Madhya Pradeshમાં મતગણતરી વચ્ચે રાજનેતાઓએ આપી પ્રતિક્રિયા, Shivrajsinhએ કહ્યું કે ....


  • Published By :
  • Published Date : 2023-12-03 11:36:15

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં તરત ફેરફાર આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં  ભાજપ આગળ ચાલતી દેખાઈ રહી છે. રૂઝાનમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. મધ્યપ્રદેશમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે અલગ અલગ રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. મધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણે જીતની શુભકામનાઓ પણ પાઠવી દીધી છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે. દિગ્વિજય સિંહે પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીત પાકી છે તેવી વાત કરી છે.   

ક્યાં કઈ પાર્ટી આગળ?

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેમજ તેલંગાણા માટે વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં 230 સીટો માટે મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે ઈલેક્શન કમિશનના આંકડા પ્રમાણે બીજેપીને 126 સીટો મળી શકે છે જ્યારે 50 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં બીજેપી આગળ ચાલી રહી છે. તો છત્તીસગઢમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે.     



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.