું પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-18 15:42:54

અનેક શબ્દો એવા હોય છે જે સાંભળીને આપણી નજરની સામે એક ચિત્ર ઉભું થઈ જાય. આપણે જેવું તેમના માટે સાંભળ્યું હોય તેવી છબી આપણી સામે આવી જાય. તેવો જ એક શબ્દ છે પોલીસ... પોલીસનું નામ સાંભળતા જ આપણા મનમાં એવી વાત આવવા લાગે છે જેમાં પોલીસની નેગેટિવ છબીઓ હોય. અનેક પોલીસ દ્વારા કરવામાં આવેલું વર્તન, પોલીસના ધાકધમકીનો મિજાજ આપણા દિમાગમાં યાદ આવે. આજે પોલીસના એવો ચહેરો બતાવો છે જે એકદમ પોઝિટિવ છે. અનેક વખત પોલીસ લોકોની મદદે આવતી હોય છે તેવો વીડિયો સામે આવ્યો છે.

નિ:સહાય લોકોને પોલીસે કર્યું ધાબળાનું વિતરણ

અનેક માણસો એવા હોય છે જે પોલીસના નામથી ફફડે છે. કોઈ ફરિયાદ કરવા પણ જો પોલીસ સ્ટેશન જવાનું હોય તો તે નથી જતા કારણ કે તેમને પોલીસનો ખોફ હોય છે. સામાન્ય માણસ પોલીસની મદદ લે તે માટે, પોલીસ તેમના માટે જ છે તે માટે પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે. પોલીસ પ્રજાનો મિત્ર એવું સૂત્ર છે જેને ગુજરાત પોલીસ સાર્થક કરી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં રસ્તા પર રહેતા નિરાધાર અને નિ:સહાય લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ઠંડી સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે પોલીસ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. 


પોલીસ દ્વારા અનેક વખત કરવામાં આવે છે આવી પ્રવૃત્તિ!

મહત્વનું છે કે આપણે તો ઘરમાં રહીએ છીએ, ઠંડીથી રક્ષણ મળે તે માટે આપણી પાસે ધાબળા છે, સ્વેટર છે પરંતુ રસ્તા પર રહેતા નિરાધાર લોકો પાસે નથી તો ઘર નથી તો ઠંડીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા. ઠંડી હોય, ગરમી હોય કે પછી ચોમાસું હોય આ લોકોને રસ્તા પર જ પોતાનું જીવન ગુજારવું પડે છે. ત્યારે શિયાળામાં ઠંડીથી આ લોકોને રક્ષણ મળી રહે તે માટે ધાબળાનું વિતરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આવી અનેક પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.