પોરબંદર: રાણાવાવમાં ટેણીયા પાસે આધેડે કરાવ્યું હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં


  • Published By :
  • Published Date : 2023-12-10 12:25:58

હથિયારોનું જાહેરમાં પ્રદર્શન કરવાનો ટ્રેન્ડ આજકાલ બહું ચાલ્યો છે, લોકો જાહેરમાં બંદુકથી હવામાં ફાયરિંગ કરવામાં પોતાની શાન સમજતા હોય છે. પોરબંદરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે,  પોરબંદરના રાણાવાવમાં એક ભાભાએ બે વર્ષનો બાળકના હાથમાં બંદુક થમાવી દીધી હતી, એટલું જ નહીં પણ તેની પાસે બંદુકમાંથી ફાયરીંગ કરાવ્યું હતું. આધેડે વળી આ વીડિયો વોટ્સએપ ગ્રુપમાં પણ મુક્યો હતો. ફાયરિંગનો આ વીડિયો  સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થતા પોલીસે રાણાવાવના આધેડ અને તેના ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


કઈ રીતે ઝડપાયા? 


રાણાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ. જુનેજાના મોબાઈલમાં આ વિડીયો આવ્યો હતો. એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં આ વિડિયોમાં નાના બાળક સાથે બંદુકથી વીડિયો બનાવેલ ઈસમ બાબતે તપાસ કરતા આ ઈસમ રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે રહેતો બોધાભાઈ ખીમાભાઈ ડાભી છે. જેઓએ પોતાના મોટાભાઈ ભાયાભાઈ ખીમાભાઈ ડાભીનું લાયસન્સવાળુ મઝલ લોડ ડબલ બેરલ બંદુક લઈને વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકી પ્રજામાં ભયનું વાતાવરણ ઉભું કરેલ હોય જે બાબતે બન્ને આરોપીઓને પકડી પાડી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે હથીયાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.આ ગુન્હામાં રાણાવાવના સ્ટેશન પ્લોટ ફોરેસ્ટ ઓફીસની સામે ધ્રાફા પ્લોટમાં રહેતા બોધાભાઈ ખીમાભાઈ ડાભી અને ભાયાભાઈ ખીમાભાઈ ડાભીની ધરપકડ કરી છે.


પાક રક્ષણ માટે ખરીદી હતી બંદુક


પોરબંદર પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે,ભાયાભાઈ ખીમાભાઈ ડાભીએ પાકના રક્ષણ માટે ઈ.સ.2005 માં લાયસન્સ મેળવી મઝલ લોડ ડબલ બેરલ બંદુક ખરીદી હતી અને હથીયાર લાયસન્સની શરતનો તેમને ભંગ કર્યા છે. તેથી આ ગુન્હામાં પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરાઈ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.