ચૂંટણી ન હોવા છતાંય Gas Cylinder Price મુદ્દે ગરમાઈ રાજનીતિ! Congress બાદ AAPએ Gujaratની BJP સરકારને પૂછ્યો સવાલ કે


  • Published By :
  • Published Date : 2024-01-03 16:59:38

ગુજરાતમાં ભલે હમણાં ચૂંટણી નથી આવી રહી. પરંતુ ગેસ સિલિન્ડરના ભાવને લઈ રાજનીતિ આપણા રાજ્યમાં શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાતાઓને રિઝવવા માટે અનેક વાયદા, વચનો પાર્ટી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે રાજસ્થાનમાં ભાજપની સરકાર બની છે. રાજસ્થાનમાં સરકારે મહિલાઓને નવા વર્ષની ભેટ આપી છે. ગેસ સિલિન્ડરને 450 રુપિયામાં આપવાની જાહેરાત કરી છે. ગેસ સિલિન્ડરના ભાવ અંગેની જાહેરાત ગુજરાતના ન્યુઝ પેપરમાં છપાઈ. આ એડ બાદ રાજકારણ શરૂ થઈ ગયું. પહેલા કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરી અને હવે આમ આદમી પાર્ટીએ સરકારને ઘરી છે. ઠેર ઠેર આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ બાદ આપ દ્વારા ભાવ મુદ્દે કરવામાં આવ્યો વિરોધ 

ગેસ સિલિન્ડરના ભાવ રાજનીતિમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. ચૂંટણી આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવે છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવમાં તોતિંગ વધારો થાય છે. આ જાણે એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે. અમે જ્યારે ભાવ ઘટાડાની સ્ટોરી લખીએ છીએ ત્યારે આ અંગેની કમેન્ટ દર્શકો દ્વારા કરવામાં આવતી હોય છે. ભાજપની સરકાર રાજસ્થાનમાં બની. તે બાદ ગેસ સિલિન્ડરને 450 રુપિયા આપવાની જાહેરાત કરી. આ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું. ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભાજપની સરકાર છે તો પણ ગુજરાતની મહિલાઓને 450 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં નથી આવ્યો તેવી વાત, તેવો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો. ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ મુદ્દે આમ આદમી પાર્ટી વિરોધમાં ઉતરી છે.


ઠેર ઠેર આપના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ 

ઠેર-ઠેર આપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. અમરેલી, પંચમહાલ, પાટણ, કચ્છમાં પોસ્ટરો લઈને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો તો આવા જ વિરોધના દ્રશ્યો જુનાગઢ તેમજ ભાવનગરથી પણ સામે આવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે અને જેમાં લખવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ગેસ સિલિન્ડર ₹450 માં આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતની જનતા કેમ ₹1100 રૂપિયા ચૂકવે?



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.