બિહારમાં રાજકારણ ગરમાયું, નીતિશ કરી શકે છે વિધાનસભા ભંગ, લાલૂના વિપક્ષી MLAને સાધવાના પ્રયાસ શરૂ


  • Published By :
  • Published Date : 2024-01-25 18:53:59

બિહારની રાજનીતિમાં ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે. નીતિશ કુમાર RJD સાથેના સંબંધો તોડવાની અટકળો વચ્ચે, લાલુ કેમ્પે 122ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે વધુ 8 ધારાસભ્યોને સાધવાના પ્રયાસો શરૂ કર્યા છે. હાલમાં 243 બેઠકોની વિધાનસભામાં બેઠકોનું ગણિત કંઈક આ પ્રકારનું છે. જો RJD+કોંગ્રેસ+લેફ્ટની સીટો જોડવામાં આવે તો સંખ્યા 79+19+16 એટલે કે 114 થાય છે. સ્પષ્ટ છે કે બહુમત માટે 8 ધારાસભ્યોની અછત છે. લાલુ કેમ્પ આ 8 ધારાસભ્યોને ખેંચવા માટે પ્રયાસો કરી રહ્યો છે.


નીતિશ કરી શકે છે વિધાનસભા ભંગ 


નીતિશ કુમાર તેમના નિવાસસ્થાને જેડીયુના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. લાલુ યાદવ સત્તાના જાદુઈ આંકડાઓ એકઠા કરે તે પહેલા જ નીતિશ વિધાનસભા ભંગ કરી શકે છે. સત્તા મેળવવા માટે બેઠકોના સમીકરણની વાત કરીએ તો જીતન રામ માંઝીની પાર્ટી HAM પાસે 4 ધારાસભ્યો છે. AIMIM પાસે 1 ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્ય (સુમિત સિંહ) છે. જો લાલુ તેમને પણ લઈ લે તો સંખ્યા 120 થઈ જાય છે. લાલુને હજુ 2 ધારાસભ્યોની જરૂર છે. જ્યારે, સીએમ હાઉસ બાદ રાબડી આવાસમાં પણ ગતિવિધી વધી ગઈ છે. તેમના નજીકના સહયોગી ભોલા યાદવ અને શક્તિ સિંહ યાદવ લાલુને મળવા માટે રાબડીના ઘરે પહોંચ્યા છે. તેમના સિવાય કેટલાક અન્ય ધારાસભ્યો પણ આવી રહ્યા છે.


લાલુની પુત્રીની પોસ્ટથી રાજકારણ ગરમાયું


ઉલ્લેખનિય છે કે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આજે ​​પોતાના 'X' એકાઉન્ટ પર ત્રણ પોસ્ટ કરી હતી, જેણે બિહારના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. મામલો એટલો વધી ગયો કે ખુદ સીએમ નીતિશ કુમારે રોહિણીની પોસ્ટની માહિતી માંગી હતી. જ્યારે મામલો વધી ગયો, ત્યારે રોહિણીએ કોઈ ખુલાસો આપ્યા વિના ચૂપચાપ તેની પોસ્ટ્સ ડિલીટ કરી નાખી હતી.


નીતિશે RJD ક્વોટાના મંત્રીઓના વિભાગો બદલ્યા


JDU અને RJD વચ્ચે વધી રહેલા અંતર વચ્ચે, નીતિશે તાજેતરમાં RJD ક્વોટામાંથી ત્રણ મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરબદલ કર્યો હતો. બીજી તરફ જનતા દળ યુનાઈટેડ દ્વારા તેના તમામ ધારાસભ્યોને આગામી કેટલાક દિવસો સુધી પટનામાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી જીતન માંઝીએ પણ પોતાના તમામ ધારાસભ્યોને 25 જાન્યુઆરી સુધી પટનામાં જ રહેવાનો સૂચના આપી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.