ગુજરાતની અનેક જેલોમાં પોલીસનું સર્ચ ઓપરેશન, જેલમાંથી મળ્યા મોબાઇલ ફોન અને અનેક વાંધાજનક વસ્તુઓ!


  • Published By :
  • Published Date : 2023-03-25 12:35:38

થોડા ઘણા સમયથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા હર્ષ સંઘવી સાબરમતી જેલની સરપ્રાઈઝ વીઝિટ લેવા પહોંચી ગયા હતા. ત્યારે ગઈકાલે રાજ્યની અનેક જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર રાજ્યની 17 જેલોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌપ્રથમ વખત જેલ વિભાગને સાથે રાખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ, સુરત, પોરબંદર, મહેસાણા, નડિયાદ સહિતની જેલોમાં આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન અનેક મોબાઈલ ફોન તેમજ ગુટખાના પેકેટ મળી આવ્યા હતા. ગઈકાલે ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠક બાદ પોલીસ દ્વારા જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.    


રાજ્યની 17 જેટલી જેલોમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન  

શુક્રવાર સાંજે ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યના ડીજીપી સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ગૃહવિભાગ બાદ દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. દરોડાને પગલે જેલના અધિકારીઓમાં ફફળાટ જોવા મળ્યો હતો. આ સમગ્ર દરોડાની પ્રક્રિયા પર ગૃહરાજ્યમંત્રી,ડીજીપી, જેલ વિભાગના વડા નજર રાખી રહ્યા હતા. આ આખા ઓપરેશનને મુખ્યમંત્રી સીએમ ડેશ બોર્ડથી લાઈવ જોઈ રહ્યા હતા જ્યારે હર્ષ સંઘવી કમાન્ડ કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા હતા. 



સર્ચ ઓપરેશન દરમિયાન જેલમાંથી મળ્યા મોબાઈલ ફોન 

આ ઓપરેશનમાં 1700 જેટલા પોલીસ કર્મીઓનો સમાવેશ થયો હતો. બોડીવોર્ન કેમેરા સાથે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજીત રાત્રીના 9 વાગ્યાથી શરૂ થયેલું ઓપરેશન સવાર સુધી ચાલ્યું હતું. દરોડા દરમિયાન પોલીસકર્મીઓએ જેલમાંથી મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મોબાઈલ ફોન સિવાય જેલમાંથી હેરોઈન તેમજ ગુટખાના પેકેટો પણ મળી આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ બધી વસ્તુ જેલમાં ક્યાંથી પહોંચે.ત્યારે આવનાર દિવસોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવા તર્ક વિતર્ક હાલ જોવા મળી રહ્યા છે. જેલમાંથી વસ્તુઓ મળી આવતા હર્ષ સંઘવીએ આજે બેઠક બોલાવી છે. 


    

  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.