Porbandar policeએ શોધી દેશી દારૂની ભઠ્ઠી અને કર્યો દારૂનો નાશ! Gujarat Policeએ શેર કર્યો વીડિયો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-30 10:00:16

જ્યારે નશાની વાત આવે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે નશો કરનાર વ્યક્તિ પોતાના જીવનને તો બરબાદ કરે છે પરંતુ તે જાણતા અજાણતા પોતાના પરિવારને પણ બરબાદી તરફ ધકેલે છે. જ્યારે દારૂની વાત આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે દારૂડિયાને પકડો પરંતુ તેની સાથે સાથે એવા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરો જે આ લોકો સુધી દારૂ પહોંચાડે છે, ડ્રગ્સ પહોંચાડે છે. પોલીસે દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવી જોઈએ તેવી વાતો આપણે અનેક વાર કહેતા હોઈએ છીએ ત્યારે પોરબંદર પોલીસે ત્રણ દેશી દારૂના અડ્ડા શોધી પાડ્યા છે તેનો નાશ કર્યો છે. આ અંગેની માહિતી એસપી પોરબંદર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.  

અનેક જગ્યાઓ એવી છે જ્યાં ખુલ્લેઆમ મળે છે દારૂની પોટલી! 

 સમાજમાં અનેક વ્યક્તિ એવા છે જે દારૂ પીએ છે, જો કોઈ એનાથી પણ ચઢીયાતો વ્યક્તિ હશે તો તે ડ્રગ્સ લેતો હશે. જે વિદેશી દારૂ એફોર્ડ કરી શકતો હશે તો એ વિદેશી દારૂ પીશે અને જે એફોર્ડ નહીં શકતા હોય તે દેશી દારૂ પીને નશાની લતને શાંત કરશે. આપણા રાજ્યમાં દારૂબંધી છે. તે વાત આપણે જાણીએ છીએ, રોજે આ કાયદાના ધજાગરા ઉડે છે તે પણ આપણે જાણીએ છીએ. જ્યારે અમે દારૂ અંગે સમાચાર લખીએ છીએ ત્યારે અમને કમેન્ટમાં અમારા દર્શકો કહેતા હોય છે કે આવી દારૂની ભઠ્ઠીઓ તો અનેક જગ્યાઓ પર ચાલે છે. અનેક ગલીઓ અનેક વિસ્તારો એવા છે જ્યાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોય છે.

પોરબંદર પોલીસે નષ્ટ કર્યો દેશી દારૂનો જથ્થો 

દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની આવે છે. પરંતુ અનેક કિસ્સાઓ આપણી સમક્ષ એવા આવે છે જેને કારણે પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠવા સ્વભાવિક છે. અનેક વખત જ્યારે દારૂને લઈ સમાચાર આવે છે ત્યારે અનેક લોકો કહેતા હોય છે કે અનેક જગ્યાઓ એવી હશે જેની પોલીસને પણ ખબર હશે કે અહીંયા દારૂ વેચાય છે. પરંતુ કમિશનના ચક્કરમાં કદાચ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી! આવી વાતો દિમાગમાં આવી સ્વભાવિક છે. દારૂ પીનાર જેટલો ગુન્હેગાર છે તેટલો જ ગુન્હેગાર દારૂ બનાવનાર, દારૂ વેચનાર બુટલેગર છે. દારૂ પીનારને જો સજા થાય છે તો તેનાથી વધારે કડક સજા દારૂ વેચનારને થવી જોઈએ. ત્યારે પોરબંદર પોલીસે એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.  

પોરબંદર એસપીએ શેર કર્યો વીડિયો 

વીડિયો શેર કરતા લખ્યું છે કે બરડા ડુંગર વિસ્તારમાં રાણાવા,બગદર, કુતિયાણા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી મેગા ડ્રાઈવનું આયોજન કરી દેશી દારૂની 3 ભઠ્ઠીઓ શોધી કાઢી, તેને નાશ કરતા પોરબંદર જિલ્લા પોલીસ. આ ટ્વિટને ગુજરાત પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે જે નાગરિકોને ખોટા રવાડે ચડાવી પહોંચાડે છે કષ્ટ, એમને જડમૂળથી ઉખેડી કરાશે નષ્ટ. નશો કરનાર વ્યક્તિ પોતાની સાથે પરિજનોની જીંદગીને પણ બરબાદી તરફ ધકેલે છે. 

જમાવટે કર્યું હતું સ્ટિંગ ઓપરેશન 

જે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી તેની પ્રશંસા થવી જોઈએ, પરંતુ શું આટલા જ દારૂના ભઠ્ઠા હશે જે ધમધમતા હશે ત્યાં? માત્ર ત્રણ દારૂના ભઠ્ઠાને શોધી, દારૂનો નાશ કરવાથી કામ પૂર્ણ નથી થતું. આવા તો અનેક અડ્ડા હશે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હશે. આા દ્રશ્યો જોયા બાદ પોલીસે પણ માનવું પડશે કે દારૂબંધી વાળા ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જમાવટે પણ અમદાવાદમાં Sting Operation કર્યું હતું જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતું હતું. ગુજરાત હાઈકોર્ટથી માત્ર થોડા મીટરના અંતરે જ દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો. પોલીસે ભલે દારૂના જથ્થાનો નાશ કર્યો પરંતુ એવી તો અનેક ભઠ્ઠીઓ હશે જે ધમધમી રહી હશે તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી થાય તેવી આશા.   



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .