ઠંડીથી રસ્તા પર રહેતા લોકોને રક્ષણ મળે માટે Policeએ કર્યું ધાબળાનું વિતરણ, ખરા અર્થમાં સાર્થક કર્યું પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-18 15:42:54

અનેક શબ્દો એવા હોય છે જે સાંભળીને આપણી નજરની સામે એક ચિત્ર ઉભું થઈ જાય. આપણે જેવું તેમના માટે સાંભળ્યું હોય તેવી છબી આપણી સામે આવી જાય. તેવો જ એક શબ્દ છે પોલીસ... પોલીસનું નામ સાંભળતા જ આપણા મનમાં એવી વાત આવવા લાગે છે જેમાં પોલીસની નેગેટિવ છબીઓ હોય. અનેક પોલીસ દ્વારા કરવામાં આવેલું વર્તન, પોલીસના ધાકધમકીનો મિજાજ આપણા દિમાગમાં યાદ આવે. આજે પોલીસના એવો ચહેરો બતાવો છે જે એકદમ પોઝિટિવ છે. અનેક વખત પોલીસ લોકોની મદદે આવતી હોય છે તેવો વીડિયો સામે આવ્યો છે.

નિ:સહાય લોકોને પોલીસે કર્યું ધાબળાનું વિતરણ

અનેક માણસો એવા હોય છે જે પોલીસના નામથી ફફડે છે. કોઈ ફરિયાદ કરવા પણ જો પોલીસ સ્ટેશન જવાનું હોય તો તે નથી જતા કારણ કે તેમને પોલીસનો ખોફ હોય છે. સામાન્ય માણસ પોલીસની મદદ લે તે માટે, પોલીસ તેમના માટે જ છે તે માટે પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે. પોલીસ પ્રજાનો મિત્ર એવું સૂત્ર છે જેને ગુજરાત પોલીસ સાર્થક કરી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં રસ્તા પર રહેતા નિરાધાર અને નિ:સહાય લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ઠંડી સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે પોલીસ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. 


પોલીસ દ્વારા અનેક વખત કરવામાં આવે છે આવી પ્રવૃત્તિ!

મહત્વનું છે કે આપણે તો ઘરમાં રહીએ છીએ, ઠંડીથી રક્ષણ મળે તે માટે આપણી પાસે ધાબળા છે, સ્વેટર છે પરંતુ રસ્તા પર રહેતા નિરાધાર લોકો પાસે નથી તો ઘર નથી તો ઠંડીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા. ઠંડી હોય, ગરમી હોય કે પછી ચોમાસું હોય આ લોકોને રસ્તા પર જ પોતાનું જીવન ગુજારવું પડે છે. ત્યારે શિયાળામાં ઠંડીથી આ લોકોને રક્ષણ મળી રહે તે માટે ધાબળાનું વિતરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આવી અનેક પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.