Porbandar: દરિયાકાંઠેથી 3100 કિલો ડ્રગ્સ કબ્જે થયું જેની કિંમત છે કરોડોમાં, ATS અને NCBએ દેશના ભાવિને ડ્રગ્સના રવાડે ચઢતા બચાવી લીધા!


  • Published By :
  • Published Date : 2024-02-28 16:31:25

માદક પદાર્થોને ગુજરાતમાં ઘૂસાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવી રહ્યા છે. અનેક વખત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પરંતુ આ વખતે જે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તે ઈતિહાસમાં પહેલી વખત પકડાયો હશે.. ગુજરાતનો દરિયાકિનારો જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટેનો અડ્ડો બની રહ્યો છે. ડ્રગ્સને ગુજરાતમાં ઘૂસાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ ગુજરાત ATS અને NCB તે પ્રયત્નોને નાકામ કરી દે છે. મંગળવારે મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાંથી ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીઓએ 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

2000 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો! 

દરિયાઈ સીમાનો ઉપયોગ ડ્રગ્સને ગુજરાતમાં લાવવા માટે કરવામાં આવી રહ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે ગીર સોમનાથથી પકડાયેલા ડ્રગ્સની વાતને થોડા જ દિવસો વિત્યા છે ત્યારે તો ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે પોરબંદરના દરિયકાંઠાથી. 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશન દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેની કિંમત 2000 કરોડ હોવાનું અનુમાન છે.      

સંયુક્ત રીતે એટીએસ અને એનસીબીએ ઓપરેશનને અંજામ આપ્યો! 

બાતમીના આધારે અનેક વખત આરોપીઓને પકડવામાં સફળતા મળતી હોય છે,મોટી દુર્ઘટનાને રોકવામાં પણ સફળતા મળતી હોય છે ત્યારે આ ડ્રગ્સનો મોટો જથ્થો પકડવા માટે પણ બાતમી મળી હતી. બાતમી મળી હતી કે પોરબંદરના દરિયાકાંઠા પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ લઇને દક્ષિણ ભારત તરફ એક બોટ જઇ રહી છે. જેના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીને જાણ કરવામાં આવી. માહિતી મળતા ડ્રગ્સના કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલી બોટને પકડી પાડવામાં આવી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને નેવીના અધિકારીઓએ સંયુક્ત રીતે દરિયામાં તપાસ કરી અને ડ્રગ્સને એન્ટર થતા પહેલા પકડી લેવામાં આવ્યો. ત્રણ અલગ અલગ પ્રકારના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. આ ડ્રગ્સના જથ્થામાં હસીસ, હેરોઇન સહિત અલગ અલગ પ્રકારના કુલ ત્રણ ડ્રગ્સ હતા. 

News18 Gujarati

News18 Gujarati



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.