ગુજરાતની અનેક જેલોમાં પોલીસનું સર્ચ ઓપરેશન, જેલમાંથી મળ્યા મોબાઇલ ફોન અને અનેક વાંધાજનક વસ્તુઓ!


  • Published By :
  • Published Date : 2023-03-25 12:35:38

થોડા ઘણા સમયથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા હર્ષ સંઘવી સાબરમતી જેલની સરપ્રાઈઝ વીઝિટ લેવા પહોંચી ગયા હતા. ત્યારે ગઈકાલે રાજ્યની અનેક જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર રાજ્યની 17 જેલોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌપ્રથમ વખત જેલ વિભાગને સાથે રાખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ, સુરત, પોરબંદર, મહેસાણા, નડિયાદ સહિતની જેલોમાં આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન અનેક મોબાઈલ ફોન તેમજ ગુટખાના પેકેટ મળી આવ્યા હતા. ગઈકાલે ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠક બાદ પોલીસ દ્વારા જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.    


રાજ્યની 17 જેટલી જેલોમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન  

શુક્રવાર સાંજે ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યના ડીજીપી સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ગૃહવિભાગ બાદ દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. દરોડાને પગલે જેલના અધિકારીઓમાં ફફળાટ જોવા મળ્યો હતો. આ સમગ્ર દરોડાની પ્રક્રિયા પર ગૃહરાજ્યમંત્રી,ડીજીપી, જેલ વિભાગના વડા નજર રાખી રહ્યા હતા. આ આખા ઓપરેશનને મુખ્યમંત્રી સીએમ ડેશ બોર્ડથી લાઈવ જોઈ રહ્યા હતા જ્યારે હર્ષ સંઘવી કમાન્ડ કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા હતા. 



સર્ચ ઓપરેશન દરમિયાન જેલમાંથી મળ્યા મોબાઈલ ફોન 

આ ઓપરેશનમાં 1700 જેટલા પોલીસ કર્મીઓનો સમાવેશ થયો હતો. બોડીવોર્ન કેમેરા સાથે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજીત રાત્રીના 9 વાગ્યાથી શરૂ થયેલું ઓપરેશન સવાર સુધી ચાલ્યું હતું. દરોડા દરમિયાન પોલીસકર્મીઓએ જેલમાંથી મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મોબાઈલ ફોન સિવાય જેલમાંથી હેરોઈન તેમજ ગુટખાના પેકેટો પણ મળી આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ બધી વસ્તુ જેલમાં ક્યાંથી પહોંચે.ત્યારે આવનાર દિવસોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવા તર્ક વિતર્ક હાલ જોવા મળી રહ્યા છે. જેલમાંથી વસ્તુઓ મળી આવતા હર્ષ સંઘવીએ આજે બેઠક બોલાવી છે. 


    

  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.