ગુજરાત પોલીસને પોતાનું કામ કરવાની મનાઈ છે, સત્તાધિશોને અભિમાન ચઢ્યું છે કે અમને રોકવાની કોઈની તાકાત ના હોવી જોઈએ !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:29:14

સત્તા છે તો કાયદાને પગની નીચે કચડી નાખશો?


વડોદરામા માંજલપુરમાં એક ડાયરાનું આયોજન થયું હતું, ડાયરાનું નામ હતું માં-બાપને ભુલશો નહીં, કાર્યક્રમમાં મોટા-મોટા સંતો, ભાજપના નેતા બધા હાજર હતા, ભાજપના જ એક કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડનું આ આયોજન હતું, પણ આયોજન માટે કોઈ જ આગોતરી પરવાનગી ના લેવાતા માંજલપુર પી.આઈ વિજય દેસાઈ ત્યાં પહોંચ્યા અને સ્ટેજ પર જઈને માઈકમાં કહી દીધું કે પરવાનગી નથી એટલે કાર્યક્રમ આગળ નહીં થઈ શકે. સ્ટેજ પર રહેલા લોકોને પણ મંચ છોડી દેવાનું કહી દીધું. પણ તરત જ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના આદેશ છુટ્યા અને સ્પેશીયલ બ્રાન્યમાં બદલી કરી દેવાઈ


કોણ કોણ હતું મંચ પર?

ભાજપના કૉર્પોરેટર આયોજીત આ ડાયરામાં અશ્વિન જોશી, દ્વારકેશલાલજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ હતા, આ દરેક લોકોને પીઆઈએ મંચ પરથી ઉતરી જવાનું કહ્યું તો એમાં એમનું અપમાન થયાનું લાગ્યુ, તરત જ ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી થઈ અને એક જ મહિનાના પોસ્ટીંગમાં ટ્રાન્સફર મળી ગઈ


સામાન્ય જનતાનું તો દરરોજ આમ જ અપમાન થાય છે સરકાર...

દેશનું બંધારણ કહે છે કે કાયદાની દ્રષ્ટીએ તો દરેક નાગરીક સમાન છે, પણ સરકાર કે પોલીસ કોઈ એમને સરખા ગણતું નથી, મંચ પરથી ઉતરવું પડ્યુ અને એ પણ નિયમો ભંગ કરવા બદલ તો પીઆઈ સામે કાર્યવાહી થઈ ગઈ, અને દરરોજ રસ્તા પર અધિકાર માટે ભટકતા લોકોનું શું! પોલીસ કામ કરે તો બદલી મળી જાય તો પોલીસે શું તમારી ચરણવંદનાનું જ કામ કરવાનું છે? શું ગુજરાત પોલીસ ક્યાંય પણ કાર્યવાહી કરાવ જાય તો ત્યાં જઈને પુછવાનું છે કે ભાઈ તમે ભાજપના કે એના કોઈ નજીકના તો નથીને...! જો આમ જ હોય તો પોલીસને ન્યાય-નીતિની મોટી ટ્રેનીંગ માટે સમય વેડફાવ્યા વગર આ જ શીખવી દેવું જોઈએ. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.