પોષ સુદ અગિયારસ એટલે પુત્રદા એકાદશી, ભગવાનને પ્રસન્ન કરવા કરો આ ઉપાય


  • Published By :
  • Published Date : 2023-01-02 13:29:07

વર્ષ 2023માં આવનાર તહેવારોનો તેમજ વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. આજે 2023ની પ્રથમ એકાદશી છે. પોષ મહિનાની સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. સોમવારના દિવસે એકાદશી હોવાને કારણે હરી અને હર બંનેના આશીર્વાદ મળશે. ભગવાન નારાયણ અને ભગવાન શિવજીના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસે પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.


જાણો ભગવાન વિષ્ણુની 19 પૌરાણિક વાતો, જે તમે ક્યારેય નહીં સાંભળી હોય... -  Gujarat Page


હિંદુ ધર્મમાં દરેક તિથીનું વિશેષ મહત્વ રહેલું છે. અગિયારસ ભગવાન નારાયણને સમર્પિત છે. આ દિવસે નારાયણની પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દરેક અગિયારસને અલગ અલગ નામથી જાણવામાં આવે છે. પોષ મહિનાની સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી કરવાથી જીવનમાં આવતા તમામ કષ્ટો દૂર થાય છે અને માન સન્માનમાં વધારો થાય છે.

પુત્રદા એકાદશી 2020: પુત્ર પ્રાપ્તિની કામના આ વ્રતથી થાય છે પૂરી, જાણો  તેનું મહત્વ અને પૂજાની વિધિ - GSTV


એકાદશીમાં કરવામાં આવતી પૂજાની વાત કરીએ તો પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્વચ્છ કપડા પર સ્થાપિત કરવી જોઈએ. તે બાદ ભગવાનને તિલક તેમજ ચોખા અર્પણ કરવા જોઈએ. શક્ય હોય તો શંખમાં પાણી લઈ ભગવાન નારાયણનો અભિષેક કરવો જોઈએ. પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવો અને ફળ ફળાદી ભગવાન સમક્ષ અર્પણ કરવા જોઈએ. ઉપરાંત ગાયના દૂધથી બનેલો ભોગ ભગવાનને અર્પણ કરવો જોઈએ. પૂજા સમાપ્ત થયા બાદ ભગવાનની ક્ષમા યાચના માગવી જોઈએ. આખા દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ.    

પુત્રદા એકાદશીમાં પ્રચલિત કથાની વાત કરીએ તો રાજા સુકેતુમાને ઋષિ મુનિઓએ જણાવેલી વ્રત વિધિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન શ્રીકૃષ્ણએ પ્રસન્ન થઈ પુત્રની પ્રાપ્તિ થઈ. એવું માનવામાં આવે છે કે જે દંપત્તિ સંતાનની કામનાથી આ એકાદશીનું વ્રત કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.         



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.