Mansukh Vasavaના નિવેદનથી ફરી ગરમાયનું Bharuch Loksabha Seatનું રાજકારણ! Chaitar Vasava માટે કહ્યું કે ચૈતર વસાવા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-01 15:57:04

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થતી હોય છે... અનેક બેઠકો ચર્ચા માટે જાણીતિ બની ગઈ છે.. એક બેઠક છે બનાસકાંઠા, બીજી છે રાજકોટ અને ત્રીજી બેઠક છે ભરૂચ.. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.. આ બંને ઉમેદવારો દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચાનો વિષય બનતો હોય છે ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે નિવેદન આપ્યું છે..

ચૈતર વસાવા માટે મનસુખ વસાવાએ કહ્યું કે.... 

ભરૂચ, બનાસકાંઠા તેમજ રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થતી રહે છે... આ લોકસભા બેઠકોની ચર્ચા જેટલી થાય છે તેટલી ચર્ચાઓ બીજી લોકસભા બેઠકોની નથી થતી.. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે.. ત્યારે નર્મદાની એક સભામાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું છે. ચૈતર વસાવા માટે કહ્યું કે ચૈતર વસાવા ગદ્દાર છે, અને તેનાથી કુતરુ તો શું બિલાડું પણ નથી ડરતુ. કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી છે. 



કોંગ્રેસ માટે મનસુખ વસાવાએ વાત કરી કે... 

કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું છે તમારા બૂથમાં ચૈતર વસાવાના વોટ ના નીકળે તેવું કરજો, નહીં તો તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે..  મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી શકે છે...મહત્વનું છે કે જ્યારે જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી ત્યારે તેમણે મનસુખ વસાવા માટે વાત કરી હતી. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોની જીત થાય છે?



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?