Chhattisgarh અને Madhya Pradeshમાં વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન, PM Modiએ કરી મતદાન કરવા માટે અપીલ


  • Published By :
  • Published Date : 2023-11-17 12:02:38

દેશના બે રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે જ્યારે મધ્યપ્રદેશમાં એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશના ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે. મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાની 70 બેઠકો પર મતદાન યોજાયું છે. રાજ્યમાં કોની સરકાર બનશે તેનું ભવિષ્ય આજે નક્કી થવાનું છે. બંને રાજ્યોમાં 11 વાગ્યા સુધી છત્તીસગઢમાં 19.65 ટકા મતદાન થયું છે, જ્યારે મધ્યપ્રદેશમાં 27.62 ટકા મતદાન થયું છે.

  

છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માટે થઈ રહ્યું છે મતદાન 

આજે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના લોકો મતદાન કરી પોતાની સરકારને સત્તા પર લાવશે. લોકતંત્રમાં એક મતદાનનું શું મહત્વ છે કે તે આપણે જાણીએ છીએ. એક વોટથી સરકાર પણ પડી જાય છે! ત્યારે પીએમ મોદીએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર મતદાન કરવા માટે લોકોને અપીલ કરતા ટ્વિટ કરી છે.   


પીએમ મોદીએ લોકોને મતદાન કરવા કરી અપીલ 

છત્તીસગઢ માટે પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. તમારો દરેક મત લોકશાહી માટે મૂલ્યવાન છે. તે ઉપરાંત મધ્યપ્રદેશ ચૂંટણી માટે પણ તેમણે મતદાતાઓને અપીલ કરી છે. આજે મધ્યપ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. મને વિશ્વાસ છે કે રાજ્યના દરેક ક્ષેત્રના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરશે અને લોકશાહીના આ મહાન તહેવારની સુંદરતામાં વધારો કરશે. આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.