અમદાવાદના ઈન્ટરનેશનલ સ્પામાં પોલીસના દરોડા, પોલીસે ટ્રિક અપનાવી રેડ કરી


  • Published By :
  • Published Date : 2023-09-28 14:07:21

અમદાવાદમાં શહેરમાં બિલાડીની ટોપની જેમ સ્પા સેન્ટરો ખુલી રહ્યા છે અને પોલીસ દ્વારા સ્પાના નામે કુટણખાનું ચલાવતા લોકો પર તવાઈ પણ બોલાવવામાં આવી રહી છે અમદાવાદમાં દિવસ ઉગે અને એક નવુ સ્પા ચાલુ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં મોટા ભાગના સ્પા મસાજના નામે દેહવ્યાપારનો ખુલ્લેઆમ ધંધો ચલાવે છે જેમાં મહિલા પોલીસ માત્ર નામ પૂરતી કાર્યવાહી કરતી હોય તેવું લાગી રહ્યું છે

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવું જ એક સ્પા પર ઓઢવ પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી રેડ કરવામાં આવી હતી ઓઢવ વિસ્તારમાં ચાલતા બોધી ઈન્ટરનેશનલ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા..જેમાં પોલીસે 3 ગ્રાહક, માલિક સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે 


પોલીસની ટ્રિકથી ભાંડો ફૂટ્યો

અમદાવાદ ઓઢવના ધર્મકુંજ કોમ્પલેક્ષમાં સ્પાના નામે દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળી હતી પરંતુ આ સ્પા સંચાલકનો પર્દાફાશ કરવા પોલીસે એક જબરી ટ્રિકથી દેહવ્યાપારના પર્દાફાશ કર્યો હતો...પોલીસે એક ડમી ગ્રાહક ઊભો કર્યો આ ડમી ગ્રાહકને બે હજારની ચલણી નોટો આપી હતી અને સમજાવી દીધો હતો કે સ્પા સેન્ટરમાં મેનેજર અને માલિક હોય તો તેને ભાવતાલ નક્કી કરવાનો છે. ભાવતાલ નક્કી થઇ ગયા બાદ પોલીસને મિસકોલ મારીને સિગ્નલ આપી દેવાનું છે. ડમી ગ્રાહક જ્યારે સ્પા સેન્ટરમાં ગયો ત્યારે તેને મેનેજર સાથે ભાવ નક્કી કર્યો હતો અને બાદમાં યુવતી સાથે મસાજ કરાવવા માટે ગયો ત્યારે તેણે મિસકોલ મારીને તરત જ સિગ્નલ આપી દીધું હતું. ઓઢવ પોલીસે તરત જ રેડ કરી લીધી હતી.

ઓઢવ પોલીસને સ્પામાંથી મિઝોરમ, નાગાલેન્ડ સહિત અન્ય યુવતીઓ મળી આવી હતી જોકે આ રેડ બાદ પોલીસ સ્પાના માલિક સહિત 5 લોકોને જેલ ભેગા કરી દીધા હતા 

ઓઢવ વિસ્તારમાં આ સિવાય ઘણા સ્પા ધમધમી રહ્યા છે જે કોમ્પલેક્ષમાં ઓઢવ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી તે ધર્મકુંજ કોમ્પલેક્ષમાં બીજા અન્ય સ્પા સેન્ટર પણ ચાલી રહ્યા છે જેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો પોલીસને અન્ય બીજી સફળતા મળી શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.