પોષ સુદ અગિયારસ એટલે પુત્રદા એકાદશી, ભગવાનને પ્રસન્ન કરવા કરો આ ઉપાય


  • Published By :
  • Published Date : 2023-01-02 13:29:07

વર્ષ 2023માં આવનાર તહેવારોનો તેમજ વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. આજે 2023ની પ્રથમ એકાદશી છે. પોષ મહિનાની સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. સોમવારના દિવસે એકાદશી હોવાને કારણે હરી અને હર બંનેના આશીર્વાદ મળશે. ભગવાન નારાયણ અને ભગવાન શિવજીના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસે પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.


જાણો ભગવાન વિષ્ણુની 19 પૌરાણિક વાતો, જે તમે ક્યારેય નહીં સાંભળી હોય... -  Gujarat Page


હિંદુ ધર્મમાં દરેક તિથીનું વિશેષ મહત્વ રહેલું છે. અગિયારસ ભગવાન નારાયણને સમર્પિત છે. આ દિવસે નારાયણની પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દરેક અગિયારસને અલગ અલગ નામથી જાણવામાં આવે છે. પોષ મહિનાની સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી કરવાથી જીવનમાં આવતા તમામ કષ્ટો દૂર થાય છે અને માન સન્માનમાં વધારો થાય છે.

પુત્રદા એકાદશી 2020: પુત્ર પ્રાપ્તિની કામના આ વ્રતથી થાય છે પૂરી, જાણો  તેનું મહત્વ અને પૂજાની વિધિ - GSTV


એકાદશીમાં કરવામાં આવતી પૂજાની વાત કરીએ તો પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્વચ્છ કપડા પર સ્થાપિત કરવી જોઈએ. તે બાદ ભગવાનને તિલક તેમજ ચોખા અર્પણ કરવા જોઈએ. શક્ય હોય તો શંખમાં પાણી લઈ ભગવાન નારાયણનો અભિષેક કરવો જોઈએ. પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવો અને ફળ ફળાદી ભગવાન સમક્ષ અર્પણ કરવા જોઈએ. ઉપરાંત ગાયના દૂધથી બનેલો ભોગ ભગવાનને અર્પણ કરવો જોઈએ. પૂજા સમાપ્ત થયા બાદ ભગવાનની ક્ષમા યાચના માગવી જોઈએ. આખા દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ.    

પુત્રદા એકાદશીમાં પ્રચલિત કથાની વાત કરીએ તો રાજા સુકેતુમાને ઋષિ મુનિઓએ જણાવેલી વ્રત વિધિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન શ્રીકૃષ્ણએ પ્રસન્ન થઈ પુત્રની પ્રાપ્તિ થઈ. એવું માનવામાં આવે છે કે જે દંપત્તિ સંતાનની કામનાથી આ એકાદશીનું વ્રત કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.         



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.