Porbandarમાં Policeનું જબરજસ્ત કામ!, જે ગુંડાનું નામ પડતાં જ લોકો ફફડે એનું પોલીસે સરઘસ કાઢ્યું!


  • Published By :
  • Published Date : 2023-12-16 16:36:38

અમુક ગુંડાઓ એવા હોય કે જેનાથી લોકો તો શું નેતાઓ પણ ડરતા હોય છે. અને આજે એવા જ એક ગુંડાની વાત કરવી છે પણ જેનાથી મોટા મોટા લોકો ડરે છે એને એસપી જાડેજાએ ઔકાત બતાવી છે. પોરબંદર જ્યાં  ગાંધીનો જન્મ થયો અને એને ગાંધીની ભૂમિ કહેવાય પણ આ ગાંધીની ભૂમિ પર ગુંડાગીરી ચરમ સીમાએ પહોંચી છે. એક ગુંડો જેનું નામ રમેશ છેલાણા. આ એક એવું નામ છે જેનાથી લોકો ડરે ઠે પરંતુ નેતાઓ પણ આવા ગુંડાથી ડર્યા છે! પરંતુ આ ગુંડાને તેની અસલી ઔકાત એસપી જાડેજાએ બતાવી છે.

10 લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી

પોરબંદરના એસપી જાડેજાએ પોરબંદર નજીકના ઓડદર ગામની છેલાણા ગેંગના ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમના બે દિવસના રિમાન્ડ લેવાયા હતા, ત્યારે હવે આ શખ્સો સહિત કુલ ૧૦ શખ્સો સામે પોલીસે ગુજસીટોકનું હથીયાર ઉગામ્યું છે, પોલીસના આ નિર્ણયને કારણે સમગ્ર જિલ્લામાં ખુશી છે અને લોકો પોલીસની કામગીરીની દાદ દઈ રહ્યા છે. 


બે દિવસના રિમાન્ડ કરાયા મંજૂર 

આડેદર ગામે રહેતા રમેશ છેલાણા અને તેના સાગરીતો સામે ગામમાં જ રહેતા બે પરિવારોને ધાકધમકી આપી તેની પાસેથી લાખો રૂપિયાની ખંડણી કરી તેમને ગામ મુકાવ્યું હોવાની વાત આવી હતી. આ મુદ્દે તારીખ ર૩ અને રપ નવેમ્બર ર૦ર૩ના રોજ ફરિયાદ નોંધાઈ. પછી આ લોકો ફરાર થઈ ગયા અને પોલીસ આ બધા આરોપીને રાજસ્થાનની પકડી લાવ્યા. ઝડપાયેલા શખ્સોમાં રમેશ ઉપરાંત કાના  છેલાણા, રામા છેલાણા અને ભાવેશ  છેલાણાને ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા  હતા. જેમાં રિમાન્ડ દરમ્યાન ચારેય શખ્સોને આડેદર ખાતે લઇ જવાયા.


પોરબંદર એસપીએ ટ્વિટર પર મૂકી ટ્વિટ 

પોલીસે રી-કન્સ્ટ્રકશન પણ કરાવ્યું. આ લોકો સામે પોલીસે ધાકધમકી, મારામારી, પ્રોહીબીશન, ખૂનની કોશિશ,ખંડણી અને બે પરિવારોને ગામ મુકાવવા સહિત અઢળક ગુન્હાઓ નોંધાયા છે. જેથી LCBએ આ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રેંજ આઈજી સમક્ષ દરખાસ્ત કરી હતી. જે મંજુર થતા રમેશ છેલાણા ઉપરાંત તેની ગેંગના અન્ય ૯ સાગરીતો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. ટ્વિટર પર એસપી પોરબંદર દ્વારા ટ્વિટ કરવામાં આવી છે જેમાં બિફોર અને આફ્ટર મૂકવામાં આવ્યું છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.