ગુજરાત પોલીસને પોતાનું કામ કરવાની મનાઈ છે, સત્તાધિશોને અભિમાન ચઢ્યું છે કે અમને રોકવાની કોઈની તાકાત ના હોવી જોઈએ !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:29:14

સત્તા છે તો કાયદાને પગની નીચે કચડી નાખશો?


વડોદરામા માંજલપુરમાં એક ડાયરાનું આયોજન થયું હતું, ડાયરાનું નામ હતું માં-બાપને ભુલશો નહીં, કાર્યક્રમમાં મોટા-મોટા સંતો, ભાજપના નેતા બધા હાજર હતા, ભાજપના જ એક કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડનું આ આયોજન હતું, પણ આયોજન માટે કોઈ જ આગોતરી પરવાનગી ના લેવાતા માંજલપુર પી.આઈ વિજય દેસાઈ ત્યાં પહોંચ્યા અને સ્ટેજ પર જઈને માઈકમાં કહી દીધું કે પરવાનગી નથી એટલે કાર્યક્રમ આગળ નહીં થઈ શકે. સ્ટેજ પર રહેલા લોકોને પણ મંચ છોડી દેવાનું કહી દીધું. પણ તરત જ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના આદેશ છુટ્યા અને સ્પેશીયલ બ્રાન્યમાં બદલી કરી દેવાઈ


કોણ કોણ હતું મંચ પર?

ભાજપના કૉર્પોરેટર આયોજીત આ ડાયરામાં અશ્વિન જોશી, દ્વારકેશલાલજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ હતા, આ દરેક લોકોને પીઆઈએ મંચ પરથી ઉતરી જવાનું કહ્યું તો એમાં એમનું અપમાન થયાનું લાગ્યુ, તરત જ ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી થઈ અને એક જ મહિનાના પોસ્ટીંગમાં ટ્રાન્સફર મળી ગઈ


સામાન્ય જનતાનું તો દરરોજ આમ જ અપમાન થાય છે સરકાર...

દેશનું બંધારણ કહે છે કે કાયદાની દ્રષ્ટીએ તો દરેક નાગરીક સમાન છે, પણ સરકાર કે પોલીસ કોઈ એમને સરખા ગણતું નથી, મંચ પરથી ઉતરવું પડ્યુ અને એ પણ નિયમો ભંગ કરવા બદલ તો પીઆઈ સામે કાર્યવાહી થઈ ગઈ, અને દરરોજ રસ્તા પર અધિકાર માટે ભટકતા લોકોનું શું! પોલીસ કામ કરે તો બદલી મળી જાય તો પોલીસે શું તમારી ચરણવંદનાનું જ કામ કરવાનું છે? શું ગુજરાત પોલીસ ક્યાંય પણ કાર્યવાહી કરાવ જાય તો ત્યાં જઈને પુછવાનું છે કે ભાઈ તમે ભાજપના કે એના કોઈ નજીકના તો નથીને...! જો આમ જ હોય તો પોલીસને ન્યાય-નીતિની મોટી ટ્રેનીંગ માટે સમય વેડફાવ્યા વગર આ જ શીખવી દેવું જોઈએ. 




લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.