ગુજરાતમાં મતદાનની તારીખો અને લગ્નના મુહૂર્ત ભેગા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 18:03:40


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે મતદાનની તારીખો નજીક લગ્નસરાની જોરદાર સીઝન અને મોટાપાયે લગ્નોના મુહૂર્ત હોવાથી નેતાઑની મૂંઝવણ વધી છે. જોકે નેતાઑના જણાવ્યા મુજબ તેઑ લોકોને સમજાવશે કે, મતદાન  કર્યા બાદ જ લગ્નમાં હાજરી આપવા પહોંચજો. પંડિતોના મતે 2, 4 અને 8 ડિસેમ્બરે રાજ્યમાં લગ્ન માટે ખૂબ મુહૂર્ત છે. જેને લઇને આ સમયગાળા દરમિયાન અસંખ્ય લગ્ન યોજાશે. તો બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું 1 અને 5 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.


22 નવેમ્બર થી લગ્ન સિઝનનો પ્રારંભ 


પંડિતોના મતે 22 નવેમ્બરથી ગુજરાતમાં લગ્નસરાની  સિઝનનો પ્રારંભ થશે. જે કમુર્તા સુધી ચાલશે.  પરંતુ 22 નવેમ્બરથી 16 ડિસેમ્બર વચ્ચે મોટી સંખ્યામાં લગ્નો યોજાશે. તેમાં પણ  2જ, 4 અને 8 ડિસેમ્બરએ શુભ મુહૂર્ત હવાથી ધોમ લગ્નગાળો છે. 25 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્ન માટે  શુભ સમય છે 14 ડિસેમ્બર બાદ એક મહિનો કમુર્તા હશે. 28 નવેમ્બર, 29 અને 2 ડિસેમ્બર, 4 અને 8 ડિસેમ્બર છે.  મહત્વનું છે કે, હાલ કોરોના પ્રતિબંધ ન હોવાથી મહેમાનોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળશે.જેને લઇને આયોજકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.