ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં બાળકોનો ઉપયોગ નહીં કરી શકે રાજકીય પક્ષો, ECIએ જાહેર કરી ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2024-02-05 16:21:10

આગામી લોકોસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં બાળકો અને સગીરોને સામેલ કરવાને લઈ રાજકીય પક્ષોને સૂચના આપી છે. ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી કહ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પેમ્ફેલેટ વિતરણ, પોસ્ટર ચીપકાવવા, સુત્રોચ્ચારો કરવા, કે પછી પાર્ટીના બેનરો લઈને ચાલતા બાળકો કે સગીરોનો ઉપયોગ કરવો નહીં. 


ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ચાલશે નહીં


ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી સંબંધિત કાર્યો કે ચૂંટણી અભિયાનોમાં બાળકોને સામેલ કરવા આ બાબતો ચલાવી શકાશે નહીં. આ ગાઈડલાઈનમાં કોઈ પણ બાળકને રાજકીય અભિયાનમાં સામેલ કરવા, કવિતા પઠન કરતા, સુત્રોચ્ચાર કરવા કે પછી કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારના પ્રતિક કે ઉમેદવારનો ફોટો પ્રદર્શન કરતા બાળકો જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. 


શું કાર્યવાહી થશે?


ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા પર ચૂંટણી પંચ જે તે રાજકીય પક્ષો સામે કાર્યવાહી કરશે, ચૂંટણી પંચ બાળ મજુરી સંબંધિત કલમો (1986)  હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવશે. આ સંબંધમાં ચૂંટણી અધિકારી, રિટર્નિગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે કોઈ રાજકિય નેતાની આસપાસ તેના માતા-પિતા કે વાલીની સાથે બાળકોની હાજરીને ચૂંટણી કાર્યવાહીમાં સામે કરવામાં આવ્યા નથી. વળી તે ગાઈડલાઈનનું ઉલ્લંઘન પણ માનવામાં આવશે નહીં.  


રાજકિય પક્ષો મંજુરી ન આપે: ચૂંટણી પંચ


ચૂંટણી પંચે તેની ગાઈડલાઈનમાં બોમ્બે હાઈકોર્ટના એક ચૂકાદાને ટાંકીને કહ્યું કે સુધારા કાનુન, 2016નું તમામ રાજકીય પક્ષોને બાળકોને ચૂંટણી પ્રચારમાં સામેલ ન કરવા સુનિચ્ચિત કરે અને કોઈ રાજકીય પક્ષ તેના ઉમેદવારોને તેની મંજુરી ન આપે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.