ઝારખંડના શાદાબ સાથે લગ્ન કરવા પોલેન્ડથી ભારત આવી બાર્બરા, હજારીબાગ કોર્ટમાં કરશે લગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-19 20:52:00

દેશભરમાં પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચીનની લવ સ્ટોરીની ચર્ચા છે, પબજી રમતા-રમતા સચીનના પ્રેમમાં પડેલી સીમા તેના ચાર બાળકો સાથે ભારત આવી ગઈ છે. જો કે આવી જ એક અન્ય પ્રેમ કહાની મીડિયાના ધ્યાનમાં આવી છે. બાર્બરા પોલક નામની એક 49 વર્ષીય મહિલા તેના પ્રેમીને મળવા પોલેન્ડથી ઝારખંડ પહોંચી છે. બાર્બરા અને તેનો 35 વર્ષીય ભારતીય પ્રેમી શાદાબ મલિક વર્ષ 2021માં ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે બાર્બરાએ તેના પતિથી છુટાછેડા લીધા છે અને તેની 6 વર્ષની પુત્રી સાથે ભારત આવી છે. 


2027 સુધીના વિઝા લઈને ભારત આવી


વર્ષ 2021માં પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલાકે સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ઝારખંડના હજારીબાગ જિલ્લાના કાટકમસાંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ખુત્રા ગામનો રહેવાસી શાદાબ મલિક સાથે મિત્રતા કરી હતી. ધીરે-ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બાર્બરા પોલાકે તેનું દિલ હજારીબાગમાં રહેતા શાદાબને આપી દીધું હતું. ભારત આવીને તેના પ્રેમીને મળી શકે તે માટે બાર્બરાએ વિઝા માટે અરજી કરી હતી. બાર્બરા શાદાબ સાથે એટલી હદે પ્રેમમાં પડી ગઈ કે તે 2027 સુધીના વિઝા લઈને ભારત આવી ગઈ છે. શાદાબ પણ બાર્બરાને ખૂબ પ્રેમ કરે છે અને હવે બંનેએ હજારીબાગ એસડીએમ કોર્ટમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બાર્બરાએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા છે.


બાર્બરા ઘરના કામકાજમાં મદદ કરે છે


ભારત આવ્યા બાદ બાર્બરાએ પોતાની જાતને સંપૂર્ણપણે  દેશી રંગમાં રંગી લીધી છે. તે શાદાબના ઘરના કામમાં મદદ કરે છે. મોજા પહેરીને તે છાણ ઉપાડે છે, ઘર સાફ કરે છે. બાર્બરા કહે છે કે તેને ભારતમાં અને હજારીબાગમાં રહેવું ગમે છે પરંતુ ભીડવાળી જગ્યાએ જવાનું પસંદ નથી. બાર્બરાના સમાચાર સામે આવ્યા બાદ ડીએસપી રાજીવ કુમાર, હજારીબાગ હેડક્વાર્ટર અને ઈન્સ્પેક્ટર અભિષેક કુમાર તેને મળવા આવ્યા હતા. બાર્બરાએ તેને તેનો વિઝા બતાવ્યો. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ બાર્બરા થોડા દિવસો બાદ પોતાના દેશ પરત ફરશે. બાર્બરાએ પણ ભારત દેશના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેને ભારત દેશ પસંદ આવ્યો છે.


શાદાબ પોલેન્ડ જશે, વિઝા માટે કરશે અરજી


શાદાબે હાર્ડવેર નેટવર્કિંગમાં ડિપ્લોમા કર્યું છે અને તે તેની કારકિર્દીની શોધમાં હતો. આ દરમિયાન તેણે પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલાક સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી. હવે શાદાબ મલિક પણ તેની શ્રેષ્ઠ કારકિર્દી અને પ્રેમ મેળવ્યા બાદ પોલેન્ડ જવા માટે વિઝા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યો છે.



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.