Mansukh Vasavaના નિવેદનથી ફરી ગરમાયનું Bharuch Loksabha Seatનું રાજકારણ! Chaitar Vasava માટે કહ્યું કે ચૈતર વસાવા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-01 15:57:04

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થતી હોય છે... અનેક બેઠકો ચર્ચા માટે જાણીતિ બની ગઈ છે.. એક બેઠક છે બનાસકાંઠા, બીજી છે રાજકોટ અને ત્રીજી બેઠક છે ભરૂચ.. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.. આ બંને ઉમેદવારો દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચાનો વિષય બનતો હોય છે ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે નિવેદન આપ્યું છે..

ચૈતર વસાવા માટે મનસુખ વસાવાએ કહ્યું કે.... 

ભરૂચ, બનાસકાંઠા તેમજ રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થતી રહે છે... આ લોકસભા બેઠકોની ચર્ચા જેટલી થાય છે તેટલી ચર્ચાઓ બીજી લોકસભા બેઠકોની નથી થતી.. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે.. ત્યારે નર્મદાની એક સભામાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું છે. ચૈતર વસાવા માટે કહ્યું કે ચૈતર વસાવા ગદ્દાર છે, અને તેનાથી કુતરુ તો શું બિલાડું પણ નથી ડરતુ. કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી છે. 



કોંગ્રેસ માટે મનસુખ વસાવાએ વાત કરી કે... 

કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું છે તમારા બૂથમાં ચૈતર વસાવાના વોટ ના નીકળે તેવું કરજો, નહીં તો તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે..  મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી શકે છે...મહત્વનું છે કે જ્યારે જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી ત્યારે તેમણે મનસુખ વસાવા માટે વાત કરી હતી. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોની જીત થાય છે?



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.