રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતું પોસ્ટર થયું વાયરલ, બુટલેગરો સામે તંત્ર આટલું લાચાર કેમ?


  • Published By :
  • Published Date : 2023-04-04 22:03:34

ગુજરાતમાં દારૂબંધી કાયદાના પુસ્તકોમાં જ છે. રાજ્યના લગભગ દરેક ગામ અને શહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસના નાક નીચે રાજ્યમાં દારૂનું વેચાણ થયું રહ્યું છે અને આ નગ્ન સત્યથી ટોચની નેતાગીરી પણ વાકેફ છે. છતાં પણ કોઈ પગલા લેવામાં આવતા નથી. શું સરકાર વધુ એક લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે? આજકાલ રાજ્યમાં દારૂબંધીની મજાક ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર પોસ્ટર લગાવી 'દારૂ બાજુમાં મળે છે' તેવું સુચન કર્યું છે.


રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા


બનાસકાંઠાના પાલનપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળે છે. ગુજરાતમાં નામ માત્રની દારૂબંધી હોવાનું અને તંત્ર તેની સામે લાચાર છે આ વિડીયો જોતા સાબિત થાય છે. વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું છે જેમાં તેણે દારૂ ક્યાં ઘરે મળશે તે અંગેનું દિશા સુચન કર્યું છે.


પોટલીની પૂછપરછથી ત્રાસીને લગાવ્યું પોસ્ટર 


પાલનપુરના દિલ્લી ગેટ વિસ્તારમાં રહેતા જીતુભાઈ ઠાકોરે તેના ઘરની બહાર 'દારૂ અહીં નથી મળતો બાજુમાં મળે છે. અહીંઆ કોઈએ આવું નહી' તેવું પોસ્ટર લગાવી દીધું છે. તેમના ઘરની બાજુમાં જ દારૂ વેચાતો હોઈ રાત્રીનાં સમયે દારૂ લેવા આવતા લોકો ભૂલથી તેમના ઘરે પોટલીની પુછપરછ કરતા હોવાથી તેઓ કંટાળી ગયા હતા અને અંતે તેમણે તેમના ઘરની બહાર જ બોર્ડ મારી દેતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં પણ કૂતુહલ સર્જાયું હતું. જો કે પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરતા બુટલેગરની અટકાયત કરી છે, પણ આ એક પોસ્ટરે રાજ્યમાં દારૂબંધીને મજાક સાબિત કરી દીધી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.