દિલ્હીમાં વરસાદી પાણીને લઈ ગરમાઈ રાજનીતિ! ભાજપ પર આમ આદમી પાર્ટીએ આરોપ લગાવતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-07-15 15:51:42

દેશમાં ચોમાસાની સિઝન જોરદાર જામી છે. અનેક રાજ્યોમાં વરસી રહેલો વરસાદ કહેર વર્તાવી રહ્યો છે. થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશની હાલત વરસાદે ખરાબ કરી હતી ત્યારે હવે દિલ્હીને વરસાદ ધમરોળી રહ્યો છે. યમુના નદીનું જળસ્તર ભલે ઘટી રહ્યું છે પરંતુ વરસાદે મચાવેલી તારાજીથી જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. દિલ્હી જાણે જળમગ્ન થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દિલ્હીના અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ખરાબ થતી પરિસ્થિતિને જોતા આર્મીની મદદ લેવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વરસાદને લઈ  પણ રાજકારણ ગરમાયું છે. દિલ્હીને જાણી જોઈને ડૂબાડવામાં આવી રહે છે, તેવા આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કર્યા છે. ભાજપ પર નિશાન સાધ્યું છે.

ષડયંત્ર અંતર્ગત દિલ્હીને ડૂબાડવાની કરાઈ કોશિશ 

દિલ્હીમાં ઘણા સમયથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સુપ્રીમ કોર્ટના રસ્તાની બહાર, રાજઘાટ સહિતની જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. દિલ્હીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, યમુના નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું હતું. જળસ્તર વધવાને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ સેનાની મદદ લેવાની પણ વાત કરી હતી. વરસાદને લઈ તેમજ ભરાયેલા વરસાદી પાણીને લઈ આક્ષેપબાજી શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે જેમાં તેમણે આક્ષેપ લગાવ્યા છે કે જાણીજોઈને દિલ્હીને ડૂબાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે.


આપે ભાજપ પર લગાવ્યો આરોપ 

આરોપ લગાવતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે હથિનીકુંડ બેરાજથી ત્રણ કેનાલ નિકળે છે, પરંતુ ષડયંત્ર અંતર્ગત 9-13 જુલાઈ સુધી વેસ્ટર્ન કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ન હતું. બધુ પાણી ષડયંત્ર અંતર્ગત દિલ્હી તરફ છોડવામાં આવ્યું અને દિલ્હીને ડુબાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પશ્ચિમ નહેર માટે પાણી છોડાયું જ નહોતું. વધુમાં તેમણે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ અધિકારી જેવા એલજીના પ્રિય અધિકારી તેમના મંત્રી ફોન નથી ઉઠાવી રહ્યા.

ભાજપે આપી પ્રતિક્રિયા

તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા આરોપનો ભારતીય જનતા પાર્ટી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. બીજેપી નેતાએ કહ્યું કે આજે દિલ્હીના આઈટીઓ, રાજઘાટ સહિતની જગ્યાઓ ડૂબી રહી છે. સ્કૂલ, કોલેજ તેમજ ઓફિસો બંધ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રીઓ માત્ર આરોપ લગાવી રહ્યા છે. બ્લેમ ગેમ રમી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ખોટો વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું આ સમય આરોપ પ્રતિઆરોપ કરવાનો છે? દરેક વસ્તુમાં, દરેક તકલીફમાં રાજનીતિ કરવી જરૂરી છે?      




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .