અમદાવાદના ઈન્ટરનેશનલ સ્પામાં પોલીસના દરોડા, પોલીસે ટ્રિક અપનાવી રેડ કરી


  • Published By :
  • Published Date : 2023-09-28 14:07:21

અમદાવાદમાં શહેરમાં બિલાડીની ટોપની જેમ સ્પા સેન્ટરો ખુલી રહ્યા છે અને પોલીસ દ્વારા સ્પાના નામે કુટણખાનું ચલાવતા લોકો પર તવાઈ પણ બોલાવવામાં આવી રહી છે અમદાવાદમાં દિવસ ઉગે અને એક નવુ સ્પા ચાલુ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં મોટા ભાગના સ્પા મસાજના નામે દેહવ્યાપારનો ખુલ્લેઆમ ધંધો ચલાવે છે જેમાં મહિલા પોલીસ માત્ર નામ પૂરતી કાર્યવાહી કરતી હોય તેવું લાગી રહ્યું છે

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવું જ એક સ્પા પર ઓઢવ પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી રેડ કરવામાં આવી હતી ઓઢવ વિસ્તારમાં ચાલતા બોધી ઈન્ટરનેશનલ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા..જેમાં પોલીસે 3 ગ્રાહક, માલિક સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે 


પોલીસની ટ્રિકથી ભાંડો ફૂટ્યો

અમદાવાદ ઓઢવના ધર્મકુંજ કોમ્પલેક્ષમાં સ્પાના નામે દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળી હતી પરંતુ આ સ્પા સંચાલકનો પર્દાફાશ કરવા પોલીસે એક જબરી ટ્રિકથી દેહવ્યાપારના પર્દાફાશ કર્યો હતો...પોલીસે એક ડમી ગ્રાહક ઊભો કર્યો આ ડમી ગ્રાહકને બે હજારની ચલણી નોટો આપી હતી અને સમજાવી દીધો હતો કે સ્પા સેન્ટરમાં મેનેજર અને માલિક હોય તો તેને ભાવતાલ નક્કી કરવાનો છે. ભાવતાલ નક્કી થઇ ગયા બાદ પોલીસને મિસકોલ મારીને સિગ્નલ આપી દેવાનું છે. ડમી ગ્રાહક જ્યારે સ્પા સેન્ટરમાં ગયો ત્યારે તેને મેનેજર સાથે ભાવ નક્કી કર્યો હતો અને બાદમાં યુવતી સાથે મસાજ કરાવવા માટે ગયો ત્યારે તેણે મિસકોલ મારીને તરત જ સિગ્નલ આપી દીધું હતું. ઓઢવ પોલીસે તરત જ રેડ કરી લીધી હતી.

ઓઢવ પોલીસને સ્પામાંથી મિઝોરમ, નાગાલેન્ડ સહિત અન્ય યુવતીઓ મળી આવી હતી જોકે આ રેડ બાદ પોલીસ સ્પાના માલિક સહિત 5 લોકોને જેલ ભેગા કરી દીધા હતા 

ઓઢવ વિસ્તારમાં આ સિવાય ઘણા સ્પા ધમધમી રહ્યા છે જે કોમ્પલેક્ષમાં ઓઢવ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી તે ધર્મકુંજ કોમ્પલેક્ષમાં બીજા અન્ય સ્પા સેન્ટર પણ ચાલી રહ્યા છે જેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો પોલીસને અન્ય બીજી સફળતા મળી શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.