Gujaratમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓનો જમાવડો, Amit Shah કરશે ઉમેદવાર માટે પ્રચાર તો Priyanka Gandhi કરશે Anant Patelનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-04-27 11:24:02

આપણા રાજ્યમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. દરેક પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળશે.. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી સભાઓને ગજવવાના છે.. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં છે, જ્યારે અમિત શાહ પણ ગુજરાતમાં જનસભાને સંબોધવાના છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ગુજરાતના પ્રવાસે આવવાના છે...



વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે કરશે પ્રિયંકા ગાંધી પ્રચાર  

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ઉમેદવારનો પ્રચાર કરવા... ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના પ્રવાસે આવવાના છે.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતમાં છે. અનેક જનસભાઓને તેઓ ગજવવાના છે તો કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં છે. વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે તેઓ પ્રચાર કરવાના છે.. ધરમપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વલસાડ બેઠક માટે માનવામાં આવે છે કે આ બેઠક પર જે પાર્ટી જીતે છે તેની સરકાર બને છે.. 


અમિત શાહ પણ ગુજરાતમાં...

એક તરફ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે તો બીજી તરફ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે... પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે.. મહત્વનું છે કે પીએમ મોદી પણ પહેલી મેથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અનેક રોડ-શો તેમજ જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે....  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.