Chhattisgarh અને Madhya Pradeshમાં વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન, PM Modiએ કરી મતદાન કરવા માટે અપીલ


  • Published By :
  • Published Date : 2023-11-17 12:02:38

દેશના બે રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે જ્યારે મધ્યપ્રદેશમાં એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશના ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે. મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાની 70 બેઠકો પર મતદાન યોજાયું છે. રાજ્યમાં કોની સરકાર બનશે તેનું ભવિષ્ય આજે નક્કી થવાનું છે. બંને રાજ્યોમાં 11 વાગ્યા સુધી છત્તીસગઢમાં 19.65 ટકા મતદાન થયું છે, જ્યારે મધ્યપ્રદેશમાં 27.62 ટકા મતદાન થયું છે.

  

છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માટે થઈ રહ્યું છે મતદાન 

આજે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના લોકો મતદાન કરી પોતાની સરકારને સત્તા પર લાવશે. લોકતંત્રમાં એક મતદાનનું શું મહત્વ છે કે તે આપણે જાણીએ છીએ. એક વોટથી સરકાર પણ પડી જાય છે! ત્યારે પીએમ મોદીએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર મતદાન કરવા માટે લોકોને અપીલ કરતા ટ્વિટ કરી છે.   


પીએમ મોદીએ લોકોને મતદાન કરવા કરી અપીલ 

છત્તીસગઢ માટે પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. તમારો દરેક મત લોકશાહી માટે મૂલ્યવાન છે. તે ઉપરાંત મધ્યપ્રદેશ ચૂંટણી માટે પણ તેમણે મતદાતાઓને અપીલ કરી છે. આજે મધ્યપ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. મને વિશ્વાસ છે કે રાજ્યના દરેક ક્ષેત્રના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરશે અને લોકશાહીના આ મહાન તહેવારની સુંદરતામાં વધારો કરશે. આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે