પોલીસ ભરતીના નવા નિયમોને લઈ આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક, જાણો ભરતી પ્રક્રિયામાં શું થશે ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-11-10 15:55:54

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ભરતનો પટારો ખોલ્યો છે. ગુજરાતના પોલીસ વિભાગમાં લગભગ 12 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકાર હવે આ જગ્યાઓ ભરવા માટે ભરતી શરૂ કરશે. આ મામલે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રી નિવાસસ્થાન પર યોજાનારી આ બેઠકમાં પોલીસ ભરતી બોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પોલસ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પધ્ધતી અંગે નવા નિયમો બનાવવા પર ચર્ચા-વિચારણા કરશે. આ ઉચ્ચકક્ષાની બેઠકમાં ભરતીના તમામ નિયમોને આખરી ઓપ અપાયા બાદ ટૂંક સમયમાં જ ભરતી અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવશે. મળતી જાણકારી મુજબ રાજ્ય સરકાર કોઈ પણ ઉમેદવાર કોચિંગ ક્લાસીસમાં ગયા વગર પણ પરીક્ષા આપી શકે તે પ્રકારનો અભ્યાસક્રમ તૈયાર કરવા માગે છે.  


બેઠકમાં કયા મુદ્દે થશે વિચાર-વિમર્સ


રાજ્ય સરકાર તમામ સરકારી નોકરીઓ માટે ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરવા માંગે છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે તેમના નિવાસ સ્થાને યોજાનારી મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જેમાં પોલીસ અને ફોરેસ્ટની વર્ગ-3ની ભરતી ભરતી પ્રક્રિયા, RR સુધારણા, એકસમાન અથવા એક જ શારરિક કસોટી, સમાન અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અને પરીક્ષા પદ્ધતિ અંગે ગહન ચર્ચા વિચારણા થશે. બેઠક બાદ ભરતી મુદ્દે સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે. 


કોચિંગ ક્લાસનો છેદ ઉડી જશે


ગુજરાતના પોલીસ વિભાગમાં પોલીસ અને ફોરેસ્ટની વર્ગ-3ની ભરતી માટે શારીરિક કસોટી અને લેખિત કસોટી અંગેના નિયમમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે જ કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. જેને લઈ CMની અધ્યક્ષતામાં નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

22 હજાર જેટલી જગ્યાઓ ખાલી 


પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાનો રાજ્ય સરકારને હુકમ કર્યો હતો. પોલીસને લગતી બાબતોને લઈ સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ખાલી છે. 96,194 ખાલી જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો પર ભરતી કરાઈ છે. હાલ પોલીસ વિભાગમાં 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જગ્યાઓ ખાલી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી