તહેવારના સમયે સર્જાતી બસની અછત પર રાજનીતિ, ભ્રષ્ટ ગણાવી આપે ભાજપને લીધી આડેહાથ


  • Published By :
  • Published Date : 2022-10-23 10:46:01

હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. દિવાળી સમયે શહેરમાં રહેતા લોકો પોતાના વતન જતા હોય છે. જેને કારણે એસટી બસ તેમજ રેલવે સ્ટેશન પર ઘણી ભીડ જોવા મળે છે. ઘણી વખત દિવાળી સમયે પૂરતી બસ ન હોવાને કારણે, બસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. એસટી બસ માટે રાહ જોતા લોકોનો વીડિયો સામે આવતા હોય છે. જેમાં પૂરતી બસ ન હોવાને કારણે મુસાફરો અટવાઈ જતા હોય છે. ત્યારે આવી ભીડ બતાવતો વીડિયો આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યો છે, જેમાં ભાજપ પર સીધે સીધા પ્રહાર કર્યા છે. ટ્વિટમાં લખ્યું છે કે ભાજપ તાયફાઓમાં ભીડ ભેગી કરવા હજારો બસોની રાતોરાત વ્યવસ્થા કરતી ભ્રષ્ટ ભાજપ સરકાર લોકોને વતન જવા કોઈ વ્યવસ્થા નથી કરી શકતી.  

People stand in lines for hours to buy bus tickets

પુરતી બસની વ્યવસ્થા ન હોવાને કારણે અટવાયા પ્રવાસીઓ

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી જીતવા દરેક રાજકીય પાર્ટી પોતાની રીતે પ્રયાસ કરી રહી છે. પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાત આવી રહ્યા છે.  વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે બસમાં બેસાડી લોકોને જનસભામાં લઈ જવામાં આવતા હોય, તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન સરકારી બસોની અછત સર્જાઈ હોય તેવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે. પુરતી બસ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુસાફરી નથી કરી શકતા. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે.   


ભાજપ પર આમ આદમી પાર્ટીએ આવી રીતે કર્યા પ્રહાર 

ટ્વિટ કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું છે કે ભાજપ તાયફાઓમાં ભીડ ભેગી કરવા હજારો બસોની વ્યવસ્થા રાતોરાત કરતી ભ્રષ્ટ ભાજપ સરકાર લોકોને વતન જવા કોઈ વ્યવસ્થા નથી કરી શકતી. ટેક્સના પૈસા તાયફાઓમાં વેડફતી ભ્રષ્ટ ભાજપ હંમેશા જવાબદારીમાંથી હાથ ખંખેરી દે છે. હવે આ નકામી ભાજપને ઘરભેગી કરવાનો સમય આવી ગયો છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.