ઠંડીથી રસ્તા પર રહેતા લોકોને રક્ષણ મળે માટે Policeએ કર્યું ધાબળાનું વિતરણ, ખરા અર્થમાં સાર્થક કર્યું પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-18 15:42:54

અનેક શબ્દો એવા હોય છે જે સાંભળીને આપણી નજરની સામે એક ચિત્ર ઉભું થઈ જાય. આપણે જેવું તેમના માટે સાંભળ્યું હોય તેવી છબી આપણી સામે આવી જાય. તેવો જ એક શબ્દ છે પોલીસ... પોલીસનું નામ સાંભળતા જ આપણા મનમાં એવી વાત આવવા લાગે છે જેમાં પોલીસની નેગેટિવ છબીઓ હોય. અનેક પોલીસ દ્વારા કરવામાં આવેલું વર્તન, પોલીસના ધાકધમકીનો મિજાજ આપણા દિમાગમાં યાદ આવે. આજે પોલીસના એવો ચહેરો બતાવો છે જે એકદમ પોઝિટિવ છે. અનેક વખત પોલીસ લોકોની મદદે આવતી હોય છે તેવો વીડિયો સામે આવ્યો છે.

નિ:સહાય લોકોને પોલીસે કર્યું ધાબળાનું વિતરણ

અનેક માણસો એવા હોય છે જે પોલીસના નામથી ફફડે છે. કોઈ ફરિયાદ કરવા પણ જો પોલીસ સ્ટેશન જવાનું હોય તો તે નથી જતા કારણ કે તેમને પોલીસનો ખોફ હોય છે. સામાન્ય માણસ પોલીસની મદદ લે તે માટે, પોલીસ તેમના માટે જ છે તે માટે પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે. પોલીસ પ્રજાનો મિત્ર એવું સૂત્ર છે જેને ગુજરાત પોલીસ સાર્થક કરી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં રસ્તા પર રહેતા નિરાધાર અને નિ:સહાય લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ઠંડી સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે પોલીસ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. 


પોલીસ દ્વારા અનેક વખત કરવામાં આવે છે આવી પ્રવૃત્તિ!

મહત્વનું છે કે આપણે તો ઘરમાં રહીએ છીએ, ઠંડીથી રક્ષણ મળે તે માટે આપણી પાસે ધાબળા છે, સ્વેટર છે પરંતુ રસ્તા પર રહેતા નિરાધાર લોકો પાસે નથી તો ઘર નથી તો ઠંડીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા. ઠંડી હોય, ગરમી હોય કે પછી ચોમાસું હોય આ લોકોને રસ્તા પર જ પોતાનું જીવન ગુજારવું પડે છે. ત્યારે શિયાળામાં ઠંડીથી આ લોકોને રક્ષણ મળી રહે તે માટે ધાબળાનું વિતરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આવી અનેક પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.