Madhya Pradeshમાં મતગણતરી વચ્ચે રાજનેતાઓએ આપી પ્રતિક્રિયા, Shivrajsinhએ કહ્યું કે ....


  • Published By :
  • Published Date : 2023-12-03 11:36:15

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં તરત ફેરફાર આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં  ભાજપ આગળ ચાલતી દેખાઈ રહી છે. રૂઝાનમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. મધ્યપ્રદેશમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે અલગ અલગ રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. મધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણે જીતની શુભકામનાઓ પણ પાઠવી દીધી છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે. દિગ્વિજય સિંહે પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીત પાકી છે તેવી વાત કરી છે.   

ક્યાં કઈ પાર્ટી આગળ?

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેમજ તેલંગાણા માટે વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં 230 સીટો માટે મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે ઈલેક્શન કમિશનના આંકડા પ્રમાણે બીજેપીને 126 સીટો મળી શકે છે જ્યારે 50 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં બીજેપી આગળ ચાલી રહી છે. તો છત્તીસગઢમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે