દિલ્હીમાં વરસાદી પાણીને લઈ ગરમાઈ રાજનીતિ! ભાજપ પર આમ આદમી પાર્ટીએ આરોપ લગાવતા કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-07-15 15:51:42

દેશમાં ચોમાસાની સિઝન જોરદાર જામી છે. અનેક રાજ્યોમાં વરસી રહેલો વરસાદ કહેર વર્તાવી રહ્યો છે. થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશની હાલત વરસાદે ખરાબ કરી હતી ત્યારે હવે દિલ્હીને વરસાદ ધમરોળી રહ્યો છે. યમુના નદીનું જળસ્તર ભલે ઘટી રહ્યું છે પરંતુ વરસાદે મચાવેલી તારાજીથી જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. દિલ્હી જાણે જળમગ્ન થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દિલ્હીના અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ખરાબ થતી પરિસ્થિતિને જોતા આર્મીની મદદ લેવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વરસાદને લઈ  પણ રાજકારણ ગરમાયું છે. દિલ્હીને જાણી જોઈને ડૂબાડવામાં આવી રહે છે, તેવા આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કર્યા છે. ભાજપ પર નિશાન સાધ્યું છે.

ષડયંત્ર અંતર્ગત દિલ્હીને ડૂબાડવાની કરાઈ કોશિશ 

દિલ્હીમાં ઘણા સમયથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સુપ્રીમ કોર્ટના રસ્તાની બહાર, રાજઘાટ સહિતની જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. દિલ્હીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, યમુના નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું હતું. જળસ્તર વધવાને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ સેનાની મદદ લેવાની પણ વાત કરી હતી. વરસાદને લઈ તેમજ ભરાયેલા વરસાદી પાણીને લઈ આક્ષેપબાજી શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે જેમાં તેમણે આક્ષેપ લગાવ્યા છે કે જાણીજોઈને દિલ્હીને ડૂબાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે.


આપે ભાજપ પર લગાવ્યો આરોપ 

આરોપ લગાવતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે હથિનીકુંડ બેરાજથી ત્રણ કેનાલ નિકળે છે, પરંતુ ષડયંત્ર અંતર્ગત 9-13 જુલાઈ સુધી વેસ્ટર્ન કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ન હતું. બધુ પાણી ષડયંત્ર અંતર્ગત દિલ્હી તરફ છોડવામાં આવ્યું અને દિલ્હીને ડુબાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પશ્ચિમ નહેર માટે પાણી છોડાયું જ નહોતું. વધુમાં તેમણે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ અધિકારી જેવા એલજીના પ્રિય અધિકારી તેમના મંત્રી ફોન નથી ઉઠાવી રહ્યા.

ભાજપે આપી પ્રતિક્રિયા

તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા આરોપનો ભારતીય જનતા પાર્ટી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. બીજેપી નેતાએ કહ્યું કે આજે દિલ્હીના આઈટીઓ, રાજઘાટ સહિતની જગ્યાઓ ડૂબી રહી છે. સ્કૂલ, કોલેજ તેમજ ઓફિસો બંધ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રીઓ માત્ર આરોપ લગાવી રહ્યા છે. બ્લેમ ગેમ રમી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ખોટો વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું આ સમય આરોપ પ્રતિઆરોપ કરવાનો છે? દરેક વસ્તુમાં, દરેક તકલીફમાં રાજનીતિ કરવી જરૂરી છે?      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.