ચૂંટણી ન હોવા છતાંય Gas Cylinder Price મુદ્દે ગરમાઈ રાજનીતિ! Congress બાદ AAPએ Gujaratની BJP સરકારને પૂછ્યો સવાલ કે


  • Published By :
  • Published Date : 2024-01-03 16:59:38

ગુજરાતમાં ભલે હમણાં ચૂંટણી નથી આવી રહી. પરંતુ ગેસ સિલિન્ડરના ભાવને લઈ રાજનીતિ આપણા રાજ્યમાં શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાતાઓને રિઝવવા માટે અનેક વાયદા, વચનો પાર્ટી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે રાજસ્થાનમાં ભાજપની સરકાર બની છે. રાજસ્થાનમાં સરકારે મહિલાઓને નવા વર્ષની ભેટ આપી છે. ગેસ સિલિન્ડરને 450 રુપિયામાં આપવાની જાહેરાત કરી છે. ગેસ સિલિન્ડરના ભાવ અંગેની જાહેરાત ગુજરાતના ન્યુઝ પેપરમાં છપાઈ. આ એડ બાદ રાજકારણ શરૂ થઈ ગયું. પહેલા કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરી અને હવે આમ આદમી પાર્ટીએ સરકારને ઘરી છે. ઠેર ઠેર આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ બાદ આપ દ્વારા ભાવ મુદ્દે કરવામાં આવ્યો વિરોધ 

ગેસ સિલિન્ડરના ભાવ રાજનીતિમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. ચૂંટણી આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવે છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવમાં તોતિંગ વધારો થાય છે. આ જાણે એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે. અમે જ્યારે ભાવ ઘટાડાની સ્ટોરી લખીએ છીએ ત્યારે આ અંગેની કમેન્ટ દર્શકો દ્વારા કરવામાં આવતી હોય છે. ભાજપની સરકાર રાજસ્થાનમાં બની. તે બાદ ગેસ સિલિન્ડરને 450 રુપિયા આપવાની જાહેરાત કરી. આ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું. ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભાજપની સરકાર છે તો પણ ગુજરાતની મહિલાઓને 450 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં નથી આવ્યો તેવી વાત, તેવો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો. ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ મુદ્દે આમ આદમી પાર્ટી વિરોધમાં ઉતરી છે.


ઠેર ઠેર આપના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ 

ઠેર-ઠેર આપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. અમરેલી, પંચમહાલ, પાટણ, કચ્છમાં પોસ્ટરો લઈને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો તો આવા જ વિરોધના દ્રશ્યો જુનાગઢ તેમજ ભાવનગરથી પણ સામે આવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે અને જેમાં લખવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ગેસ સિલિન્ડર ₹450 માં આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતની જનતા કેમ ₹1100 રૂપિયા ચૂકવે?



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.