ગુજરાતમાં મતદાનની તારીખો અને લગ્નના મુહૂર્ત ભેગા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 18:03:40


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે મતદાનની તારીખો નજીક લગ્નસરાની જોરદાર સીઝન અને મોટાપાયે લગ્નોના મુહૂર્ત હોવાથી નેતાઑની મૂંઝવણ વધી છે. જોકે નેતાઑના જણાવ્યા મુજબ તેઑ લોકોને સમજાવશે કે, મતદાન  કર્યા બાદ જ લગ્નમાં હાજરી આપવા પહોંચજો. પંડિતોના મતે 2, 4 અને 8 ડિસેમ્બરે રાજ્યમાં લગ્ન માટે ખૂબ મુહૂર્ત છે. જેને લઇને આ સમયગાળા દરમિયાન અસંખ્ય લગ્ન યોજાશે. તો બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું 1 અને 5 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.


22 નવેમ્બર થી લગ્ન સિઝનનો પ્રારંભ 


પંડિતોના મતે 22 નવેમ્બરથી ગુજરાતમાં લગ્નસરાની  સિઝનનો પ્રારંભ થશે. જે કમુર્તા સુધી ચાલશે.  પરંતુ 22 નવેમ્બરથી 16 ડિસેમ્બર વચ્ચે મોટી સંખ્યામાં લગ્નો યોજાશે. તેમાં પણ  2જ, 4 અને 8 ડિસેમ્બરએ શુભ મુહૂર્ત હવાથી ધોમ લગ્નગાળો છે. 25 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્ન માટે  શુભ સમય છે 14 ડિસેમ્બર બાદ એક મહિનો કમુર્તા હશે. 28 નવેમ્બર, 29 અને 2 ડિસેમ્બર, 4 અને 8 ડિસેમ્બર છે.  મહત્વનું છે કે, હાલ કોરોના પ્રતિબંધ ન હોવાથી મહેમાનોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળશે.જેને લઇને આયોજકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.