પોલીસ ભરતીના નવા નિયમોને લઈ આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક, જાણો ભરતી પ્રક્રિયામાં શું થશે ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-11-10 15:55:54

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ભરતનો પટારો ખોલ્યો છે. ગુજરાતના પોલીસ વિભાગમાં લગભગ 12 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકાર હવે આ જગ્યાઓ ભરવા માટે ભરતી શરૂ કરશે. આ મામલે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રી નિવાસસ્થાન પર યોજાનારી આ બેઠકમાં પોલીસ ભરતી બોર્ડ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પોલસ ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પધ્ધતી અંગે નવા નિયમો બનાવવા પર ચર્ચા-વિચારણા કરશે. આ ઉચ્ચકક્ષાની બેઠકમાં ભરતીના તમામ નિયમોને આખરી ઓપ અપાયા બાદ ટૂંક સમયમાં જ ભરતી અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવશે. મળતી જાણકારી મુજબ રાજ્ય સરકાર કોઈ પણ ઉમેદવાર કોચિંગ ક્લાસીસમાં ગયા વગર પણ પરીક્ષા આપી શકે તે પ્રકારનો અભ્યાસક્રમ તૈયાર કરવા માગે છે.  


બેઠકમાં કયા મુદ્દે થશે વિચાર-વિમર્સ


રાજ્ય સરકાર તમામ સરકારી નોકરીઓ માટે ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરવા માંગે છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે તેમના નિવાસ સ્થાને યોજાનારી મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. જેમાં પોલીસ અને ફોરેસ્ટની વર્ગ-3ની ભરતી ભરતી પ્રક્રિયા, RR સુધારણા, એકસમાન અથવા એક જ શારરિક કસોટી, સમાન અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અને પરીક્ષા પદ્ધતિ અંગે ગહન ચર્ચા વિચારણા થશે. બેઠક બાદ ભરતી મુદ્દે સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે. 


કોચિંગ ક્લાસનો છેદ ઉડી જશે


ગુજરાતના પોલીસ વિભાગમાં પોલીસ અને ફોરેસ્ટની વર્ગ-3ની ભરતી માટે શારીરિક કસોટી અને લેખિત કસોટી અંગેના નિયમમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે જ કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. જેને લઈ CMની અધ્યક્ષતામાં નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

22 હજાર જેટલી જગ્યાઓ ખાલી 


પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાનો રાજ્ય સરકારને હુકમ કર્યો હતો. પોલીસને લગતી બાબતોને લઈ સુઓમોટો અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ખાલી છે. 96,194 ખાલી જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો પર ભરતી કરાઈ છે. હાલ પોલીસ વિભાગમાં 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જગ્યાઓ ખાલી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.