ગુજરાતની અનેક જેલોમાં પોલીસનું સર્ચ ઓપરેશન, જેલમાંથી મળ્યા મોબાઇલ ફોન અને અનેક વાંધાજનક વસ્તુઓ!


  • Published By :
  • Published Date : 2023-03-25 12:35:38

થોડા ઘણા સમયથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા હર્ષ સંઘવી સાબરમતી જેલની સરપ્રાઈઝ વીઝિટ લેવા પહોંચી ગયા હતા. ત્યારે ગઈકાલે રાજ્યની અનેક જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર રાજ્યની 17 જેલોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌપ્રથમ વખત જેલ વિભાગને સાથે રાખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ, સુરત, પોરબંદર, મહેસાણા, નડિયાદ સહિતની જેલોમાં આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન અનેક મોબાઈલ ફોન તેમજ ગુટખાના પેકેટ મળી આવ્યા હતા. ગઈકાલે ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠક બાદ પોલીસ દ્વારા જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.    


રાજ્યની 17 જેટલી જેલોમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન  

શુક્રવાર સાંજે ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યના ડીજીપી સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ગૃહવિભાગ બાદ દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. દરોડાને પગલે જેલના અધિકારીઓમાં ફફળાટ જોવા મળ્યો હતો. આ સમગ્ર દરોડાની પ્રક્રિયા પર ગૃહરાજ્યમંત્રી,ડીજીપી, જેલ વિભાગના વડા નજર રાખી રહ્યા હતા. આ આખા ઓપરેશનને મુખ્યમંત્રી સીએમ ડેશ બોર્ડથી લાઈવ જોઈ રહ્યા હતા જ્યારે હર્ષ સંઘવી કમાન્ડ કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા હતા. 



સર્ચ ઓપરેશન દરમિયાન જેલમાંથી મળ્યા મોબાઈલ ફોન 

આ ઓપરેશનમાં 1700 જેટલા પોલીસ કર્મીઓનો સમાવેશ થયો હતો. બોડીવોર્ન કેમેરા સાથે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજીત રાત્રીના 9 વાગ્યાથી શરૂ થયેલું ઓપરેશન સવાર સુધી ચાલ્યું હતું. દરોડા દરમિયાન પોલીસકર્મીઓએ જેલમાંથી મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મોબાઈલ ફોન સિવાય જેલમાંથી હેરોઈન તેમજ ગુટખાના પેકેટો પણ મળી આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ બધી વસ્તુ જેલમાં ક્યાંથી પહોંચે.ત્યારે આવનાર દિવસોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવા તર્ક વિતર્ક હાલ જોવા મળી રહ્યા છે. જેલમાંથી વસ્તુઓ મળી આવતા હર્ષ સંઘવીએ આજે બેઠક બોલાવી છે. 


    

  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.