Gandhinagar વિરોધ કરવા પહોંચેલા TET-TAT ઉમેદવારો સાથે પોલીસે કર્યું ગેરવર્તન! ઉમેદવરોની કરાઈ અટકાયત!


  • Published By :
  • Published Date : 2023-11-21 14:04:47

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે. અલગ અલગ રીતે ઉમેદવારોએ પોતાની વાત સરકાર સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ સરકાર સુધી ન પહોંચ્યો. જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ગાંધીનગરમાં અનેક વખત તેમણે આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે જ્યારે ગાંધીનગર ખાતે તેઓ આંદોલન કરવા પહોંચે છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે જે વર્તન કરવામાં આવે છે તે અશોભનિય છે. ઉમેદવારો આતંકવાદીઓ હોય એવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે.  

 ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાનું જણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ હતુ. તે દરમિયાન આ વિરોધની સામે પોલીસે વિરોધ કરનાર પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. 


ગાંધીનગર ખાતે ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ 

ભાવિ શિક્ષકો કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આવી છે. આપ દ્વારા દાંડી યાત્રા 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વખત સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમની માગ સરકાર સુધી નથી પહોંચતો.ગાંધીનગર ખાતે અનેક વખત ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવતી હતી. ત્યારે આજે પણ ઉમેદવારો વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. 

 આ પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઇને અનેક સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં 'અમારે જોઇએ કાયમી શિક્ષક', 'કાયમી શિક્ષકોની ભરતી કરો' જેવા નારા લગાવ્યા હતા. આ સાથે આ લોકોએ રોષ સાથે મીડિયાને કહ્યુ હતુ કે, અમે આતંકવાદીઓ છીએ? તો પોલીસ અમારી સાથે આવો વ્યવહાર કરી રહી છે?

 આ પ્રદર્શનકારીઓ જ્યારે શાંતિથી આવીને વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરતા મહિલાઓ અને પુરુષોને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા 11 માસના કરાર આધારિતની જ્ઞાન સહાયક ભરતીનો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી છે કે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે.

ઉમેદવારો સાથે પોલીસ કરે છે ગેરવર્તન 

ઉમેદવારો જ્યારે જ્યારે ગાંધીનગર ખાતે વિરોધ કરવા પહોંચે છે ત્યારે ત્યારે તેમને પોલીસના ગેરવર્તનનો શિકાર બનવું પડે છે. પોલીસ જાણે આતંકવાદીઓ સાથે વર્તન કરતી હોય તેવી રીતે ઉમેદવારો પર ત્રાટકી છે. આની પહેલા પણ પોલીસ દ્વારા આવા ઉમેદવારો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી