Chhattisgarh અને Madhya Pradeshમાં વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન, PM Modiએ કરી મતદાન કરવા માટે અપીલ


  • Published By :
  • Published Date : 2023-11-17 12:02:38

દેશના બે રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે જ્યારે મધ્યપ્રદેશમાં એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશના ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે. મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાની 70 બેઠકો પર મતદાન યોજાયું છે. રાજ્યમાં કોની સરકાર બનશે તેનું ભવિષ્ય આજે નક્કી થવાનું છે. બંને રાજ્યોમાં 11 વાગ્યા સુધી છત્તીસગઢમાં 19.65 ટકા મતદાન થયું છે, જ્યારે મધ્યપ્રદેશમાં 27.62 ટકા મતદાન થયું છે.

  

છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માટે થઈ રહ્યું છે મતદાન 

આજે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના લોકો મતદાન કરી પોતાની સરકારને સત્તા પર લાવશે. લોકતંત્રમાં એક મતદાનનું શું મહત્વ છે કે તે આપણે જાણીએ છીએ. એક વોટથી સરકાર પણ પડી જાય છે! ત્યારે પીએમ મોદીએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર મતદાન કરવા માટે લોકોને અપીલ કરતા ટ્વિટ કરી છે.   


પીએમ મોદીએ લોકોને મતદાન કરવા કરી અપીલ 

છત્તીસગઢ માટે પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. તમારો દરેક મત લોકશાહી માટે મૂલ્યવાન છે. તે ઉપરાંત મધ્યપ્રદેશ ચૂંટણી માટે પણ તેમણે મતદાતાઓને અપીલ કરી છે. આજે મધ્યપ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. મને વિશ્વાસ છે કે રાજ્યના દરેક ક્ષેત્રના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરશે અને લોકશાહીના આ મહાન તહેવારની સુંદરતામાં વધારો કરશે. આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.