Madhya Pradeshમાં મતગણતરી વચ્ચે રાજનેતાઓએ આપી પ્રતિક્રિયા, Shivrajsinhએ કહ્યું કે ....


  • Published By :
  • Published Date : 2023-12-03 11:36:15

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં તરત ફેરફાર આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં  ભાજપ આગળ ચાલતી દેખાઈ રહી છે. રૂઝાનમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. મધ્યપ્રદેશમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે અલગ અલગ રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. મધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણે જીતની શુભકામનાઓ પણ પાઠવી દીધી છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે. દિગ્વિજય સિંહે પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીત પાકી છે તેવી વાત કરી છે.   

ક્યાં કઈ પાર્ટી આગળ?

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેમજ તેલંગાણા માટે વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં 230 સીટો માટે મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે ઈલેક્શન કમિશનના આંકડા પ્રમાણે બીજેપીને 126 સીટો મળી શકે છે જ્યારે 50 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં બીજેપી આગળ ચાલી રહી છે. તો છત્તીસગઢમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.