કોલેજના નામ પર રાજનીતિ !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 12:12:42

કોંગ્રેસનો કોલેજના નામકરણ મુદ્દે વિરોધ


મણિનગરની એલ જી મેટ  કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેટ કૉલેજ રાખવાનું ગઈ કાલે AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં નિણર્ય લેવાયો. ત્યારે કોગ્રેસ દ્વારા તેનો વિરોધ કરતા કોલેજની બહાર ' સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજ ' નાં પોસ્ટર લગવવામાં આવ્યા અને હવે કોલેજનાં નામ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે . 


કોલેજનું નામ બદલાવાનું કારણ ?


નરેન્દ્ર મોદી જ્યારે મણિનગરનાં ધારાસભ્ય હતા અને ગૂજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે એલ જી મેટ કોલેજ બનાવી હતી એટલે મેયર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને કાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્યણ લેવામાં અવ્યો . Pm નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસ પર કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવામાં આવશે. સ્ટેડિયમબાદ હવે કોલેજનું નામ પણ નરેન્દ્ર મોદી પર રાખવામાં આવશે 

કેમ કોગ્રેસએ કર્યો વિરોધ ?


એક તરફ પેહલા પીએમ નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી , જવાહરલાલ નહેરુનાં નામે  જો કોઈ યોજના હોય કે મિલકતનું નામ હોય તો તેનો પ્રચંડ વિરોધ કરતા ત્યારે હવે ભાજપ પણ એજ નક્શા કદમ પર ચાલી રહી છે પેહલા સ્ટેડિયમનું નામ અને હવે મેડિકલ કોલેજ નું નામ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પર રાખવામાં આવે છે એટલે હવે કોગ્રેસઆ વાતનો વિરોધ કરી રહી છે . કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતુ કે, અત્યારે જેવી રીતે સ્ટેડિયમનું નામ કરણ કરીને નરેન્દ્ર મોદી કરી દેવાયું હતું. એવી જ રીતે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. શાસકો પોતાની ચાપલુસી કરવાની પરાકાષ્ટાને વટાવી ચૂક્યા છે. અહીં એલ.જી કોલેજમાં જે મહાજનોએ રૂપિયા આપ્યા હતા તેમના નામ દૂર કરીને નરેન્દ્ર મોદીનું નામ આપી દેવાયું છે.


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.