ગુજરાતમાં મતદાનની તારીખો અને લગ્નના મુહૂર્ત ભેગા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 18:03:40


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે મતદાનની તારીખો નજીક લગ્નસરાની જોરદાર સીઝન અને મોટાપાયે લગ્નોના મુહૂર્ત હોવાથી નેતાઑની મૂંઝવણ વધી છે. જોકે નેતાઑના જણાવ્યા મુજબ તેઑ લોકોને સમજાવશે કે, મતદાન  કર્યા બાદ જ લગ્નમાં હાજરી આપવા પહોંચજો. પંડિતોના મતે 2, 4 અને 8 ડિસેમ્બરે રાજ્યમાં લગ્ન માટે ખૂબ મુહૂર્ત છે. જેને લઇને આ સમયગાળા દરમિયાન અસંખ્ય લગ્ન યોજાશે. તો બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું 1 અને 5 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.


22 નવેમ્બર થી લગ્ન સિઝનનો પ્રારંભ 


પંડિતોના મતે 22 નવેમ્બરથી ગુજરાતમાં લગ્નસરાની  સિઝનનો પ્રારંભ થશે. જે કમુર્તા સુધી ચાલશે.  પરંતુ 22 નવેમ્બરથી 16 ડિસેમ્બર વચ્ચે મોટી સંખ્યામાં લગ્નો યોજાશે. તેમાં પણ  2જ, 4 અને 8 ડિસેમ્બરએ શુભ મુહૂર્ત હવાથી ધોમ લગ્નગાળો છે. 25 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્ન માટે  શુભ સમય છે 14 ડિસેમ્બર બાદ એક મહિનો કમુર્તા હશે. 28 નવેમ્બર, 29 અને 2 ડિસેમ્બર, 4 અને 8 ડિસેમ્બર છે.  મહત્વનું છે કે, હાલ કોરોના પ્રતિબંધ ન હોવાથી મહેમાનોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળશે.જેને લઇને આયોજકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.