ઝારખંડના શાદાબ સાથે લગ્ન કરવા પોલેન્ડથી ભારત આવી બાર્બરા, હજારીબાગ કોર્ટમાં કરશે લગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-19 20:52:00

દેશભરમાં પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચીનની લવ સ્ટોરીની ચર્ચા છે, પબજી રમતા-રમતા સચીનના પ્રેમમાં પડેલી સીમા તેના ચાર બાળકો સાથે ભારત આવી ગઈ છે. જો કે આવી જ એક અન્ય પ્રેમ કહાની મીડિયાના ધ્યાનમાં આવી છે. બાર્બરા પોલક નામની એક 49 વર્ષીય મહિલા તેના પ્રેમીને મળવા પોલેન્ડથી ઝારખંડ પહોંચી છે. બાર્બરા અને તેનો 35 વર્ષીય ભારતીય પ્રેમી શાદાબ મલિક વર્ષ 2021માં ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે બાર્બરાએ તેના પતિથી છુટાછેડા લીધા છે અને તેની 6 વર્ષની પુત્રી સાથે ભારત આવી છે. 


2027 સુધીના વિઝા લઈને ભારત આવી


વર્ષ 2021માં પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલાકે સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ઝારખંડના હજારીબાગ જિલ્લાના કાટકમસાંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ખુત્રા ગામનો રહેવાસી શાદાબ મલિક સાથે મિત્રતા કરી હતી. ધીરે-ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બાર્બરા પોલાકે તેનું દિલ હજારીબાગમાં રહેતા શાદાબને આપી દીધું હતું. ભારત આવીને તેના પ્રેમીને મળી શકે તે માટે બાર્બરાએ વિઝા માટે અરજી કરી હતી. બાર્બરા શાદાબ સાથે એટલી હદે પ્રેમમાં પડી ગઈ કે તે 2027 સુધીના વિઝા લઈને ભારત આવી ગઈ છે. શાદાબ પણ બાર્બરાને ખૂબ પ્રેમ કરે છે અને હવે બંનેએ હજારીબાગ એસડીએમ કોર્ટમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બાર્બરાએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા છે.


બાર્બરા ઘરના કામકાજમાં મદદ કરે છે


ભારત આવ્યા બાદ બાર્બરાએ પોતાની જાતને સંપૂર્ણપણે  દેશી રંગમાં રંગી લીધી છે. તે શાદાબના ઘરના કામમાં મદદ કરે છે. મોજા પહેરીને તે છાણ ઉપાડે છે, ઘર સાફ કરે છે. બાર્બરા કહે છે કે તેને ભારતમાં અને હજારીબાગમાં રહેવું ગમે છે પરંતુ ભીડવાળી જગ્યાએ જવાનું પસંદ નથી. બાર્બરાના સમાચાર સામે આવ્યા બાદ ડીએસપી રાજીવ કુમાર, હજારીબાગ હેડક્વાર્ટર અને ઈન્સ્પેક્ટર અભિષેક કુમાર તેને મળવા આવ્યા હતા. બાર્બરાએ તેને તેનો વિઝા બતાવ્યો. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ બાર્બરા થોડા દિવસો બાદ પોતાના દેશ પરત ફરશે. બાર્બરાએ પણ ભારત દેશના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેને ભારત દેશ પસંદ આવ્યો છે.


શાદાબ પોલેન્ડ જશે, વિઝા માટે કરશે અરજી


શાદાબે હાર્ડવેર નેટવર્કિંગમાં ડિપ્લોમા કર્યું છે અને તે તેની કારકિર્દીની શોધમાં હતો. આ દરમિયાન તેણે પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલાક સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી. હવે શાદાબ મલિક પણ તેની શ્રેષ્ઠ કારકિર્દી અને પ્રેમ મેળવ્યા બાદ પોલેન્ડ જવા માટે વિઝા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.