મા તારા આશીર્વાદ ચૂંટણીમાં કોને કોને ફળ્યા છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 17:37:28


સામાન્ય માનવીને જ્યારે તકલીફ પડે તો એ ભગવાનને યાદ કરે છે. પણ નેતાઓ જ એક એવા ભવિષ્યવેતાઓ હોય છે જે તકલીફ પડવાની હોય એ પહેલા જ ભગવાનના ચરણોમાં જતા રહે છે. પરંતુ તેમનું શરીર હાથ જોડીને ભગવાનની સામે ભલે ઉભા રહે પણ દેખાય તો પેલા મતદાર જ છે.


ચૂંટણી આવે એટલે દેવે-દેવે કરું દીવ!

નવરાત્રિના પર્વમાં નોરતાની સાથે રાજનીતિની રમઝટ પણ બોલી રહી છે. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ કે સાથ મા કે દ્વારના સૂત્ર સાથે સૌરાષ્ટ્ર ખેડવા નીકળ્યા છે. સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠકો સીધી રીતે નજરમાં છે. અને તેનું કારણ સાફ છે 2017માં જે પાટીદાર આંદોલન લહેરનો જે ફાયદો મળ્યો હતો એવી સ્થિતિ આ વખતે નથી. એટલે જ એ મતદાર ક્યાંક હાથનો સાથ છોડીને જતો ન રહે તે મહત્વનું છે. અને આ જ કારણસર રાજકોટથી સિદસર સુધીની આ સફરમાં પાટીદાર વોટબેંકએ સીધા નિશાને છે.


સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને આ યાત્રા કેમ યાદ આવી?

સૌરાષ્ટ્રના પાટીદારો આ વખતે કોંગ્રેસનો જ સાથ આપશે એ નક્કી નથી. કારણ કે આ વખતે જંગ ત્રિપાંખીયો છે. અને આંદોલનકારી ચહેરાઓ તો ભાજપની સાથે ઉભા છે. એવામાં કોંગ્રેસ માટે પોતાની જમીન બચાવવાની આ મથામણ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રની 48માંથી 28 બેઠકો મળી હતી.


ભાજપનો શું છે માસ્ટર સ્ટ્રોક?

કોંગ્રેસની સોફ્ટ હિન્દુત્વની આ તસવીર સામે ભાજપે ગરબાને જ રાજકીય રંગ આપી દીધો છે. વિકાસનો ગરબો તૈયાર કર્યો અને સામે કોંગ્રેસે મોંઘવારીનો ગરબો રમતો કર્યો. ભાજપે તો પ્રધાનમંત્રી મોદીને જ બોલાવી લીધા છે. જો કે આ સિલસિલો વર્ષોથી રહ્યો છે કે પ્રધાનમંત્રી નોરતામાં ગુજરાતમાં એક દિવસ તો આવતા જ રહે છે. પરંતુ આ વખતે ચૂંટણી પણ છે અને પાવાગઢના 500 વર્ષ બાદ થયેલા જિર્ણોદ્રારથી લઈને અંબાજી પરિસરનો થયેલો કાયાકલ્પ એ દાખલાઓ પણ છે અને સામે ભાજપ એટલે હિન્દુ જેવું વિચારવાવાળો એક ચોક્કસ વર્ગ.


આપ પણ ગુજરાતમાં તો મંદિરે મંદિર!

આપના નેતાઓ પોતાના કટ્ટર પ્રામાણિકની સાથે રાષ્ટ્રવાદી પણ ગણાવી રહ્યા છે...સાથે જ દ્વારકાથી કેજરીવાલું ચૂંટણી રણશીંગુ એ ભાજપની હિન્દુત્વવાળી હાર્ડકોર લાઇનમાં ઘુસણખોરી કરવાનો જ એક પ્રયાસ હોવાનું રાજનીતિને જાણકાર લોકો માની રહ્યા છે..


એવામાં માતાજી ખરેખર કોને ફળે છે એ તો પરિણામો આવ્યા બાદ જ સ્પષ્ટ થશે 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"