લાફાકાંડ બાદ Banaskanthaથી Gandhinagar તરફ આવી રહેલા ખેડૂતોને પોલીસે રોક્યા, સાંભળો અમરાભાઈએ સરકારને શું આપી ચીમકી?


  • Published By :
  • Published Date : 2023-08-16 13:22:09

ન્યાયની આશા સાથે બનાસકાંઠાથી નીકળેલા ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા છે. થપ્પડકાંડ બાદ ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજીનામું આપે તેવી માગ સાથે ખેડૂતો આગળ વધી રહ્યા છે. 18 ઓગસ્ટના રોજ ગાંધીનગર પહોંચવાનો ખેડૂતોનો પ્લાન છે. ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસના કાફલાએ તેમની રેલીને રોકી દીધી છે. આજે ખેડૂતોની યાત્રાનો સાતમો દિવસ છે અને યાત્રા મહેસાણાના ગોઝારિયા ખાતે પહોંચી હતી પરંતુ ત્યાં પોલીસના કાફલાએ તેમને આગળ જતા રોકી દીધા છે. અમરાભાઈએ સરકારને ચીમકી આપી છે. 

શંકરચૌધરીએ આપ્યું હતું આ નિવેદન 

બનાસકાંઠાથી નીકળેલી યાત્રામાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા, બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત લાખોની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. અમરાભાઈએ સરકારને વિનંતી કરી છે. તેમણે સરકારને વિનંતી કરતા કહ્યું કે અમારા આ ખેડૂતની વેદના સમજે, અને અમને ન્યાય આપે. એમાં જ ગુજરાત સરકારની ભલાઈ છે. મહત્વનું છે કે થપ્પડકાંડ બાદ ખેડૂતોએ ન્યાય યાત્રા શરૂ કરી છે. લાફાકાંડ મામલે ધારાસભ્ય કેશાજી ચૌહાણે નિવેદન આપ્યું હતું અને આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. તે ઉપરાંત શંકરસિંહ ચૌધરીએ પણ લાફાકાંડને લઈ નિવેદન આપ્યું હતું અને આ મામલે ધારાસભ્યનું રાજીનામું ન લેવાય તેવી વાત કરી હતી. 


ખેડૂતોને સાથ આપવા આવી રહ્યા છે રાકેશ ટીકૈત 

મહત્વનું છે જ્યારે મહેસાણા ખાતે ખેડૂતોની રેલી પહોંચી હતી ત્યારે જમાવટની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. ખેડૂતો એકદમ આક્રામક દેખાયા હતા. ગાંધીનગર ખાતે 18 ઓગસ્ટે તેઓ પહોંચવાના છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ ખેડૂતોની રેલીમાં સામેલ થવા ગુજરાત આવી શકે છે. ખેડૂતોના સમર્થનમાં તેમણે નિવેદન પણ આપ્યું છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.