ઝારખંડના શાદાબ સાથે લગ્ન કરવા પોલેન્ડથી ભારત આવી બાર્બરા, હજારીબાગ કોર્ટમાં કરશે લગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-19 20:52:00

દેશભરમાં પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચીનની લવ સ્ટોરીની ચર્ચા છે, પબજી રમતા-રમતા સચીનના પ્રેમમાં પડેલી સીમા તેના ચાર બાળકો સાથે ભારત આવી ગઈ છે. જો કે આવી જ એક અન્ય પ્રેમ કહાની મીડિયાના ધ્યાનમાં આવી છે. બાર્બરા પોલક નામની એક 49 વર્ષીય મહિલા તેના પ્રેમીને મળવા પોલેન્ડથી ઝારખંડ પહોંચી છે. બાર્બરા અને તેનો 35 વર્ષીય ભારતીય પ્રેમી શાદાબ મલિક વર્ષ 2021માં ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે બાર્બરાએ તેના પતિથી છુટાછેડા લીધા છે અને તેની 6 વર્ષની પુત્રી સાથે ભારત આવી છે. 


2027 સુધીના વિઝા લઈને ભારત આવી


વર્ષ 2021માં પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલાકે સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ઝારખંડના હજારીબાગ જિલ્લાના કાટકમસાંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ખુત્રા ગામનો રહેવાસી શાદાબ મલિક સાથે મિત્રતા કરી હતી. ધીરે-ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બાર્બરા પોલાકે તેનું દિલ હજારીબાગમાં રહેતા શાદાબને આપી દીધું હતું. ભારત આવીને તેના પ્રેમીને મળી શકે તે માટે બાર્બરાએ વિઝા માટે અરજી કરી હતી. બાર્બરા શાદાબ સાથે એટલી હદે પ્રેમમાં પડી ગઈ કે તે 2027 સુધીના વિઝા લઈને ભારત આવી ગઈ છે. શાદાબ પણ બાર્બરાને ખૂબ પ્રેમ કરે છે અને હવે બંનેએ હજારીબાગ એસડીએમ કોર્ટમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બાર્બરાએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા છે.


બાર્બરા ઘરના કામકાજમાં મદદ કરે છે


ભારત આવ્યા બાદ બાર્બરાએ પોતાની જાતને સંપૂર્ણપણે  દેશી રંગમાં રંગી લીધી છે. તે શાદાબના ઘરના કામમાં મદદ કરે છે. મોજા પહેરીને તે છાણ ઉપાડે છે, ઘર સાફ કરે છે. બાર્બરા કહે છે કે તેને ભારતમાં અને હજારીબાગમાં રહેવું ગમે છે પરંતુ ભીડવાળી જગ્યાએ જવાનું પસંદ નથી. બાર્બરાના સમાચાર સામે આવ્યા બાદ ડીએસપી રાજીવ કુમાર, હજારીબાગ હેડક્વાર્ટર અને ઈન્સ્પેક્ટર અભિષેક કુમાર તેને મળવા આવ્યા હતા. બાર્બરાએ તેને તેનો વિઝા બતાવ્યો. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ બાર્બરા થોડા દિવસો બાદ પોતાના દેશ પરત ફરશે. બાર્બરાએ પણ ભારત દેશના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેને ભારત દેશ પસંદ આવ્યો છે.


શાદાબ પોલેન્ડ જશે, વિઝા માટે કરશે અરજી


શાદાબે હાર્ડવેર નેટવર્કિંગમાં ડિપ્લોમા કર્યું છે અને તે તેની કારકિર્દીની શોધમાં હતો. આ દરમિયાન તેણે પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલાક સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી. હવે શાદાબ મલિક પણ તેની શ્રેષ્ઠ કારકિર્દી અને પ્રેમ મેળવ્યા બાદ પોલેન્ડ જવા માટે વિઝા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.