Ahmedabadમાં પોલીસ કર્મચારીઓ જ બેફામ બન્યા! પોલીસની પ્લેટ લગાવેલી ગાડીએ લોકોને અડફેટે લીધા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-05 09:16:28

અકસ્માતની ઘટનામાં ઘરખમ વધારો થયો છે અને તેમાં પણ આજકાલ તો હિટ એન્ડ રનના અનેક બનાવો સામે આવી રહ્યા છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ જાય છે. દારૂ પીને નશાની હાલતમાં વાહનચાલકો વાહન ચલાવતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. નશાની હાલતમાં બેફામ બનેલા વાહનચાલકોને પકડવાની કામગીરી પોલીસ કરતી હોય છે. આ તેમની જવાબદારીમાં આવે છે પરંતુ અમદાવાદમાં પોલીસ કર્મચારી દારૂ પીને પુરપાટ ઝડપે કાર ચલાવતો ઝડપાયો છે. બેફામ બનેલા નબીરાઓને પકડતી પોલીસ સામે જ સવાલો ઉભા થઇ રહ્યા છે. આ પોલીસકર્મીની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે.  

નાના ચિલોડા પાસે અકસ્માત સર્જનાર પોલીસ કર્મી હતો!

અમદાવાદના નાના ચિલોડા કરાઈ કટ પાસે રાતના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક કાર ચાલકે અન્ય એક કાર અને એક્ટિવાચાલકને અડફેટે લીધા હતા, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય કારચાલકને પણ ઈજા પહોંચી હતી. કાર ચાલકની કાર પર પોલીસનું બોર્ડ લાગેલું હતું. અકસ્માત કરનાર કારચાલક પોલીસકર્મી હતો તથા દારૂ પીધેલી હાલતમાં હતો, જેની સામે નરોડા પોલીસે અકસ્માતના ગુનામાં સાપરાધ મન્યુષ્યવધનો ગુનો નોંધ્યો છે.


DCP સફીન હસન સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી!

1-2 દિવસ પહેલા રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ નાના ચિલોડા રોડથી અગોરા સર્કલ તરફ જવાના રસ્તે કરાઈ કટ પાસે હોન્ડા અમેઝ કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી, જેમાં આગળ પોલીસની પ્લેટ લાગેલી હતી. તથા ગાડી પર સ્ટિકર પણ લાગેલું હતું. આ ગાડીના ચાલકે આગળ જઈ રહેલા અર્ટિકા અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા. એમાં અન્ય કારચાલકને ઈજા પહોંચી હતી તથા એક્ટિવાચાલક દૂર સુધી ઢસડાયો હતો, જેને સમગ્ર શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. એક્ટિવાનો કચ્ચરઘાણ બોલાવી ગયો હતો.ઘટનાના પગલે ટ્રાફિક DCP સફિન હસન સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી 


ગાડીમાંથી બોટલ પણ મળી આવી !

બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. અકસ્માત કરનારની કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. કારચાલક પણ દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો. અકસ્માત કરનારનું નામ ચિરાગ વાઘેલા અને વાડજનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં એક્ટિવા ચલાવનાર પ્રણવ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જેને હાથ, મોઢે તથા પગના ભાગે ઈજા પહોંચી છે.

નરોડા પોલીસે માનવવધનો ગુન્હો દાખલ કર્યો!

અકસ્માત કરનાર ચિરાગ વાઘેલા ગાંધીનગર પોલીસમાં એમ.ટી વિભાગમાં ફરજ બજાવે છે. દારૂ પીને બેફામ રીતે ગાડી ચલાવી અકસ્માત કર્યો એ બદલ નરોડા પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. પોતે દારૂ પીધેલી હાલતમાં હોવા છતાં લોકોનો જીવ જઈ શકે એવી જાણ હોવા છતાં કૃત્ય કરવા બદલ કલમ 308 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત દારૂની બોટલ મળી આવતાં એ મામલે પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.


અનેક પોલીસકર્મીઓ હશે જે નશાની હાલતમાં ગાડી ચલાવતા હશે!

ત્યારે સવાલ એ થાય છે કે આ પોલીસનો ટેગ લગાવીને ફરતા કેટલાય આવા લોકો હશે જે દારૂ પીને નશાની હાલતમાં બેફામ રીતે ગાડીઓ ચલાવી સામાન્ય માણસોને હેરાન કરતા હશે. એમના પર પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી લગામ લગાવવાની જરૂર છે.આ તો કદાચ એક પોલીસ કર્મચારી છે જે અકસ્માત થયો એટલે ઝડપાઇ ગયો બાકી રાત્રીના સમયે અમદાવાદ શહેરમાં આવા નબીરાઓ ખુલ્લેઆમ નશાની હાલતમાં કાર અને બાઈક સાથે સ્ટન્ટ કરતા નજરે ચડતા હોય છે.આવા લોકોના કારણે શહેરના સામાન્ય માણસોમાં ડરનો માહોલ ઉભો થાય છે અને કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થાય છે. આશા છે કે અમદાવાદ અને ગાંધીનગરની પોલીસ આવા નબીરાઓને એવો પાઠ ભણાવશે કે બીજી વખત શહેરમાં ડરનો માહોલ ઉભો કરતા પહેલા એ પોતે પહેલા ડરે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી