Gandhinagar વિરોધ કરવા પહોંચેલા TET-TAT ઉમેદવારો સાથે પોલીસે કર્યું ગેરવર્તન! ઉમેદવરોની કરાઈ અટકાયત!


  • Published By :
  • Published Date : 2023-11-21 14:04:47

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે. અલગ અલગ રીતે ઉમેદવારોએ પોતાની વાત સરકાર સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ સરકાર સુધી ન પહોંચ્યો. જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ગાંધીનગરમાં અનેક વખત તેમણે આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે જ્યારે ગાંધીનગર ખાતે તેઓ આંદોલન કરવા પહોંચે છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે જે વર્તન કરવામાં આવે છે તે અશોભનિય છે. ઉમેદવારો આતંકવાદીઓ હોય એવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે.  

 ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાનું જણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ હતુ. તે દરમિયાન આ વિરોધની સામે પોલીસે વિરોધ કરનાર પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. 


ગાંધીનગર ખાતે ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ 

ભાવિ શિક્ષકો કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આવી છે. આપ દ્વારા દાંડી યાત્રા 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વખત સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમની માગ સરકાર સુધી નથી પહોંચતો.ગાંધીનગર ખાતે અનેક વખત ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવતી હતી. ત્યારે આજે પણ ઉમેદવારો વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. 

 આ પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઇને અનેક સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં 'અમારે જોઇએ કાયમી શિક્ષક', 'કાયમી શિક્ષકોની ભરતી કરો' જેવા નારા લગાવ્યા હતા. આ સાથે આ લોકોએ રોષ સાથે મીડિયાને કહ્યુ હતુ કે, અમે આતંકવાદીઓ છીએ? તો પોલીસ અમારી સાથે આવો વ્યવહાર કરી રહી છે?

 આ પ્રદર્શનકારીઓ જ્યારે શાંતિથી આવીને વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરતા મહિલાઓ અને પુરુષોને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા 11 માસના કરાર આધારિતની જ્ઞાન સહાયક ભરતીનો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી છે કે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે.

ઉમેદવારો સાથે પોલીસ કરે છે ગેરવર્તન 

ઉમેદવારો જ્યારે જ્યારે ગાંધીનગર ખાતે વિરોધ કરવા પહોંચે છે ત્યારે ત્યારે તેમને પોલીસના ગેરવર્તનનો શિકાર બનવું પડે છે. પોલીસ જાણે આતંકવાદીઓ સાથે વર્તન કરતી હોય તેવી રીતે ઉમેદવારો પર ત્રાટકી છે. આની પહેલા પણ પોલીસ દ્વારા આવા ઉમેદવારો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.