Porbandar policeએ શોધી દેશી દારૂની ભઠ્ઠી અને કર્યો દારૂનો નાશ! Gujarat Policeએ શેર કર્યો વીડિયો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-30 10:00:16

જ્યારે નશાની વાત આવે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે નશો કરનાર વ્યક્તિ પોતાના જીવનને તો બરબાદ કરે છે પરંતુ તે જાણતા અજાણતા પોતાના પરિવારને પણ બરબાદી તરફ ધકેલે છે. જ્યારે દારૂની વાત આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે દારૂડિયાને પકડો પરંતુ તેની સાથે સાથે એવા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરો જે આ લોકો સુધી દારૂ પહોંચાડે છે, ડ્રગ્સ પહોંચાડે છે. પોલીસે દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવી જોઈએ તેવી વાતો આપણે અનેક વાર કહેતા હોઈએ છીએ ત્યારે પોરબંદર પોલીસે ત્રણ દેશી દારૂના અડ્ડા શોધી પાડ્યા છે તેનો નાશ કર્યો છે. આ અંગેની માહિતી એસપી પોરબંદર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.  

અનેક જગ્યાઓ એવી છે જ્યાં ખુલ્લેઆમ મળે છે દારૂની પોટલી! 

 સમાજમાં અનેક વ્યક્તિ એવા છે જે દારૂ પીએ છે, જો કોઈ એનાથી પણ ચઢીયાતો વ્યક્તિ હશે તો તે ડ્રગ્સ લેતો હશે. જે વિદેશી દારૂ એફોર્ડ કરી શકતો હશે તો એ વિદેશી દારૂ પીશે અને જે એફોર્ડ નહીં શકતા હોય તે દેશી દારૂ પીને નશાની લતને શાંત કરશે. આપણા રાજ્યમાં દારૂબંધી છે. તે વાત આપણે જાણીએ છીએ, રોજે આ કાયદાના ધજાગરા ઉડે છે તે પણ આપણે જાણીએ છીએ. જ્યારે અમે દારૂ અંગે સમાચાર લખીએ છીએ ત્યારે અમને કમેન્ટમાં અમારા દર્શકો કહેતા હોય છે કે આવી દારૂની ભઠ્ઠીઓ તો અનેક જગ્યાઓ પર ચાલે છે. અનેક ગલીઓ અનેક વિસ્તારો એવા છે જ્યાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોય છે.

પોરબંદર પોલીસે નષ્ટ કર્યો દેશી દારૂનો જથ્થો 

દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની આવે છે. પરંતુ અનેક કિસ્સાઓ આપણી સમક્ષ એવા આવે છે જેને કારણે પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠવા સ્વભાવિક છે. અનેક વખત જ્યારે દારૂને લઈ સમાચાર આવે છે ત્યારે અનેક લોકો કહેતા હોય છે કે અનેક જગ્યાઓ એવી હશે જેની પોલીસને પણ ખબર હશે કે અહીંયા દારૂ વેચાય છે. પરંતુ કમિશનના ચક્કરમાં કદાચ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી! આવી વાતો દિમાગમાં આવી સ્વભાવિક છે. દારૂ પીનાર જેટલો ગુન્હેગાર છે તેટલો જ ગુન્હેગાર દારૂ બનાવનાર, દારૂ વેચનાર બુટલેગર છે. દારૂ પીનારને જો સજા થાય છે તો તેનાથી વધારે કડક સજા દારૂ વેચનારને થવી જોઈએ. ત્યારે પોરબંદર પોલીસે એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.  

પોરબંદર એસપીએ શેર કર્યો વીડિયો 

વીડિયો શેર કરતા લખ્યું છે કે બરડા ડુંગર વિસ્તારમાં રાણાવા,બગદર, કુતિયાણા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી મેગા ડ્રાઈવનું આયોજન કરી દેશી દારૂની 3 ભઠ્ઠીઓ શોધી કાઢી, તેને નાશ કરતા પોરબંદર જિલ્લા પોલીસ. આ ટ્વિટને ગુજરાત પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે જે નાગરિકોને ખોટા રવાડે ચડાવી પહોંચાડે છે કષ્ટ, એમને જડમૂળથી ઉખેડી કરાશે નષ્ટ. નશો કરનાર વ્યક્તિ પોતાની સાથે પરિજનોની જીંદગીને પણ બરબાદી તરફ ધકેલે છે. 

જમાવટે કર્યું હતું સ્ટિંગ ઓપરેશન 

જે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી તેની પ્રશંસા થવી જોઈએ, પરંતુ શું આટલા જ દારૂના ભઠ્ઠા હશે જે ધમધમતા હશે ત્યાં? માત્ર ત્રણ દારૂના ભઠ્ઠાને શોધી, દારૂનો નાશ કરવાથી કામ પૂર્ણ નથી થતું. આવા તો અનેક અડ્ડા હશે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હશે. આા દ્રશ્યો જોયા બાદ પોલીસે પણ માનવું પડશે કે દારૂબંધી વાળા ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જમાવટે પણ અમદાવાદમાં Sting Operation કર્યું હતું જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતું હતું. ગુજરાત હાઈકોર્ટથી માત્ર થોડા મીટરના અંતરે જ દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો. પોલીસે ભલે દારૂના જથ્થાનો નાશ કર્યો પરંતુ એવી તો અનેક ભઠ્ઠીઓ હશે જે ધમધમી રહી હશે તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી થાય તેવી આશા.   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.