Bharuchમાં ગીતને લઈ ગરમાયું રાજકારણ! ભરૂચમાં Chaitar Vasava ચાલે કે Mansukh Vasava ચાલે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 11:24:09

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. મુખ્યત્વે ચૈતર વસાવા અને મનસુખ વસાવાને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. સામાન્ય રીતે ચર્ચાઓ રાજકારણને કારણે થતી હોય છે પરંતુ આ વખતે ચર્ચા ગીતને કારણે થઈ રહી છે.. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત એક ગીત સાંભળવા મળતું હોય છે કે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે... આ ગીત અનેક વખત તમે પણ સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. પરંતુ આવું ગીત મનસુખ વસાવા માટે બન્યું છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. 

ડીજેમાં ગીત વાગતા થઈ ગઈ બબાલ!

આદિવાસી વિસ્તારમાં વરઘોડામાં પણ અનેક વખત ચૈતરભાઈ ચાલે સોન્ગ વાગતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડીજેવાળાએ એક જ ચાલે મનસુખ વસાવા ચાલે ગીત વગાડ્યું હતું અને બબાલ થઈ ગઈ! વરઘોડામાં નાચી રહેલા લોકો રોષે ભરાયા હતા. મહત્વનું છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા તે વખતે પણ આવા અનેક ગીતો વાયરલ થયા હતા. ચૈતર વસાવાના સમર્થનમાં પણ અનેક વખત તેમના સમર્થકોએ રેલી કાઢી હતી. 



ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...