Porbandar: દરિયાકાંઠેથી 3100 કિલો ડ્રગ્સ કબ્જે થયું જેની કિંમત છે કરોડોમાં, ATS અને NCBએ દેશના ભાવિને ડ્રગ્સના રવાડે ચઢતા બચાવી લીધા!


  • Published By :
  • Published Date : 2024-02-28 16:31:25

માદક પદાર્થોને ગુજરાતમાં ઘૂસાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવી રહ્યા છે. અનેક વખત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પરંતુ આ વખતે જે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તે ઈતિહાસમાં પહેલી વખત પકડાયો હશે.. ગુજરાતનો દરિયાકિનારો જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટેનો અડ્ડો બની રહ્યો છે. ડ્રગ્સને ગુજરાતમાં ઘૂસાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ ગુજરાત ATS અને NCB તે પ્રયત્નોને નાકામ કરી દે છે. મંગળવારે મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાંથી ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીઓએ 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

2000 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો! 

દરિયાઈ સીમાનો ઉપયોગ ડ્રગ્સને ગુજરાતમાં લાવવા માટે કરવામાં આવી રહ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે ગીર સોમનાથથી પકડાયેલા ડ્રગ્સની વાતને થોડા જ દિવસો વિત્યા છે ત્યારે તો ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે પોરબંદરના દરિયકાંઠાથી. 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશન દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેની કિંમત 2000 કરોડ હોવાનું અનુમાન છે.      

સંયુક્ત રીતે એટીએસ અને એનસીબીએ ઓપરેશનને અંજામ આપ્યો! 

બાતમીના આધારે અનેક વખત આરોપીઓને પકડવામાં સફળતા મળતી હોય છે,મોટી દુર્ઘટનાને રોકવામાં પણ સફળતા મળતી હોય છે ત્યારે આ ડ્રગ્સનો મોટો જથ્થો પકડવા માટે પણ બાતમી મળી હતી. બાતમી મળી હતી કે પોરબંદરના દરિયાકાંઠા પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ લઇને દક્ષિણ ભારત તરફ એક બોટ જઇ રહી છે. જેના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીને જાણ કરવામાં આવી. માહિતી મળતા ડ્રગ્સના કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલી બોટને પકડી પાડવામાં આવી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને નેવીના અધિકારીઓએ સંયુક્ત રીતે દરિયામાં તપાસ કરી અને ડ્રગ્સને એન્ટર થતા પહેલા પકડી લેવામાં આવ્યો. ત્રણ અલગ અલગ પ્રકારના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. આ ડ્રગ્સના જથ્થામાં હસીસ, હેરોઇન સહિત અલગ અલગ પ્રકારના કુલ ત્રણ ડ્રગ્સ હતા. 

News18 Gujarati

News18 Gujarati



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.