લાફાકાંડ બાદ Banaskanthaથી Gandhinagar તરફ આવી રહેલા ખેડૂતોને પોલીસે રોક્યા, સાંભળો અમરાભાઈએ સરકારને શું આપી ચીમકી?


  • Published By :
  • Published Date : 2023-08-16 13:22:09

ન્યાયની આશા સાથે બનાસકાંઠાથી નીકળેલા ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા છે. થપ્પડકાંડ બાદ ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજીનામું આપે તેવી માગ સાથે ખેડૂતો આગળ વધી રહ્યા છે. 18 ઓગસ્ટના રોજ ગાંધીનગર પહોંચવાનો ખેડૂતોનો પ્લાન છે. ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસના કાફલાએ તેમની રેલીને રોકી દીધી છે. આજે ખેડૂતોની યાત્રાનો સાતમો દિવસ છે અને યાત્રા મહેસાણાના ગોઝારિયા ખાતે પહોંચી હતી પરંતુ ત્યાં પોલીસના કાફલાએ તેમને આગળ જતા રોકી દીધા છે. અમરાભાઈએ સરકારને ચીમકી આપી છે. 

શંકરચૌધરીએ આપ્યું હતું આ નિવેદન 

બનાસકાંઠાથી નીકળેલી યાત્રામાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા, બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત લાખોની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. અમરાભાઈએ સરકારને વિનંતી કરી છે. તેમણે સરકારને વિનંતી કરતા કહ્યું કે અમારા આ ખેડૂતની વેદના સમજે, અને અમને ન્યાય આપે. એમાં જ ગુજરાત સરકારની ભલાઈ છે. મહત્વનું છે કે થપ્પડકાંડ બાદ ખેડૂતોએ ન્યાય યાત્રા શરૂ કરી છે. લાફાકાંડ મામલે ધારાસભ્ય કેશાજી ચૌહાણે નિવેદન આપ્યું હતું અને આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. તે ઉપરાંત શંકરસિંહ ચૌધરીએ પણ લાફાકાંડને લઈ નિવેદન આપ્યું હતું અને આ મામલે ધારાસભ્યનું રાજીનામું ન લેવાય તેવી વાત કરી હતી. 


ખેડૂતોને સાથ આપવા આવી રહ્યા છે રાકેશ ટીકૈત 

મહત્વનું છે જ્યારે મહેસાણા ખાતે ખેડૂતોની રેલી પહોંચી હતી ત્યારે જમાવટની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. ખેડૂતો એકદમ આક્રામક દેખાયા હતા. ગાંધીનગર ખાતે 18 ઓગસ્ટે તેઓ પહોંચવાના છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ ખેડૂતોની રેલીમાં સામેલ થવા ગુજરાત આવી શકે છે. ખેડૂતોના સમર્થનમાં તેમણે નિવેદન પણ આપ્યું છે.        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.