Gandhinagar વિરોધ કરવા પહોંચેલા TET-TAT ઉમેદવારો સાથે પોલીસે કર્યું ગેરવર્તન! ઉમેદવરોની કરાઈ અટકાયત!


  • Published By :
  • Published Date : 2023-11-21 14:04:47

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે. અલગ અલગ રીતે ઉમેદવારોએ પોતાની વાત સરકાર સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ સરકાર સુધી ન પહોંચ્યો. જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ગાંધીનગરમાં અનેક વખત તેમણે આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે જ્યારે ગાંધીનગર ખાતે તેઓ આંદોલન કરવા પહોંચે છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે જે વર્તન કરવામાં આવે છે તે અશોભનિય છે. ઉમેદવારો આતંકવાદીઓ હોય એવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે.  

 ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાનું જણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ હતુ. તે દરમિયાન આ વિરોધની સામે પોલીસે વિરોધ કરનાર પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. 


ગાંધીનગર ખાતે ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ 

ભાવિ શિક્ષકો કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આવી છે. આપ દ્વારા દાંડી યાત્રા 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વખત સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમની માગ સરકાર સુધી નથી પહોંચતો.ગાંધીનગર ખાતે અનેક વખત ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવતી હતી. ત્યારે આજે પણ ઉમેદવારો વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. 

 આ પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઇને અનેક સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં 'અમારે જોઇએ કાયમી શિક્ષક', 'કાયમી શિક્ષકોની ભરતી કરો' જેવા નારા લગાવ્યા હતા. આ સાથે આ લોકોએ રોષ સાથે મીડિયાને કહ્યુ હતુ કે, અમે આતંકવાદીઓ છીએ? તો પોલીસ અમારી સાથે આવો વ્યવહાર કરી રહી છે?

 આ પ્રદર્શનકારીઓ જ્યારે શાંતિથી આવીને વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરતા મહિલાઓ અને પુરુષોને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા 11 માસના કરાર આધારિતની જ્ઞાન સહાયક ભરતીનો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી છે કે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે.

ઉમેદવારો સાથે પોલીસ કરે છે ગેરવર્તન 

ઉમેદવારો જ્યારે જ્યારે ગાંધીનગર ખાતે વિરોધ કરવા પહોંચે છે ત્યારે ત્યારે તેમને પોલીસના ગેરવર્તનનો શિકાર બનવું પડે છે. પોલીસ જાણે આતંકવાદીઓ સાથે વર્તન કરતી હોય તેવી રીતે ઉમેદવારો પર ત્રાટકી છે. આની પહેલા પણ પોલીસ દ્વારા આવા ઉમેદવારો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.