Bharuchમાં ગીતને લઈ ગરમાયું રાજકારણ! ભરૂચમાં Chaitar Vasava ચાલે કે Mansukh Vasava ચાલે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 11:24:09

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. મુખ્યત્વે ચૈતર વસાવા અને મનસુખ વસાવાને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. સામાન્ય રીતે ચર્ચાઓ રાજકારણને કારણે થતી હોય છે પરંતુ આ વખતે ચર્ચા ગીતને કારણે થઈ રહી છે.. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત એક ગીત સાંભળવા મળતું હોય છે કે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે... આ ગીત અનેક વખત તમે પણ સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. પરંતુ આવું ગીત મનસુખ વસાવા માટે બન્યું છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. 

ડીજેમાં ગીત વાગતા થઈ ગઈ બબાલ!

આદિવાસી વિસ્તારમાં વરઘોડામાં પણ અનેક વખત ચૈતરભાઈ ચાલે સોન્ગ વાગતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડીજેવાળાએ એક જ ચાલે મનસુખ વસાવા ચાલે ગીત વગાડ્યું હતું અને બબાલ થઈ ગઈ! વરઘોડામાં નાચી રહેલા લોકો રોષે ભરાયા હતા. મહત્વનું છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા તે વખતે પણ આવા અનેક ગીતો વાયરલ થયા હતા. ચૈતર વસાવાના સમર્થનમાં પણ અનેક વખત તેમના સમર્થકોએ રેલી કાઢી હતી. 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.