પોષ સુદ અગિયારસ એટલે પુત્રદા એકાદશી, ભગવાનને પ્રસન્ન કરવા કરો આ ઉપાય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-02 13:29:07

વર્ષ 2023માં આવનાર તહેવારોનો તેમજ વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. આજે 2023ની પ્રથમ એકાદશી છે. પોષ મહિનાની સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. સોમવારના દિવસે એકાદશી હોવાને કારણે હરી અને હર બંનેના આશીર્વાદ મળશે. ભગવાન નારાયણ અને ભગવાન શિવજીના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસે પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.


જાણો ભગવાન વિષ્ણુની 19 પૌરાણિક વાતો, જે તમે ક્યારેય નહીં સાંભળી હોય... -  Gujarat Page


હિંદુ ધર્મમાં દરેક તિથીનું વિશેષ મહત્વ રહેલું છે. અગિયારસ ભગવાન નારાયણને સમર્પિત છે. આ દિવસે નારાયણની પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દરેક અગિયારસને અલગ અલગ નામથી જાણવામાં આવે છે. પોષ મહિનાની સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી કરવાથી જીવનમાં આવતા તમામ કષ્ટો દૂર થાય છે અને માન સન્માનમાં વધારો થાય છે.

પુત્રદા એકાદશી 2020: પુત્ર પ્રાપ્તિની કામના આ વ્રતથી થાય છે પૂરી, જાણો  તેનું મહત્વ અને પૂજાની વિધિ - GSTV


એકાદશીમાં કરવામાં આવતી પૂજાની વાત કરીએ તો પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્વચ્છ કપડા પર સ્થાપિત કરવી જોઈએ. તે બાદ ભગવાનને તિલક તેમજ ચોખા અર્પણ કરવા જોઈએ. શક્ય હોય તો શંખમાં પાણી લઈ ભગવાન નારાયણનો અભિષેક કરવો જોઈએ. પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવો અને ફળ ફળાદી ભગવાન સમક્ષ અર્પણ કરવા જોઈએ. ઉપરાંત ગાયના દૂધથી બનેલો ભોગ ભગવાનને અર્પણ કરવો જોઈએ. પૂજા સમાપ્ત થયા બાદ ભગવાનની ક્ષમા યાચના માગવી જોઈએ. આખા દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ.    

પુત્રદા એકાદશીમાં પ્રચલિત કથાની વાત કરીએ તો રાજા સુકેતુમાને ઋષિ મુનિઓએ જણાવેલી વ્રત વિધિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન શ્રીકૃષ્ણએ પ્રસન્ન થઈ પુત્રની પ્રાપ્તિ થઈ. એવું માનવામાં આવે છે કે જે દંપત્તિ સંતાનની કામનાથી આ એકાદશીનું વ્રત કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.         



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.