ચૂંટણી ન હોવા છતાંય Gas Cylinder Price મુદ્દે ગરમાઈ રાજનીતિ! Congress બાદ AAPએ Gujaratની BJP સરકારને પૂછ્યો સવાલ કે


  • Published By :
  • Published Date : 2024-01-03 16:59:38

ગુજરાતમાં ભલે હમણાં ચૂંટણી નથી આવી રહી. પરંતુ ગેસ સિલિન્ડરના ભાવને લઈ રાજનીતિ આપણા રાજ્યમાં શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાતાઓને રિઝવવા માટે અનેક વાયદા, વચનો પાર્ટી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે રાજસ્થાનમાં ભાજપની સરકાર બની છે. રાજસ્થાનમાં સરકારે મહિલાઓને નવા વર્ષની ભેટ આપી છે. ગેસ સિલિન્ડરને 450 રુપિયામાં આપવાની જાહેરાત કરી છે. ગેસ સિલિન્ડરના ભાવ અંગેની જાહેરાત ગુજરાતના ન્યુઝ પેપરમાં છપાઈ. આ એડ બાદ રાજકારણ શરૂ થઈ ગયું. પહેલા કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરી અને હવે આમ આદમી પાર્ટીએ સરકારને ઘરી છે. ઠેર ઠેર આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ બાદ આપ દ્વારા ભાવ મુદ્દે કરવામાં આવ્યો વિરોધ 

ગેસ સિલિન્ડરના ભાવ રાજનીતિમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. ચૂંટણી આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવે છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવમાં તોતિંગ વધારો થાય છે. આ જાણે એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે. અમે જ્યારે ભાવ ઘટાડાની સ્ટોરી લખીએ છીએ ત્યારે આ અંગેની કમેન્ટ દર્શકો દ્વારા કરવામાં આવતી હોય છે. ભાજપની સરકાર રાજસ્થાનમાં બની. તે બાદ ગેસ સિલિન્ડરને 450 રુપિયા આપવાની જાહેરાત કરી. આ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું. ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભાજપની સરકાર છે તો પણ ગુજરાતની મહિલાઓને 450 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં નથી આવ્યો તેવી વાત, તેવો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો. ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ મુદ્દે આમ આદમી પાર્ટી વિરોધમાં ઉતરી છે.


ઠેર ઠેર આપના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ 

ઠેર-ઠેર આપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. અમરેલી, પંચમહાલ, પાટણ, કચ્છમાં પોસ્ટરો લઈને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો તો આવા જ વિરોધના દ્રશ્યો જુનાગઢ તેમજ ભાવનગરથી પણ સામે આવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે અને જેમાં લખવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ગેસ સિલિન્ડર ₹450 માં આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતની જનતા કેમ ₹1100 રૂપિયા ચૂકવે?



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે