Gujaratમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓનો જમાવડો, Amit Shah કરશે ઉમેદવાર માટે પ્રચાર તો Priyanka Gandhi કરશે Anant Patelનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-04-27 11:24:02

આપણા રાજ્યમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. દરેક પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળશે.. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી સભાઓને ગજવવાના છે.. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં છે, જ્યારે અમિત શાહ પણ ગુજરાતમાં જનસભાને સંબોધવાના છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ગુજરાતના પ્રવાસે આવવાના છે...



વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે કરશે પ્રિયંકા ગાંધી પ્રચાર  

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ઉમેદવારનો પ્રચાર કરવા... ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના પ્રવાસે આવવાના છે.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતમાં છે. અનેક જનસભાઓને તેઓ ગજવવાના છે તો કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં છે. વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે તેઓ પ્રચાર કરવાના છે.. ધરમપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વલસાડ બેઠક માટે માનવામાં આવે છે કે આ બેઠક પર જે પાર્ટી જીતે છે તેની સરકાર બને છે.. 


અમિત શાહ પણ ગુજરાતમાં...

એક તરફ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે તો બીજી તરફ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે... પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે.. મહત્વનું છે કે પીએમ મોદી પણ પહેલી મેથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અનેક રોડ-શો તેમજ જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે....  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે