ઝારખંડના શાદાબ સાથે લગ્ન કરવા પોલેન્ડથી ભારત આવી બાર્બરા, હજારીબાગ કોર્ટમાં કરશે લગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-19 20:52:00

દેશભરમાં પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચીનની લવ સ્ટોરીની ચર્ચા છે, પબજી રમતા-રમતા સચીનના પ્રેમમાં પડેલી સીમા તેના ચાર બાળકો સાથે ભારત આવી ગઈ છે. જો કે આવી જ એક અન્ય પ્રેમ કહાની મીડિયાના ધ્યાનમાં આવી છે. બાર્બરા પોલક નામની એક 49 વર્ષીય મહિલા તેના પ્રેમીને મળવા પોલેન્ડથી ઝારખંડ પહોંચી છે. બાર્બરા અને તેનો 35 વર્ષીય ભારતીય પ્રેમી શાદાબ મલિક વર્ષ 2021માં ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે બાર્બરાએ તેના પતિથી છુટાછેડા લીધા છે અને તેની 6 વર્ષની પુત્રી સાથે ભારત આવી છે. 


2027 સુધીના વિઝા લઈને ભારત આવી


વર્ષ 2021માં પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલાકે સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ઝારખંડના હજારીબાગ જિલ્લાના કાટકમસાંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ખુત્રા ગામનો રહેવાસી શાદાબ મલિક સાથે મિત્રતા કરી હતી. ધીરે-ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બાર્બરા પોલાકે તેનું દિલ હજારીબાગમાં રહેતા શાદાબને આપી દીધું હતું. ભારત આવીને તેના પ્રેમીને મળી શકે તે માટે બાર્બરાએ વિઝા માટે અરજી કરી હતી. બાર્બરા શાદાબ સાથે એટલી હદે પ્રેમમાં પડી ગઈ કે તે 2027 સુધીના વિઝા લઈને ભારત આવી ગઈ છે. શાદાબ પણ બાર્બરાને ખૂબ પ્રેમ કરે છે અને હવે બંનેએ હજારીબાગ એસડીએમ કોર્ટમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બાર્બરાએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા છે.


બાર્બરા ઘરના કામકાજમાં મદદ કરે છે


ભારત આવ્યા બાદ બાર્બરાએ પોતાની જાતને સંપૂર્ણપણે  દેશી રંગમાં રંગી લીધી છે. તે શાદાબના ઘરના કામમાં મદદ કરે છે. મોજા પહેરીને તે છાણ ઉપાડે છે, ઘર સાફ કરે છે. બાર્બરા કહે છે કે તેને ભારતમાં અને હજારીબાગમાં રહેવું ગમે છે પરંતુ ભીડવાળી જગ્યાએ જવાનું પસંદ નથી. બાર્બરાના સમાચાર સામે આવ્યા બાદ ડીએસપી રાજીવ કુમાર, હજારીબાગ હેડક્વાર્ટર અને ઈન્સ્પેક્ટર અભિષેક કુમાર તેને મળવા આવ્યા હતા. બાર્બરાએ તેને તેનો વિઝા બતાવ્યો. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ બાર્બરા થોડા દિવસો બાદ પોતાના દેશ પરત ફરશે. બાર્બરાએ પણ ભારત દેશના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેને ભારત દેશ પસંદ આવ્યો છે.


શાદાબ પોલેન્ડ જશે, વિઝા માટે કરશે અરજી


શાદાબે હાર્ડવેર નેટવર્કિંગમાં ડિપ્લોમા કર્યું છે અને તે તેની કારકિર્દીની શોધમાં હતો. આ દરમિયાન તેણે પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલાક સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી. હવે શાદાબ મલિક પણ તેની શ્રેષ્ઠ કારકિર્દી અને પ્રેમ મેળવ્યા બાદ પોલેન્ડ જવા માટે વિઝા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યો છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.