સુરતના રેસ્ટોરન્ટમાંથી 60 કિલો ગૌ-માંસ મળી આવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 12:35:04

આજકાલ અનેક લોકો માંસાહારી ખાવાના શોખીન બન્યા છે. ત્યારે સુરતના લાલગેટ હોડી બંગલા વિસ્તારની રેસ્ટોરન્ટમાંથી પોલીસે રેડ કરી 60 કિલો ગૌ-માંસ પકડી પાડ્યું છે. જેને કારણે આસપાસના લોકોમાં ભારે અફરા-તફરી સર્જાઈ હતી. બાતમીને આધારે પોલીસે દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટરોરન્ટમાં રેડ કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે. ગૌ માંસ મળી આવતા પોલીસે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે.

60 કિલો ગૌ-માંસ રેસ્ટોરન્ટમાંથી મળતા માલિકની કરાઈ ધરપકડ

દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટરોરન્ટ છેલ્લા 4 વર્ષથી ચાલતું હોવાને કારણે અનેક લોકો નોન-વેજ ખાવા અહીં આવે છે. પોલીસને આશંકા હતી કે નોનવેજની આઈટમોમાં ગૌ-માસ ભેળવી લોકોને ખવડાવવાંમાં આવે છે. બાતમીના આધારે જ્યારે રેડ કરી ત્યારે ફ્રિઝમાં રહેલી અલગ-અલગ થેલીઓમાંથી ગૌ-માંસ મળી આવ્યું. પકડાયેલા માંસને રિપોર્ટ માટે મોકલાયું હતું. એફએસએલ રિપોર્ટમાં ગૌ-માંસ હોવાનું સાબિત થતા પોલીસે રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી છે.

Delhi Dastarkhwan, Surat - Restaurant reviews    

અનેક રેસ્ટોરન્ટ તેમજ લારીઓ પર હાથ ધરાયું ચેકિંગ

તંત્ર નોન-વેજની લારી તેમજ રેસ્ટોરન્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે. જે અંતર્ગત સુરત શહેરના પોશ વિસ્તારમાં ચાલતી અનેક નોન-વેજ રેસ્ટોરન્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે. નોન વેજમાં મિક્સીંગ કરીને લોકોને નોન-વેજ પીરસાતું હોવાની વાતને ધ્યાનમાં રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.