Bharuchમાં ગીતને લઈ ગરમાયું રાજકારણ! ભરૂચમાં Chaitar Vasava ચાલે કે Mansukh Vasava ચાલે?


  • Published By :
  • Published Date : 2024-02-09 11:24:09

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. મુખ્યત્વે ચૈતર વસાવા અને મનસુખ વસાવાને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. સામાન્ય રીતે ચર્ચાઓ રાજકારણને કારણે થતી હોય છે પરંતુ આ વખતે ચર્ચા ગીતને કારણે થઈ રહી છે.. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત એક ગીત સાંભળવા મળતું હોય છે કે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે... આ ગીત અનેક વખત તમે પણ સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. પરંતુ આવું ગીત મનસુખ વસાવા માટે બન્યું છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. 

ડીજેમાં ગીત વાગતા થઈ ગઈ બબાલ!

આદિવાસી વિસ્તારમાં વરઘોડામાં પણ અનેક વખત ચૈતરભાઈ ચાલે સોન્ગ વાગતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડીજેવાળાએ એક જ ચાલે મનસુખ વસાવા ચાલે ગીત વગાડ્યું હતું અને બબાલ થઈ ગઈ! વરઘોડામાં નાચી રહેલા લોકો રોષે ભરાયા હતા. મહત્વનું છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા તે વખતે પણ આવા અનેક ગીતો વાયરલ થયા હતા. ચૈતર વસાવાના સમર્થનમાં પણ અનેક વખત તેમના સમર્થકોએ રેલી કાઢી હતી. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.