Gujaratમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓનો જમાવડો, Amit Shah કરશે ઉમેદવાર માટે પ્રચાર તો Priyanka Gandhi કરશે Anant Patelનો પ્રચાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-27 11:24:02

આપણા રાજ્યમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. દરેક પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળશે.. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી સભાઓને ગજવવાના છે.. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં છે, જ્યારે અમિત શાહ પણ ગુજરાતમાં જનસભાને સંબોધવાના છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ગુજરાતના પ્રવાસે આવવાના છે...



વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે કરશે પ્રિયંકા ગાંધી પ્રચાર  

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ઉમેદવારનો પ્રચાર કરવા... ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના પ્રવાસે આવવાના છે.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતમાં છે. અનેક જનસભાઓને તેઓ ગજવવાના છે તો કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં છે. વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે તેઓ પ્રચાર કરવાના છે.. ધરમપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વલસાડ બેઠક માટે માનવામાં આવે છે કે આ બેઠક પર જે પાર્ટી જીતે છે તેની સરકાર બને છે.. 


અમિત શાહ પણ ગુજરાતમાં...

એક તરફ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે તો બીજી તરફ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે... પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે.. મહત્વનું છે કે પીએમ મોદી પણ પહેલી મેથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અનેક રોડ-શો તેમજ જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે....  



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'