અમદાવાદના ઈન્ટરનેશનલ સ્પામાં પોલીસના દરોડા, પોલીસે ટ્રિક અપનાવી રેડ કરી


  • Published By :
  • Published Date : 2023-09-28 14:07:21

અમદાવાદમાં શહેરમાં બિલાડીની ટોપની જેમ સ્પા સેન્ટરો ખુલી રહ્યા છે અને પોલીસ દ્વારા સ્પાના નામે કુટણખાનું ચલાવતા લોકો પર તવાઈ પણ બોલાવવામાં આવી રહી છે અમદાવાદમાં દિવસ ઉગે અને એક નવુ સ્પા ચાલુ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં મોટા ભાગના સ્પા મસાજના નામે દેહવ્યાપારનો ખુલ્લેઆમ ધંધો ચલાવે છે જેમાં મહિલા પોલીસ માત્ર નામ પૂરતી કાર્યવાહી કરતી હોય તેવું લાગી રહ્યું છે

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવું જ એક સ્પા પર ઓઢવ પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી રેડ કરવામાં આવી હતી ઓઢવ વિસ્તારમાં ચાલતા બોધી ઈન્ટરનેશનલ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા..જેમાં પોલીસે 3 ગ્રાહક, માલિક સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે 


પોલીસની ટ્રિકથી ભાંડો ફૂટ્યો

અમદાવાદ ઓઢવના ધર્મકુંજ કોમ્પલેક્ષમાં સ્પાના નામે દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે તેવી બાતમી પોલીસને મળી હતી પરંતુ આ સ્પા સંચાલકનો પર્દાફાશ કરવા પોલીસે એક જબરી ટ્રિકથી દેહવ્યાપારના પર્દાફાશ કર્યો હતો...પોલીસે એક ડમી ગ્રાહક ઊભો કર્યો આ ડમી ગ્રાહકને બે હજારની ચલણી નોટો આપી હતી અને સમજાવી દીધો હતો કે સ્પા સેન્ટરમાં મેનેજર અને માલિક હોય તો તેને ભાવતાલ નક્કી કરવાનો છે. ભાવતાલ નક્કી થઇ ગયા બાદ પોલીસને મિસકોલ મારીને સિગ્નલ આપી દેવાનું છે. ડમી ગ્રાહક જ્યારે સ્પા સેન્ટરમાં ગયો ત્યારે તેને મેનેજર સાથે ભાવ નક્કી કર્યો હતો અને બાદમાં યુવતી સાથે મસાજ કરાવવા માટે ગયો ત્યારે તેણે મિસકોલ મારીને તરત જ સિગ્નલ આપી દીધું હતું. ઓઢવ પોલીસે તરત જ રેડ કરી લીધી હતી.

ઓઢવ પોલીસને સ્પામાંથી મિઝોરમ, નાગાલેન્ડ સહિત અન્ય યુવતીઓ મળી આવી હતી જોકે આ રેડ બાદ પોલીસ સ્પાના માલિક સહિત 5 લોકોને જેલ ભેગા કરી દીધા હતા 

ઓઢવ વિસ્તારમાં આ સિવાય ઘણા સ્પા ધમધમી રહ્યા છે જે કોમ્પલેક્ષમાં ઓઢવ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી તે ધર્મકુંજ કોમ્પલેક્ષમાં બીજા અન્ય સ્પા સેન્ટર પણ ચાલી રહ્યા છે જેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો પોલીસને અન્ય બીજી સફળતા મળી શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.