Porbandarમાં Policeનું જબરજસ્ત કામ!, જે ગુંડાનું નામ પડતાં જ લોકો ફફડે એનું પોલીસે સરઘસ કાઢ્યું!


  • Published By :
  • Published Date : 2023-12-16 16:36:38

અમુક ગુંડાઓ એવા હોય કે જેનાથી લોકો તો શું નેતાઓ પણ ડરતા હોય છે. અને આજે એવા જ એક ગુંડાની વાત કરવી છે પણ જેનાથી મોટા મોટા લોકો ડરે છે એને એસપી જાડેજાએ ઔકાત બતાવી છે. પોરબંદર જ્યાં  ગાંધીનો જન્મ થયો અને એને ગાંધીની ભૂમિ કહેવાય પણ આ ગાંધીની ભૂમિ પર ગુંડાગીરી ચરમ સીમાએ પહોંચી છે. એક ગુંડો જેનું નામ રમેશ છેલાણા. આ એક એવું નામ છે જેનાથી લોકો ડરે ઠે પરંતુ નેતાઓ પણ આવા ગુંડાથી ડર્યા છે! પરંતુ આ ગુંડાને તેની અસલી ઔકાત એસપી જાડેજાએ બતાવી છે.

10 લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી

પોરબંદરના એસપી જાડેજાએ પોરબંદર નજીકના ઓડદર ગામની છેલાણા ગેંગના ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમના બે દિવસના રિમાન્ડ લેવાયા હતા, ત્યારે હવે આ શખ્સો સહિત કુલ ૧૦ શખ્સો સામે પોલીસે ગુજસીટોકનું હથીયાર ઉગામ્યું છે, પોલીસના આ નિર્ણયને કારણે સમગ્ર જિલ્લામાં ખુશી છે અને લોકો પોલીસની કામગીરીની દાદ દઈ રહ્યા છે. 


બે દિવસના રિમાન્ડ કરાયા મંજૂર 

આડેદર ગામે રહેતા રમેશ છેલાણા અને તેના સાગરીતો સામે ગામમાં જ રહેતા બે પરિવારોને ધાકધમકી આપી તેની પાસેથી લાખો રૂપિયાની ખંડણી કરી તેમને ગામ મુકાવ્યું હોવાની વાત આવી હતી. આ મુદ્દે તારીખ ર૩ અને રપ નવેમ્બર ર૦ર૩ના રોજ ફરિયાદ નોંધાઈ. પછી આ લોકો ફરાર થઈ ગયા અને પોલીસ આ બધા આરોપીને રાજસ્થાનની પકડી લાવ્યા. ઝડપાયેલા શખ્સોમાં રમેશ ઉપરાંત કાના  છેલાણા, રામા છેલાણા અને ભાવેશ  છેલાણાને ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા  હતા. જેમાં રિમાન્ડ દરમ્યાન ચારેય શખ્સોને આડેદર ખાતે લઇ જવાયા.


પોરબંદર એસપીએ ટ્વિટર પર મૂકી ટ્વિટ 

પોલીસે રી-કન્સ્ટ્રકશન પણ કરાવ્યું. આ લોકો સામે પોલીસે ધાકધમકી, મારામારી, પ્રોહીબીશન, ખૂનની કોશિશ,ખંડણી અને બે પરિવારોને ગામ મુકાવવા સહિત અઢળક ગુન્હાઓ નોંધાયા છે. જેથી LCBએ આ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રેંજ આઈજી સમક્ષ દરખાસ્ત કરી હતી. જે મંજુર થતા રમેશ છેલાણા ઉપરાંત તેની ગેંગના અન્ય ૯ સાગરીતો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. ટ્વિટર પર એસપી પોરબંદર દ્વારા ટ્વિટ કરવામાં આવી છે જેમાં બિફોર અને આફ્ટર મૂકવામાં આવ્યું છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.