પોલીસ ભરતીના નવા નિયમોને લઈ આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક, જાણો ભરતી પ્રક્રિયામાં શું થશે ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-11-10 15:55:54

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ભરતનો પટારો ખોલ્યો છે. ગુજરાતના પોલીસ વિભાગમાં લગભગ 12 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકાર હવે આ જગ્યાઓ ભરવા માટે ભરતી શરૂ કરશે. આ મામલે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રી નિવાસસ્થાન પર યોજાનારી આ બેઠકમાં પોલીસ ભરતી બોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પોલસ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પધ્ધતી અંગે નવા નિયમો બનાવવા પર ચર્ચા-વિચારણા કરશે. આ ઉચ્ચકક્ષાની બેઠકમાં ભરતીના તમામ નિયમોને આખરી ઓપ અપાયા બાદ ટૂંક સમયમાં જ ભરતી અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવશે. મળતી જાણકારી મુજબ રાજ્ય સરકાર કોઈ પણ ઉમેદવાર કોચિંગ ક્લાસીસમાં ગયા વગર પણ પરીક્ષા આપી શકે તે પ્રકારનો અભ્યાસક્રમ તૈયાર કરવા માગે છે.  


બેઠકમાં કયા મુદ્દે થશે વિચાર-વિમર્સ


રાજ્ય સરકાર તમામ સરકારી નોકરીઓ માટે ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરવા માંગે છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે તેમના નિવાસ સ્થાને યોજાનારી મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જેમાં પોલીસ અને ફોરેસ્ટની વર્ગ-3ની ભરતી ભરતી પ્રક્રિયા, RR સુધારણા, એકસમાન અથવા એક જ શારરિક કસોટી, સમાન અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અને પરીક્ષા પદ્ધતિ અંગે ગહન ચર્ચા વિચારણા થશે. બેઠક બાદ ભરતી મુદ્દે સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે. 


કોચિંગ ક્લાસનો છેદ ઉડી જશે


ગુજરાતના પોલીસ વિભાગમાં પોલીસ અને ફોરેસ્ટની વર્ગ-3ની ભરતી માટે શારીરિક કસોટી અને લેખિત કસોટી અંગેના નિયમમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે જ કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. જેને લઈ CMની અધ્યક્ષતામાં નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

22 હજાર જેટલી જગ્યાઓ ખાલી 


પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાનો રાજ્ય સરકારને હુકમ કર્યો હતો. પોલીસને લગતી બાબતોને લઈ સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ખાલી છે. 96,194 ખાલી જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો પર ભરતી કરાઈ છે. હાલ પોલીસ વિભાગમાં 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જગ્યાઓ ખાલી છે. 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?