રાજકોટમાં ચિક્કાર દારૂ ઢીંચીને કાર ચલાવતા પોલીસકર્મીએ કિશોરીને લીધી અડફેટે, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-30 19:20:06

ઘણી વખત એવું બને છે કે સોશિયલ મીડિયામાં કે ટીવીમાં એક જ બનાવો એક ચોક્કસ સમયે ખૂબ જ વધારે માત્રામાં બને છે. જેમ કે રાજ્યમાં આજકાલ અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતના સમાચાર ચર્ચામાં છે, આ ઘટના બની ત્યાર બાદથી ગુજરાતમાં સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદના ગોજારા અકસ્માતે ન માત્ર ગુજરાતને કંપાવ્યું પણ દેશને પણ દુ:ખી કરી નાખ્યો છે. ત્યાર બાદથી અનેક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદનો અકસ્માત હજુ લોકો ભૂલ્યા નથી અને રાજકોટમાં અકસ્માત સામે આવ્યો છે. જો કે આ અકસ્માત વિશે સાંભળીને તમે પણ ગુસ્સે ભરાઈ જશો કારણ કે આ અકસ્માત એક પોલીસ કર્મચારીએ કર્યો છે અને તે પણ દારૂ પીધેલી હાલતમાં કર્યો છે.


પોલીસકર્મી પીધેલી હાલતમાં પકડાયો


ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદથી ગુજરાત પોલીસે ટ્રાફિકના નિયમન મામલે ડ્રાઈવ શરૂ છે અને ગુજરાતમાં અનેક લોકોને દંડી પણ રહી છે. એવામાં ગુજરાત અને દેશના લોકોની રક્ષા કરતી પોલીસના જવાન જ અકસ્માત કરતા નજરે પડ્યો છે. રાજકોટમાં ગઈકાલે રાતે એક પોલીસ કર્મચારીએ દારુ પીધેલી હાલતમાં ગાડી ઠોકી દીધી હતી અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ લોકોએ તેમને પકડી લીધો હતો. રાજકોટ યુનિવર્સિટીના ગેટ પાસે એક ગાડીએ સાયકલ લઈને જઈ રહેલી 17 વર્ષની છોકરી સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અધિકારીનું નામ લક્ષ્મીનારાયણ વ્યાસ છે અને તે ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં કામ કરે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ પોલીસ કર્મચારી નશાની હાલતમાં છે અને તે શું કરી રહ્યા છે અને શું બોલી રહ્યા છે તેનું જ તેને ભાન નથી. 


પોલીસકર્મી સામે નોંધાઈ ફરિયાદ


જો કે પોલીસ કર્મચારી અકસ્માત કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ લોકો પહોંચી ગયા હતા અને પોલીસને માર માર્યો હતો. પોલીસે લોકો સાથે માથાકૂટ કરી હતી જો કે પીધેલો ખાખીવાળો વ્યક્તિ હતો એટલે લોકોએ તેને દયા ખાઈને છોડી દીધો હતો. કારણ કે લોકોને પણ ખબર હતી કે આ તો પોલીસ પરિવારનો જ વ્યક્તિ છે તો આના પર તો ફરિયાદ પોલીસ કરશે નહીં કે લેશે નહીં. અકસ્માતમાં 17 વર્ષની છોકરી તો સહી સલામત છે પણ તેની સાયકલનો બુકડો બોલી ગયો છે. છોકરીના પરિવારવાળાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ ફરિયાદ કરી હતી કે અમારી છોકરીનો આ પોલીસ કર્મચારીએ અકસ્માત કર્યો છે. જો કે પોલીસે ગાડી ઠોકનાર પોલીસકર્મીની અટકાયત કરીને સંતોષ માન્યો હતો, પણ સોશિયલ મીડિયામાં દારુ પીધેલા પોલીસનો વીડિયો વાયરલ થતાં મામલો ગંભીર બન્યો હતો. મામલો ચગતા પોલીસે દારૂ પીધેલા પોલીસ કર્મચારી સામે 308, 337 અને 279 સહિતની કલમો લગાવી છે,. હવે મોટો સવાલ એ છે કે પોલીસની ફરજ છે લોકોનું રક્ષણ કરવાની તે જ પોલીસનો જવાન આવી રીતે અકસ્માત કરવા લાગે તો લોકો રક્ષણની અપેક્ષા કોના પ્રત્યે રાખશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.