Bharuchમાં ગીતને લઈ ગરમાયું રાજકારણ! ભરૂચમાં Chaitar Vasava ચાલે કે Mansukh Vasava ચાલે?


  • Published By :
  • Published Date : 2024-02-09 11:24:09

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. મુખ્યત્વે ચૈતર વસાવા અને મનસુખ વસાવાને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. સામાન્ય રીતે ચર્ચાઓ રાજકારણને કારણે થતી હોય છે પરંતુ આ વખતે ચર્ચા ગીતને કારણે થઈ રહી છે.. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત એક ગીત સાંભળવા મળતું હોય છે કે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે... આ ગીત અનેક વખત તમે પણ સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. પરંતુ આવું ગીત મનસુખ વસાવા માટે બન્યું છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. 

ડીજેમાં ગીત વાગતા થઈ ગઈ બબાલ!

આદિવાસી વિસ્તારમાં વરઘોડામાં પણ અનેક વખત ચૈતરભાઈ ચાલે સોન્ગ વાગતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડીજેવાળાએ એક જ ચાલે મનસુખ વસાવા ચાલે ગીત વગાડ્યું હતું અને બબાલ થઈ ગઈ! વરઘોડામાં નાચી રહેલા લોકો રોષે ભરાયા હતા. મહત્વનું છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા તે વખતે પણ આવા અનેક ગીતો વાયરલ થયા હતા. ચૈતર વસાવાના સમર્થનમાં પણ અનેક વખત તેમના સમર્થકોએ રેલી કાઢી હતી. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.