Porbandar policeએ શોધી દેશી દારૂની ભઠ્ઠી અને કર્યો દારૂનો નાશ! Gujarat Policeએ શેર કર્યો વીડિયો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-30 10:00:16

જ્યારે નશાની વાત આવે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે નશો કરનાર વ્યક્તિ પોતાના જીવનને તો બરબાદ કરે છે પરંતુ તે જાણતા અજાણતા પોતાના પરિવારને પણ બરબાદી તરફ ધકેલે છે. જ્યારે દારૂની વાત આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે દારૂડિયાને પકડો પરંતુ તેની સાથે સાથે એવા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરો જે આ લોકો સુધી દારૂ પહોંચાડે છે, ડ્રગ્સ પહોંચાડે છે. પોલીસે દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવી જોઈએ તેવી વાતો આપણે અનેક વાર કહેતા હોઈએ છીએ ત્યારે પોરબંદર પોલીસે ત્રણ દેશી દારૂના અડ્ડા શોધી પાડ્યા છે તેનો નાશ કર્યો છે. આ અંગેની માહિતી એસપી પોરબંદર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.  

અનેક જગ્યાઓ એવી છે જ્યાં ખુલ્લેઆમ મળે છે દારૂની પોટલી! 

 સમાજમાં અનેક વ્યક્તિ એવા છે જે દારૂ પીએ છે, જો કોઈ એનાથી પણ ચઢીયાતો વ્યક્તિ હશે તો તે ડ્રગ્સ લેતો હશે. જે વિદેશી દારૂ એફોર્ડ કરી શકતો હશે તો એ વિદેશી દારૂ પીશે અને જે એફોર્ડ નહીં શકતા હોય તે દેશી દારૂ પીને નશાની લતને શાંત કરશે. આપણા રાજ્યમાં દારૂબંધી છે. તે વાત આપણે જાણીએ છીએ, રોજે આ કાયદાના ધજાગરા ઉડે છે તે પણ આપણે જાણીએ છીએ. જ્યારે અમે દારૂ અંગે સમાચાર લખીએ છીએ ત્યારે અમને કમેન્ટમાં અમારા દર્શકો કહેતા હોય છે કે આવી દારૂની ભઠ્ઠીઓ તો અનેક જગ્યાઓ પર ચાલે છે. અનેક ગલીઓ અનેક વિસ્તારો એવા છે જ્યાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોય છે.

પોરબંદર પોલીસે નષ્ટ કર્યો દેશી દારૂનો જથ્થો 

દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની આવે છે. પરંતુ અનેક કિસ્સાઓ આપણી સમક્ષ એવા આવે છે જેને કારણે પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠવા સ્વભાવિક છે. અનેક વખત જ્યારે દારૂને લઈ સમાચાર આવે છે ત્યારે અનેક લોકો કહેતા હોય છે કે અનેક જગ્યાઓ એવી હશે જેની પોલીસને પણ ખબર હશે કે અહીંયા દારૂ વેચાય છે. પરંતુ કમિશનના ચક્કરમાં કદાચ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી! આવી વાતો દિમાગમાં આવી સ્વભાવિક છે. દારૂ પીનાર જેટલો ગુન્હેગાર છે તેટલો જ ગુન્હેગાર દારૂ બનાવનાર, દારૂ વેચનાર બુટલેગર છે. દારૂ પીનારને જો સજા થાય છે તો તેનાથી વધારે કડક સજા દારૂ વેચનારને થવી જોઈએ. ત્યારે પોરબંદર પોલીસે એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.  

પોરબંદર એસપીએ શેર કર્યો વીડિયો 

વીડિયો શેર કરતા લખ્યું છે કે બરડા ડુંગર વિસ્તારમાં રાણાવા,બગદર, કુતિયાણા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી મેગા ડ્રાઈવનું આયોજન કરી દેશી દારૂની 3 ભઠ્ઠીઓ શોધી કાઢી, તેને નાશ કરતા પોરબંદર જિલ્લા પોલીસ. આ ટ્વિટને ગુજરાત પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે જે નાગરિકોને ખોટા રવાડે ચડાવી પહોંચાડે છે કષ્ટ, એમને જડમૂળથી ઉખેડી કરાશે નષ્ટ. નશો કરનાર વ્યક્તિ પોતાની સાથે પરિજનોની જીંદગીને પણ બરબાદી તરફ ધકેલે છે. 

જમાવટે કર્યું હતું સ્ટિંગ ઓપરેશન 

જે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી તેની પ્રશંસા થવી જોઈએ, પરંતુ શું આટલા જ દારૂના ભઠ્ઠા હશે જે ધમધમતા હશે ત્યાં? માત્ર ત્રણ દારૂના ભઠ્ઠાને શોધી, દારૂનો નાશ કરવાથી કામ પૂર્ણ નથી થતું. આવા તો અનેક અડ્ડા હશે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હશે. આા દ્રશ્યો જોયા બાદ પોલીસે પણ માનવું પડશે કે દારૂબંધી વાળા ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જમાવટે પણ અમદાવાદમાં Sting Operation કર્યું હતું જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતું હતું. ગુજરાત હાઈકોર્ટથી માત્ર થોડા મીટરના અંતરે જ દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો. પોલીસે ભલે દારૂના જથ્થાનો નાશ કર્યો પરંતુ એવી તો અનેક ભઠ્ઠીઓ હશે જે ધમધમી રહી હશે તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી થાય તેવી આશા.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.