ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં બાળકોનો ઉપયોગ નહીં કરી શકે રાજકીય પક્ષો, ECIએ જાહેર કરી ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2024-02-05 16:21:10

આગામી લોકોસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં બાળકો અને સગીરોને સામેલ કરવાને લઈ રાજકીય પક્ષોને સૂચના આપી છે. ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી કહ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પેમ્ફેલેટ વિતરણ, પોસ્ટર ચીપકાવવા, સુત્રોચ્ચારો કરવા, કે પછી પાર્ટીના બેનરો લઈને ચાલતા બાળકો કે સગીરોનો ઉપયોગ કરવો નહીં. 


ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ચાલશે નહીં


ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી સંબંધિત કાર્યો કે ચૂંટણી અભિયાનોમાં બાળકોને સામેલ કરવા આ બાબતો ચલાવી શકાશે નહીં. આ ગાઈડલાઈનમાં કોઈ પણ બાળકને રાજકીય અભિયાનમાં સામેલ કરવા, કવિતા પઠન કરતા, સુત્રોચ્ચાર કરવા કે પછી કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારના પ્રતિક કે ઉમેદવારનો ફોટો પ્રદર્શન કરતા બાળકો જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. 


શું કાર્યવાહી થશે?


ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા પર ચૂંટણી પંચ જે તે રાજકીય પક્ષો સામે કાર્યવાહી કરશે, ચૂંટણી પંચ બાળ મજુરી સંબંધિત કલમો (1986)  હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવશે. આ સંબંધમાં ચૂંટણી અધિકારી, રિટર્નિગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે કોઈ રાજકિય નેતાની આસપાસ તેના માતા-પિતા કે વાલીની સાથે બાળકોની હાજરીને ચૂંટણી કાર્યવાહીમાં સામે કરવામાં આવ્યા નથી. વળી તે ગાઈડલાઈનનું ઉલ્લંઘન પણ માનવામાં આવશે નહીં.  


રાજકિય પક્ષો મંજુરી ન આપે: ચૂંટણી પંચ


ચૂંટણી પંચે તેની ગાઈડલાઈનમાં બોમ્બે હાઈકોર્ટના એક ચૂકાદાને ટાંકીને કહ્યું કે સુધારા કાનુન, 2016નું તમામ રાજકીય પક્ષોને બાળકોને ચૂંટણી પ્રચારમાં સામેલ ન કરવા સુનિચ્ચિત કરે અને કોઈ રાજકીય પક્ષ તેના ઉમેદવારોને તેની મંજુરી ન આપે. 



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..