રાજકોટમાં ચિક્કાર દારૂ ઢીંચીને કાર ચલાવતા પોલીસકર્મીએ કિશોરીને લીધી અડફેટે, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-30 19:20:06

ઘણી વખત એવું બને છે કે સોશિયલ મીડિયામાં કે ટીવીમાં એક જ બનાવો એક ચોક્કસ સમયે ખૂબ જ વધારે માત્રામાં બને છે. જેમ કે રાજ્યમાં આજકાલ અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતના સમાચાર ચર્ચામાં છે, આ ઘટના બની ત્યાર બાદથી ગુજરાતમાં સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદના ગોજારા અકસ્માતે ન માત્ર ગુજરાતને કંપાવ્યું પણ દેશને પણ દુ:ખી કરી નાખ્યો છે. ત્યાર બાદથી અનેક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદનો અકસ્માત હજુ લોકો ભૂલ્યા નથી અને રાજકોટમાં અકસ્માત સામે આવ્યો છે. જો કે આ અકસ્માત વિશે સાંભળીને તમે પણ ગુસ્સે ભરાઈ જશો કારણ કે આ અકસ્માત એક પોલીસ કર્મચારીએ કર્યો છે અને તે પણ દારૂ પીધેલી હાલતમાં કર્યો છે.


પોલીસકર્મી પીધેલી હાલતમાં પકડાયો


ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદથી ગુજરાત પોલીસે ટ્રાફિકના નિયમન મામલે ડ્રાઈવ શરૂ છે અને ગુજરાતમાં અનેક લોકોને દંડી પણ રહી છે. એવામાં ગુજરાત અને દેશના લોકોની રક્ષા કરતી પોલીસના જવાન જ અકસ્માત કરતા નજરે પડ્યો છે. રાજકોટમાં ગઈકાલે રાતે એક પોલીસ કર્મચારીએ દારુ પીધેલી હાલતમાં ગાડી ઠોકી દીધી હતી અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ લોકોએ તેમને પકડી લીધો હતો. રાજકોટ યુનિવર્સિટીના ગેટ પાસે એક ગાડીએ સાયકલ લઈને જઈ રહેલી 17 વર્ષની છોકરી સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અધિકારીનું નામ લક્ષ્મીનારાયણ વ્યાસ છે અને તે ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં કામ કરે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ પોલીસ કર્મચારી નશાની હાલતમાં છે અને તે શું કરી રહ્યા છે અને શું બોલી રહ્યા છે તેનું જ તેને ભાન નથી. 


પોલીસકર્મી સામે નોંધાઈ ફરિયાદ


જો કે પોલીસ કર્મચારી અકસ્માત કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ લોકો પહોંચી ગયા હતા અને પોલીસને માર માર્યો હતો. પોલીસે લોકો સાથે માથાકૂટ કરી હતી જો કે પીધેલો ખાખીવાળો વ્યક્તિ હતો એટલે લોકોએ તેને દયા ખાઈને છોડી દીધો હતો. કારણ કે લોકોને પણ ખબર હતી કે આ તો પોલીસ પરિવારનો જ વ્યક્તિ છે તો આના પર તો ફરિયાદ પોલીસ કરશે નહીં કે લેશે નહીં. અકસ્માતમાં 17 વર્ષની છોકરી તો સહી સલામત છે પણ તેની સાયકલનો બુકડો બોલી ગયો છે. છોકરીના પરિવારવાળાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ ફરિયાદ કરી હતી કે અમારી છોકરીનો આ પોલીસ કર્મચારીએ અકસ્માત કર્યો છે. જો કે પોલીસે ગાડી ઠોકનાર પોલીસકર્મીની અટકાયત કરીને સંતોષ માન્યો હતો, પણ સોશિયલ મીડિયામાં દારુ પીધેલા પોલીસનો વીડિયો વાયરલ થતાં મામલો ગંભીર બન્યો હતો. મામલો ચગતા પોલીસે દારૂ પીધેલા પોલીસ કર્મચારી સામે 308, 337 અને 279 સહિતની કલમો લગાવી છે,. હવે મોટો સવાલ એ છે કે પોલીસની ફરજ છે લોકોનું રક્ષણ કરવાની તે જ પોલીસનો જવાન આવી રીતે અકસ્માત કરવા લાગે તો લોકો રક્ષણની અપેક્ષા કોના પ્રત્યે રાખશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.