ગુજરાત પોલીસને પોતાનું કામ કરવાની મનાઈ છે, સત્તાધિશોને અભિમાન ચઢ્યું છે કે અમને રોકવાની કોઈની તાકાત ના હોવી જોઈએ !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:29:14

સત્તા છે તો કાયદાને પગની નીચે કચડી નાખશો?


વડોદરામા માંજલપુરમાં એક ડાયરાનું આયોજન થયું હતું, ડાયરાનું નામ હતું માં-બાપને ભુલશો નહીં, કાર્યક્રમમાં મોટા-મોટા સંતો, ભાજપના નેતા બધા હાજર હતા, ભાજપના જ એક કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડનું આ આયોજન હતું, પણ આયોજન માટે કોઈ જ આગોતરી પરવાનગી ના લેવાતા માંજલપુર પી.આઈ વિજય દેસાઈ ત્યાં પહોંચ્યા અને સ્ટેજ પર જઈને માઈકમાં કહી દીધું કે પરવાનગી નથી એટલે કાર્યક્રમ આગળ નહીં થઈ શકે. સ્ટેજ પર રહેલા લોકોને પણ મંચ છોડી દેવાનું કહી દીધું. પણ તરત જ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના આદેશ છુટ્યા અને સ્પેશીયલ બ્રાન્યમાં બદલી કરી દેવાઈ


કોણ કોણ હતું મંચ પર?

ભાજપના કૉર્પોરેટર આયોજીત આ ડાયરામાં અશ્વિન જોશી, દ્વારકેશલાલજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ હતા, આ દરેક લોકોને પીઆઈએ મંચ પરથી ઉતરી જવાનું કહ્યું તો એમાં એમનું અપમાન થયાનું લાગ્યુ, તરત જ ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી થઈ અને એક જ મહિનાના પોસ્ટીંગમાં ટ્રાન્સફર મળી ગઈ


સામાન્ય જનતાનું તો દરરોજ આમ જ અપમાન થાય છે સરકાર...

દેશનું બંધારણ કહે છે કે કાયદાની દ્રષ્ટીએ તો દરેક નાગરીક સમાન છે, પણ સરકાર કે પોલીસ કોઈ એમને સરખા ગણતું નથી, મંચ પરથી ઉતરવું પડ્યુ અને એ પણ નિયમો ભંગ કરવા બદલ તો પીઆઈ સામે કાર્યવાહી થઈ ગઈ, અને દરરોજ રસ્તા પર અધિકાર માટે ભટકતા લોકોનું શું! પોલીસ કામ કરે તો બદલી મળી જાય તો પોલીસે શું તમારી ચરણવંદનાનું જ કામ કરવાનું છે? શું ગુજરાત પોલીસ ક્યાંય પણ કાર્યવાહી કરાવ જાય તો ત્યાં જઈને પુછવાનું છે કે ભાઈ તમે ભાજપના કે એના કોઈ નજીકના તો નથીને...! જો આમ જ હોય તો પોલીસને ન્યાય-નીતિની મોટી ટ્રેનીંગ માટે સમય વેડફાવ્યા વગર આ જ શીખવી દેવું જોઈએ. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.