BJPના Ratnakar દ્વારા કરવામાં આવેલી કૂતરા વાળી પોસ્ટને લઈ ગરમાઈ રાજનીતિ, ઈસુદાન ગઢવીએ કહ્યું કે.. તો કોંગ્રેસ દ્વારા અપાઈ આ પ્રતિક્રિયા..


  • Published By :
  • Published Date : 2024-06-08 11:11:51

નેતાઓ દ્વારા અનેક વખત એવા નિવેદનો, સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ મૂકવામાં આવે છે જેને જોતા લાગે કે નેતામાં રહેલો વિવેક મરી પરવાર્યો છે.. અહંકાર જાણે તેમના માથે ચઢી ગયો છે... સોશિયલ મીડિયા પર ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી જેની ચર્ચા થઈ રહી છે.. પોસ્ટમાં તેમણે એક નવનિર્મિત રસ્તા છે અને તેની પરથી શ્વાન પસાર થઈ જાય છે જેને કારણે તેના પગલા રસ્તા પર રહી જાય છે. કેપ્શન આપતા લખ્યું કે “ઈસ ચિત્ર સે હમેં યે શિક્ષા મિલતી હૈ કિ કુત્તો કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા હૈ...” આ વાતને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે...  

જો ઓછા મત મળે તો મતદાતાના માથા પર દોષનો ટોપલો મૂકી દેવાનો! 

મનુષ્ય પ્રકૃતિ હોય છે કે સારૂં થયું હોય તો પોતે વાહવાહી લે અને ખોટું થયું હોય તો દોષનો ટોપલો બીજાના માથે મૂકી દેવાનો. રાજનીતિમાં પણ આવું જ છે. જો રાજકીય પાર્ટીને સારૂ પરિણામ આવે છે તો વાહવાહી કાર્યકર્તાઓ, નેતાઓ સામાન્ય રીતે પોતાના માથે લેતા હોય છે પરંતુ જો ઓછા મત આવે છે તો મતદાતાઓ પર દોષનો ટોપલો આપી દેવામાં આવે છે.. રાજનીતિ આંકડાનો ખેલ છે.. એક મતથી સરકાર પડી પણ શકે છે, એક મતથી ઉમેદવાર જીતી પણ શકે છે તે આપણે જોયું છે. 



જો મતદાતા જીતાડતા નથી તો તેમની તુલના કૂતરા સાથે કરવાની?

ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સોશિયલ  મીડિયા પર એક પોસ્ટ મૂકી જેને લઈ વિવાદ સર્જાયો. જો મતદાતા તેમને વિજયી નથી બનાવતા તો તેમની સરખામણી કૂતરા સાથે કરી દેવાની? આ પોસ્ટને લઈ વિવાદ વધ્યો અને અંતે આ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી.. નેતાઓ, મંત્રીઓ જે મહત્વના પદ પર બેઠા હોય છે તેમની પાસેથી અપેક્ષિત હોય છે કે તે ભાષાની મર્યાદા રાખે, શબ્દોની મર્યાદા રાખે. પરંતુ આ પોસ્ટ જોતા લાગે છે કે મહામંત્રી પોતાની ભાષા પરથી સંયમ ખોઈ બેઠા છે..! પરંતુ આ પોસ્ટને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 


કોંગ્રેસ અને આપ દ્વારા કરાઈ પોસ્ટની ટીકા 

ગુજરાત કોંગ્રેસ દ્વારા આ વાતને લઈ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે  શું ભાજપ ચૂંટણી પૂરી થતાં પોતાનો અસલી રંગ બતાવવા લાગી છે? ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરએ મતદારોને શ્વાન સાથે સરખાવ્યા! વાણી વિલાસ કરી પ્રજાને બદનામ કરવાવાળાને પ્રજા ક્યારેય સાંખી નહિં લે, સત્તાના નશામાં ચકચૂર પોતાનું ભાન ભૂલીને પ્રજાને બદનામ કરવાનું બંધ કરો.. તે સિવાય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


જ્યારે અહંકાર દિમાગ પર છવાઈ જાય છે ત્યારે... 

મહત્વનું છે કે જેમના દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે તે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે. ભાજપમાં સંગઠન મહામંત્રીનું સ્થાન મહત્વનું હોય છે.. આપણે ત્યાં કહેવાયું છે કે અહંકાર જ્યારે માણસના દિમાગમાં છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલા તેનો વિવેક મરી જાય છે.. માણસનો અહંકાર મગજ પર ચઢી જાય છે અને તેને ખબર નથી હોતી કે તે શું બોલી રહ્યો છે.. વિવેક મરેલા એક રાજનેતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નાશ જ્યારે મનુષ્ય પર મંડરાતો હોય છે ત્યારે સૌથી પહેલા માણસમાં રહેલો વિવેક મરી પરવાર્યો હોય છે. માણસ પોતાની વિવેક બુદ્ધિ અને ભાન ભૂલી જતો હોય છે. ત્યારે આ વિશે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ જરૂર જણાવજો..  



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.