મા તારા આશીર્વાદ ચૂંટણીમાં કોને કોને ફળ્યા છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 17:37:28


સામાન્ય માનવીને જ્યારે તકલીફ પડે તો એ ભગવાનને યાદ કરે છે. પણ નેતાઓ જ એક એવા ભવિષ્યવેતાઓ હોય છે જે તકલીફ પડવાની હોય એ પહેલા જ ભગવાનના ચરણોમાં જતા રહે છે. પરંતુ તેમનું શરીર હાથ જોડીને ભગવાનની સામે ભલે ઉભા રહે પણ દેખાય તો પેલા મતદાર જ છે.


ચૂંટણી આવે એટલે દેવે-દેવે કરું દીવ!

નવરાત્રિના પર્વમાં નોરતાની સાથે રાજનીતિની રમઝટ પણ બોલી રહી છે. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ કે સાથ મા કે દ્વારના સૂત્ર સાથે સૌરાષ્ટ્ર ખેડવા નીકળ્યા છે. સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠકો સીધી રીતે નજરમાં છે. અને તેનું કારણ સાફ છે 2017માં જે પાટીદાર આંદોલન લહેરનો જે ફાયદો મળ્યો હતો એવી સ્થિતિ આ વખતે નથી. એટલે જ એ મતદાર ક્યાંક હાથનો સાથ છોડીને જતો ન રહે તે મહત્વનું છે. અને આ જ કારણસર રાજકોટથી સિદસર સુધીની આ સફરમાં પાટીદાર વોટબેંકએ સીધા નિશાને છે.


સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને આ યાત્રા કેમ યાદ આવી?

સૌરાષ્ટ્રના પાટીદારો આ વખતે કોંગ્રેસનો જ સાથ આપશે એ નક્કી નથી. કારણ કે આ વખતે જંગ ત્રિપાંખીયો છે. અને આંદોલનકારી ચહેરાઓ તો ભાજપની સાથે ઉભા છે. એવામાં કોંગ્રેસ માટે પોતાની જમીન બચાવવાની આ મથામણ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રની 48માંથી 28 બેઠકો મળી હતી.


ભાજપનો શું છે માસ્ટર સ્ટ્રોક?

કોંગ્રેસની સોફ્ટ હિન્દુત્વની આ તસવીર સામે ભાજપે ગરબાને જ રાજકીય રંગ આપી દીધો છે. વિકાસનો ગરબો તૈયાર કર્યો અને સામે કોંગ્રેસે મોંઘવારીનો ગરબો રમતો કર્યો. ભાજપે તો પ્રધાનમંત્રી મોદીને જ બોલાવી લીધા છે. જો કે આ સિલસિલો વર્ષોથી રહ્યો છે કે પ્રધાનમંત્રી નોરતામાં ગુજરાતમાં એક દિવસ તો આવતા જ રહે છે. પરંતુ આ વખતે ચૂંટણી પણ છે અને પાવાગઢના 500 વર્ષ બાદ થયેલા જિર્ણોદ્રારથી લઈને અંબાજી પરિસરનો થયેલો કાયાકલ્પ એ દાખલાઓ પણ છે અને સામે ભાજપ એટલે હિન્દુ જેવું વિચારવાવાળો એક ચોક્કસ વર્ગ.


આપ પણ ગુજરાતમાં તો મંદિરે મંદિર!

આપના નેતાઓ પોતાના કટ્ટર પ્રામાણિકની સાથે રાષ્ટ્રવાદી પણ ગણાવી રહ્યા છે...સાથે જ દ્વારકાથી કેજરીવાલું ચૂંટણી રણશીંગુ એ ભાજપની હિન્દુત્વવાળી હાર્ડકોર લાઇનમાં ઘુસણખોરી કરવાનો જ એક પ્રયાસ હોવાનું રાજનીતિને જાણકાર લોકો માની રહ્યા છે..


એવામાં માતાજી ખરેખર કોને ફળે છે એ તો પરિણામો આવ્યા બાદ જ સ્પષ્ટ થશે 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .