તહેવારના સમયે સર્જાતી બસની અછત પર રાજનીતિ, ભ્રષ્ટ ગણાવી આપે ભાજપને લીધી આડેહાથ


  • Published By :
  • Published Date : 2022-10-23 10:46:01

હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. દિવાળી સમયે શહેરમાં રહેતા લોકો પોતાના વતન જતા હોય છે. જેને કારણે એસટી બસ તેમજ રેલવે સ્ટેશન પર ઘણી ભીડ જોવા મળે છે. ઘણી વખત દિવાળી સમયે પૂરતી બસ ન હોવાને કારણે, બસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. એસટી બસ માટે રાહ જોતા લોકોનો વીડિયો સામે આવતા હોય છે. જેમાં પૂરતી બસ ન હોવાને કારણે મુસાફરો અટવાઈ જતા હોય છે. ત્યારે આવી ભીડ બતાવતો વીડિયો આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યો છે, જેમાં ભાજપ પર સીધે સીધા પ્રહાર કર્યા છે. ટ્વિટમાં લખ્યું છે કે ભાજપ તાયફાઓમાં ભીડ ભેગી કરવા હજારો બસોની રાતોરાત વ્યવસ્થા કરતી ભ્રષ્ટ ભાજપ સરકાર લોકોને વતન જવા કોઈ વ્યવસ્થા નથી કરી શકતી.  

People stand in lines for hours to buy bus tickets

પુરતી બસની વ્યવસ્થા ન હોવાને કારણે અટવાયા પ્રવાસીઓ

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી જીતવા દરેક રાજકીય પાર્ટી પોતાની રીતે પ્રયાસ કરી રહી છે. પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાત આવી રહ્યા છે.  વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે બસમાં બેસાડી લોકોને જનસભામાં લઈ જવામાં આવતા હોય, તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન સરકારી બસોની અછત સર્જાઈ હોય તેવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે. પુરતી બસ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુસાફરી નથી કરી શકતા. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે.   


ભાજપ પર આમ આદમી પાર્ટીએ આવી રીતે કર્યા પ્રહાર 

ટ્વિટ કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું છે કે ભાજપ તાયફાઓમાં ભીડ ભેગી કરવા હજારો બસોની વ્યવસ્થા રાતોરાત કરતી ભ્રષ્ટ ભાજપ સરકાર લોકોને વતન જવા કોઈ વ્યવસ્થા નથી કરી શકતી. ટેક્સના પૈસા તાયફાઓમાં વેડફતી ભ્રષ્ટ ભાજપ હંમેશા જવાબદારીમાંથી હાથ ખંખેરી દે છે. હવે આ નકામી ભાજપને ઘરભેગી કરવાનો સમય આવી ગયો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.