ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં બાળકોનો ઉપયોગ નહીં કરી શકે રાજકીય પક્ષો, ECIએ જાહેર કરી ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2024-02-05 16:21:10

આગામી લોકોસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં બાળકો અને સગીરોને સામેલ કરવાને લઈ રાજકીય પક્ષોને સૂચના આપી છે. ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી કહ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પેમ્ફેલેટ વિતરણ, પોસ્ટર ચીપકાવવા, સુત્રોચ્ચારો કરવા, કે પછી પાર્ટીના બેનરો લઈને ચાલતા બાળકો કે સગીરોનો ઉપયોગ કરવો નહીં. 


ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ચાલશે નહીં


ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી સંબંધિત કાર્યો કે ચૂંટણી અભિયાનોમાં બાળકોને સામેલ કરવા આ બાબતો ચલાવી શકાશે નહીં. આ ગાઈડલાઈનમાં કોઈ પણ બાળકને રાજકીય અભિયાનમાં સામેલ કરવા, કવિતા પઠન કરતા, સુત્રોચ્ચાર કરવા કે પછી કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારના પ્રતિક કે ઉમેદવારનો ફોટો પ્રદર્શન કરતા બાળકો જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. 


શું કાર્યવાહી થશે?


ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા પર ચૂંટણી પંચ જે તે રાજકીય પક્ષો સામે કાર્યવાહી કરશે, ચૂંટણી પંચ બાળ મજુરી સંબંધિત કલમો (1986)  હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવશે. આ સંબંધમાં ચૂંટણી અધિકારી, રિટર્નિગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે કોઈ રાજકિય નેતાની આસપાસ તેના માતા-પિતા કે વાલીની સાથે બાળકોની હાજરીને ચૂંટણી કાર્યવાહીમાં સામે કરવામાં આવ્યા નથી. વળી તે ગાઈડલાઈનનું ઉલ્લંઘન પણ માનવામાં આવશે નહીં.  


રાજકિય પક્ષો મંજુરી ન આપે: ચૂંટણી પંચ


ચૂંટણી પંચે તેની ગાઈડલાઈનમાં બોમ્બે હાઈકોર્ટના એક ચૂકાદાને ટાંકીને કહ્યું કે સુધારા કાનુન, 2016નું તમામ રાજકીય પક્ષોને બાળકોને ચૂંટણી પ્રચારમાં સામેલ ન કરવા સુનિચ્ચિત કરે અને કોઈ રાજકીય પક્ષ તેના ઉમેદવારોને તેની મંજુરી ન આપે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.