ગુજરાતની અનેક જેલોમાં પોલીસનું સર્ચ ઓપરેશન, જેલમાંથી મળ્યા મોબાઇલ ફોન અને અનેક વાંધાજનક વસ્તુઓ!


  • Published By :
  • Published Date : 2023-03-25 12:35:38

થોડા ઘણા સમયથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા હર્ષ સંઘવી સાબરમતી જેલની સરપ્રાઈઝ વીઝિટ લેવા પહોંચી ગયા હતા. ત્યારે ગઈકાલે રાજ્યની અનેક જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર રાજ્યની 17 જેલોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌપ્રથમ વખત જેલ વિભાગને સાથે રાખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ, સુરત, પોરબંદર, મહેસાણા, નડિયાદ સહિતની જેલોમાં આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન અનેક મોબાઈલ ફોન તેમજ ગુટખાના પેકેટ મળી આવ્યા હતા. ગઈકાલે ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠક બાદ પોલીસ દ્વારા જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.    


રાજ્યની 17 જેટલી જેલોમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન  

શુક્રવાર સાંજે ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યના ડીજીપી સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ગૃહવિભાગ બાદ દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. દરોડાને પગલે જેલના અધિકારીઓમાં ફફળાટ જોવા મળ્યો હતો. આ સમગ્ર દરોડાની પ્રક્રિયા પર ગૃહરાજ્યમંત્રી,ડીજીપી, જેલ વિભાગના વડા નજર રાખી રહ્યા હતા. આ આખા ઓપરેશનને મુખ્યમંત્રી સીએમ ડેશ બોર્ડથી લાઈવ જોઈ રહ્યા હતા જ્યારે હર્ષ સંઘવી કમાન્ડ કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા હતા. 



સર્ચ ઓપરેશન દરમિયાન જેલમાંથી મળ્યા મોબાઈલ ફોન 

આ ઓપરેશનમાં 1700 જેટલા પોલીસ કર્મીઓનો સમાવેશ થયો હતો. બોડીવોર્ન કેમેરા સાથે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજીત રાત્રીના 9 વાગ્યાથી શરૂ થયેલું ઓપરેશન સવાર સુધી ચાલ્યું હતું. દરોડા દરમિયાન પોલીસકર્મીઓએ જેલમાંથી મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મોબાઈલ ફોન સિવાય જેલમાંથી હેરોઈન તેમજ ગુટખાના પેકેટો પણ મળી આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ બધી વસ્તુ જેલમાં ક્યાંથી પહોંચે.ત્યારે આવનાર દિવસોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવા તર્ક વિતર્ક હાલ જોવા મળી રહ્યા છે. જેલમાંથી વસ્તુઓ મળી આવતા હર્ષ સંઘવીએ આજે બેઠક બોલાવી છે. 


    

  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.