ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં બાળકોનો ઉપયોગ નહીં કરી શકે રાજકીય પક્ષો, ECIએ જાહેર કરી ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2024-02-05 16:21:10

આગામી લોકોસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં બાળકો અને સગીરોને સામેલ કરવાને લઈ રાજકીય પક્ષોને સૂચના આપી છે. ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી કહ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પેમ્ફેલેટ વિતરણ, પોસ્ટર ચીપકાવવા, સુત્રોચ્ચારો કરવા, કે પછી પાર્ટીના બેનરો લઈને ચાલતા બાળકો કે સગીરોનો ઉપયોગ કરવો નહીં. 


ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ચાલશે નહીં


ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી સંબંધિત કાર્યો કે ચૂંટણી અભિયાનોમાં બાળકોને સામેલ કરવા આ બાબતો ચલાવી શકાશે નહીં. આ ગાઈડલાઈનમાં કોઈ પણ બાળકને રાજકીય અભિયાનમાં સામેલ કરવા, કવિતા પઠન કરતા, સુત્રોચ્ચાર કરવા કે પછી કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારના પ્રતિક કે ઉમેદવારનો ફોટો પ્રદર્શન કરતા બાળકો જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. 


શું કાર્યવાહી થશે?


ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા પર ચૂંટણી પંચ જે તે રાજકીય પક્ષો સામે કાર્યવાહી કરશે, ચૂંટણી પંચ બાળ મજુરી સંબંધિત કલમો (1986)  હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવશે. આ સંબંધમાં ચૂંટણી અધિકારી, રિટર્નિગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે કોઈ રાજકિય નેતાની આસપાસ તેના માતા-પિતા કે વાલીની સાથે બાળકોની હાજરીને ચૂંટણી કાર્યવાહીમાં સામે કરવામાં આવ્યા નથી. વળી તે ગાઈડલાઈનનું ઉલ્લંઘન પણ માનવામાં આવશે નહીં.  


રાજકિય પક્ષો મંજુરી ન આપે: ચૂંટણી પંચ


ચૂંટણી પંચે તેની ગાઈડલાઈનમાં બોમ્બે હાઈકોર્ટના એક ચૂકાદાને ટાંકીને કહ્યું કે સુધારા કાનુન, 2016નું તમામ રાજકીય પક્ષોને બાળકોને ચૂંટણી પ્રચારમાં સામેલ ન કરવા સુનિચ્ચિત કરે અને કોઈ રાજકીય પક્ષ તેના ઉમેદવારોને તેની મંજુરી ન આપે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .