Porbandar: દરિયાકાંઠેથી 3100 કિલો ડ્રગ્સ કબ્જે થયું જેની કિંમત છે કરોડોમાં, ATS અને NCBએ દેશના ભાવિને ડ્રગ્સના રવાડે ચઢતા બચાવી લીધા!


  • Published By :
  • Published Date : 2024-02-28 16:31:25

માદક પદાર્થોને ગુજરાતમાં ઘૂસાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવી રહ્યા છે. અનેક વખત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પરંતુ આ વખતે જે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તે ઈતિહાસમાં પહેલી વખત પકડાયો હશે.. ગુજરાતનો દરિયાકિનારો જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટેનો અડ્ડો બની રહ્યો છે. ડ્રગ્સને ગુજરાતમાં ઘૂસાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ ગુજરાત ATS અને NCB તે પ્રયત્નોને નાકામ કરી દે છે. મંગળવારે મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાંથી ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીઓએ 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

2000 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો! 

દરિયાઈ સીમાનો ઉપયોગ ડ્રગ્સને ગુજરાતમાં લાવવા માટે કરવામાં આવી રહ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે ગીર સોમનાથથી પકડાયેલા ડ્રગ્સની વાતને થોડા જ દિવસો વિત્યા છે ત્યારે તો ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે પોરબંદરના દરિયકાંઠાથી. 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશન દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેની કિંમત 2000 કરોડ હોવાનું અનુમાન છે.      

સંયુક્ત રીતે એટીએસ અને એનસીબીએ ઓપરેશનને અંજામ આપ્યો! 

બાતમીના આધારે અનેક વખત આરોપીઓને પકડવામાં સફળતા મળતી હોય છે,મોટી દુર્ઘટનાને રોકવામાં પણ સફળતા મળતી હોય છે ત્યારે આ ડ્રગ્સનો મોટો જથ્થો પકડવા માટે પણ બાતમી મળી હતી. બાતમી મળી હતી કે પોરબંદરના દરિયાકાંઠા પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ લઇને દક્ષિણ ભારત તરફ એક બોટ જઇ રહી છે. જેના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીને જાણ કરવામાં આવી. માહિતી મળતા ડ્રગ્સના કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલી બોટને પકડી પાડવામાં આવી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને નેવીના અધિકારીઓએ સંયુક્ત રીતે દરિયામાં તપાસ કરી અને ડ્રગ્સને એન્ટર થતા પહેલા પકડી લેવામાં આવ્યો. ત્રણ અલગ અલગ પ્રકારના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. આ ડ્રગ્સના જથ્થામાં હસીસ, હેરોઇન સહિત અલગ અલગ પ્રકારના કુલ ત્રણ ડ્રગ્સ હતા. 

News18 Gujarati

News18 Gujarati



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.