BJPના Ratnakar દ્વારા કરવામાં આવેલી કૂતરા વાળી પોસ્ટને લઈ ગરમાઈ રાજનીતિ, ઈસુદાન ગઢવીએ કહ્યું કે.. તો કોંગ્રેસ દ્વારા અપાઈ આ પ્રતિક્રિયા..


  • Published By :
  • Published Date : 2024-06-08 11:11:51

નેતાઓ દ્વારા અનેક વખત એવા નિવેદનો, સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ મૂકવામાં આવે છે જેને જોતા લાગે કે નેતામાં રહેલો વિવેક મરી પરવાર્યો છે.. અહંકાર જાણે તેમના માથે ચઢી ગયો છે... સોશિયલ મીડિયા પર ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી જેની ચર્ચા થઈ રહી છે.. પોસ્ટમાં તેમણે એક નવનિર્મિત રસ્તા છે અને તેની પરથી શ્વાન પસાર થઈ જાય છે જેને કારણે તેના પગલા રસ્તા પર રહી જાય છે. કેપ્શન આપતા લખ્યું કે “ઈસ ચિત્ર સે હમેં યે શિક્ષા મિલતી હૈ કિ કુત્તો કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા હૈ...” આ વાતને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે...  

જો ઓછા મત મળે તો મતદાતાના માથા પર દોષનો ટોપલો મૂકી દેવાનો! 

મનુષ્ય પ્રકૃતિ હોય છે કે સારૂં થયું હોય તો પોતે વાહવાહી લે અને ખોટું થયું હોય તો દોષનો ટોપલો બીજાના માથે મૂકી દેવાનો. રાજનીતિમાં પણ આવું જ છે. જો રાજકીય પાર્ટીને સારૂ પરિણામ આવે છે તો વાહવાહી કાર્યકર્તાઓ, નેતાઓ સામાન્ય રીતે પોતાના માથે લેતા હોય છે પરંતુ જો ઓછા મત આવે છે તો મતદાતાઓ પર દોષનો ટોપલો આપી દેવામાં આવે છે.. રાજનીતિ આંકડાનો ખેલ છે.. એક મતથી સરકાર પડી પણ શકે છે, એક મતથી ઉમેદવાર જીતી પણ શકે છે તે આપણે જોયું છે. 



જો મતદાતા જીતાડતા નથી તો તેમની તુલના કૂતરા સાથે કરવાની?

ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સોશિયલ  મીડિયા પર એક પોસ્ટ મૂકી જેને લઈ વિવાદ સર્જાયો. જો મતદાતા તેમને વિજયી નથી બનાવતા તો તેમની સરખામણી કૂતરા સાથે કરી દેવાની? આ પોસ્ટને લઈ વિવાદ વધ્યો અને અંતે આ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી.. નેતાઓ, મંત્રીઓ જે મહત્વના પદ પર બેઠા હોય છે તેમની પાસેથી અપેક્ષિત હોય છે કે તે ભાષાની મર્યાદા રાખે, શબ્દોની મર્યાદા રાખે. પરંતુ આ પોસ્ટ જોતા લાગે છે કે મહામંત્રી પોતાની ભાષા પરથી સંયમ ખોઈ બેઠા છે..! પરંતુ આ પોસ્ટને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 


કોંગ્રેસ અને આપ દ્વારા કરાઈ પોસ્ટની ટીકા 

ગુજરાત કોંગ્રેસ દ્વારા આ વાતને લઈ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે  શું ભાજપ ચૂંટણી પૂરી થતાં પોતાનો અસલી રંગ બતાવવા લાગી છે? ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરએ મતદારોને શ્વાન સાથે સરખાવ્યા! વાણી વિલાસ કરી પ્રજાને બદનામ કરવાવાળાને પ્રજા ક્યારેય સાંખી નહિં લે, સત્તાના નશામાં ચકચૂર પોતાનું ભાન ભૂલીને પ્રજાને બદનામ કરવાનું બંધ કરો.. તે સિવાય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


જ્યારે અહંકાર દિમાગ પર છવાઈ જાય છે ત્યારે... 

મહત્વનું છે કે જેમના દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે તે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે. ભાજપમાં સંગઠન મહામંત્રીનું સ્થાન મહત્વનું હોય છે.. આપણે ત્યાં કહેવાયું છે કે અહંકાર જ્યારે માણસના દિમાગમાં છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલા તેનો વિવેક મરી જાય છે.. માણસનો અહંકાર મગજ પર ચઢી જાય છે અને તેને ખબર નથી હોતી કે તે શું બોલી રહ્યો છે.. વિવેક મરેલા એક રાજનેતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નાશ જ્યારે મનુષ્ય પર મંડરાતો હોય છે ત્યારે સૌથી પહેલા માણસમાં રહેલો વિવેક મરી પરવાર્યો હોય છે. માણસ પોતાની વિવેક બુદ્ધિ અને ભાન ભૂલી જતો હોય છે. ત્યારે આ વિશે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ જરૂર જણાવજો..  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે