BJPના Ratnakar દ્વારા કરવામાં આવેલી કૂતરા વાળી પોસ્ટને લઈ ગરમાઈ રાજનીતિ, ઈસુદાન ગઢવીએ કહ્યું કે.. તો કોંગ્રેસ દ્વારા અપાઈ આ પ્રતિક્રિયા..


  • Published By :
  • Published Date : 2024-06-08 11:11:51

નેતાઓ દ્વારા અનેક વખત એવા નિવેદનો, સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ મૂકવામાં આવે છે જેને જોતા લાગે કે નેતામાં રહેલો વિવેક મરી પરવાર્યો છે.. અહંકાર જાણે તેમના માથે ચઢી ગયો છે... સોશિયલ મીડિયા પર ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી જેની ચર્ચા થઈ રહી છે.. પોસ્ટમાં તેમણે એક નવનિર્મિત રસ્તા છે અને તેની પરથી શ્વાન પસાર થઈ જાય છે જેને કારણે તેના પગલા રસ્તા પર રહી જાય છે. કેપ્શન આપતા લખ્યું કે “ઈસ ચિત્ર સે હમેં યે શિક્ષા મિલતી હૈ કિ કુત્તો કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા હૈ...” આ વાતને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે...  

જો ઓછા મત મળે તો મતદાતાના માથા પર દોષનો ટોપલો મૂકી દેવાનો! 

મનુષ્ય પ્રકૃતિ હોય છે કે સારૂં થયું હોય તો પોતે વાહવાહી લે અને ખોટું થયું હોય તો દોષનો ટોપલો બીજાના માથે મૂકી દેવાનો. રાજનીતિમાં પણ આવું જ છે. જો રાજકીય પાર્ટીને સારૂ પરિણામ આવે છે તો વાહવાહી કાર્યકર્તાઓ, નેતાઓ સામાન્ય રીતે પોતાના માથે લેતા હોય છે પરંતુ જો ઓછા મત આવે છે તો મતદાતાઓ પર દોષનો ટોપલો આપી દેવામાં આવે છે.. રાજનીતિ આંકડાનો ખેલ છે.. એક મતથી સરકાર પડી પણ શકે છે, એક મતથી ઉમેદવાર જીતી પણ શકે છે તે આપણે જોયું છે. 



જો મતદાતા જીતાડતા નથી તો તેમની તુલના કૂતરા સાથે કરવાની?

ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સોશિયલ  મીડિયા પર એક પોસ્ટ મૂકી જેને લઈ વિવાદ સર્જાયો. જો મતદાતા તેમને વિજયી નથી બનાવતા તો તેમની સરખામણી કૂતરા સાથે કરી દેવાની? આ પોસ્ટને લઈ વિવાદ વધ્યો અને અંતે આ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી.. નેતાઓ, મંત્રીઓ જે મહત્વના પદ પર બેઠા હોય છે તેમની પાસેથી અપેક્ષિત હોય છે કે તે ભાષાની મર્યાદા રાખે, શબ્દોની મર્યાદા રાખે. પરંતુ આ પોસ્ટ જોતા લાગે છે કે મહામંત્રી પોતાની ભાષા પરથી સંયમ ખોઈ બેઠા છે..! પરંતુ આ પોસ્ટને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 


કોંગ્રેસ અને આપ દ્વારા કરાઈ પોસ્ટની ટીકા 

ગુજરાત કોંગ્રેસ દ્વારા આ વાતને લઈ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે  શું ભાજપ ચૂંટણી પૂરી થતાં પોતાનો અસલી રંગ બતાવવા લાગી છે? ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરએ મતદારોને શ્વાન સાથે સરખાવ્યા! વાણી વિલાસ કરી પ્રજાને બદનામ કરવાવાળાને પ્રજા ક્યારેય સાંખી નહિં લે, સત્તાના નશામાં ચકચૂર પોતાનું ભાન ભૂલીને પ્રજાને બદનામ કરવાનું બંધ કરો.. તે સિવાય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


જ્યારે અહંકાર દિમાગ પર છવાઈ જાય છે ત્યારે... 

મહત્વનું છે કે જેમના દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે તે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે. ભાજપમાં સંગઠન મહામંત્રીનું સ્થાન મહત્વનું હોય છે.. આપણે ત્યાં કહેવાયું છે કે અહંકાર જ્યારે માણસના દિમાગમાં છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલા તેનો વિવેક મરી જાય છે.. માણસનો અહંકાર મગજ પર ચઢી જાય છે અને તેને ખબર નથી હોતી કે તે શું બોલી રહ્યો છે.. વિવેક મરેલા એક રાજનેતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નાશ જ્યારે મનુષ્ય પર મંડરાતો હોય છે ત્યારે સૌથી પહેલા માણસમાં રહેલો વિવેક મરી પરવાર્યો હોય છે. માણસ પોતાની વિવેક બુદ્ધિ અને ભાન ભૂલી જતો હોય છે. ત્યારે આ વિશે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ જરૂર જણાવજો..  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.