Porbandar: દરિયાકાંઠેથી 3100 કિલો ડ્રગ્સ કબ્જે થયું જેની કિંમત છે કરોડોમાં, ATS અને NCBએ દેશના ભાવિને ડ્રગ્સના રવાડે ચઢતા બચાવી લીધા!


  • Published By :
  • Published Date : 2024-02-28 16:31:25

માદક પદાર્થોને ગુજરાતમાં ઘૂસાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવી રહ્યા છે. અનેક વખત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પરંતુ આ વખતે જે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તે ઈતિહાસમાં પહેલી વખત પકડાયો હશે.. ગુજરાતનો દરિયાકિનારો જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટેનો અડ્ડો બની રહ્યો છે. ડ્રગ્સને ગુજરાતમાં ઘૂસાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ ગુજરાત ATS અને NCB તે પ્રયત્નોને નાકામ કરી દે છે. મંગળવારે મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાંથી ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીઓએ 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

2000 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો! 

દરિયાઈ સીમાનો ઉપયોગ ડ્રગ્સને ગુજરાતમાં લાવવા માટે કરવામાં આવી રહ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે ગીર સોમનાથથી પકડાયેલા ડ્રગ્સની વાતને થોડા જ દિવસો વિત્યા છે ત્યારે તો ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે પોરબંદરના દરિયકાંઠાથી. 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશન દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેની કિંમત 2000 કરોડ હોવાનું અનુમાન છે.      

સંયુક્ત રીતે એટીએસ અને એનસીબીએ ઓપરેશનને અંજામ આપ્યો! 

બાતમીના આધારે અનેક વખત આરોપીઓને પકડવામાં સફળતા મળતી હોય છે,મોટી દુર્ઘટનાને રોકવામાં પણ સફળતા મળતી હોય છે ત્યારે આ ડ્રગ્સનો મોટો જથ્થો પકડવા માટે પણ બાતમી મળી હતી. બાતમી મળી હતી કે પોરબંદરના દરિયાકાંઠા પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ લઇને દક્ષિણ ભારત તરફ એક બોટ જઇ રહી છે. જેના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીને જાણ કરવામાં આવી. માહિતી મળતા ડ્રગ્સના કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલી બોટને પકડી પાડવામાં આવી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને નેવીના અધિકારીઓએ સંયુક્ત રીતે દરિયામાં તપાસ કરી અને ડ્રગ્સને એન્ટર થતા પહેલા પકડી લેવામાં આવ્યો. ત્રણ અલગ અલગ પ્રકારના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. આ ડ્રગ્સના જથ્થામાં હસીસ, હેરોઇન સહિત અલગ અલગ પ્રકારના કુલ ત્રણ ડ્રગ્સ હતા. 

News18 Gujarati

News18 Gujarati



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.