પોષ સુદ અગિયારસ એટલે પુત્રદા એકાદશી, ભગવાનને પ્રસન્ન કરવા કરો આ ઉપાય


  • Published By :
  • Published Date : 2023-01-02 13:29:07

વર્ષ 2023માં આવનાર તહેવારોનો તેમજ વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. આજે 2023ની પ્રથમ એકાદશી છે. પોષ મહિનાની સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. સોમવારના દિવસે એકાદશી હોવાને કારણે હરી અને હર બંનેના આશીર્વાદ મળશે. ભગવાન નારાયણ અને ભગવાન શિવજીના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસે પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.


જાણો ભગવાન વિષ્ણુની 19 પૌરાણિક વાતો, જે તમે ક્યારેય નહીં સાંભળી હોય... -  Gujarat Page


હિંદુ ધર્મમાં દરેક તિથીનું વિશેષ મહત્વ રહેલું છે. અગિયારસ ભગવાન નારાયણને સમર્પિત છે. આ દિવસે નારાયણની પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દરેક અગિયારસને અલગ અલગ નામથી જાણવામાં આવે છે. પોષ મહિનાની સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી કરવાથી જીવનમાં આવતા તમામ કષ્ટો દૂર થાય છે અને માન સન્માનમાં વધારો થાય છે.

પુત્રદા એકાદશી 2020: પુત્ર પ્રાપ્તિની કામના આ વ્રતથી થાય છે પૂરી, જાણો  તેનું મહત્વ અને પૂજાની વિધિ - GSTV


એકાદશીમાં કરવામાં આવતી પૂજાની વાત કરીએ તો પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્વચ્છ કપડા પર સ્થાપિત કરવી જોઈએ. તે બાદ ભગવાનને તિલક તેમજ ચોખા અર્પણ કરવા જોઈએ. શક્ય હોય તો શંખમાં પાણી લઈ ભગવાન નારાયણનો અભિષેક કરવો જોઈએ. પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવો અને ફળ ફળાદી ભગવાન સમક્ષ અર્પણ કરવા જોઈએ. ઉપરાંત ગાયના દૂધથી બનેલો ભોગ ભગવાનને અર્પણ કરવો જોઈએ. પૂજા સમાપ્ત થયા બાદ ભગવાનની ક્ષમા યાચના માગવી જોઈએ. આખા દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ.    

પુત્રદા એકાદશીમાં પ્રચલિત કથાની વાત કરીએ તો રાજા સુકેતુમાને ઋષિ મુનિઓએ જણાવેલી વ્રત વિધિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન શ્રીકૃષ્ણએ પ્રસન્ન થઈ પુત્રની પ્રાપ્તિ થઈ. એવું માનવામાં આવે છે કે જે દંપત્તિ સંતાનની કામનાથી આ એકાદશીનું વ્રત કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.         



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.