રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતું પોસ્ટર થયું વાયરલ, બુટલેગરો સામે તંત્ર આટલું લાચાર કેમ?


  • Published By :
  • Published Date : 2023-04-04 22:03:34

ગુજરાતમાં દારૂબંધી કાયદાના પુસ્તકોમાં જ છે. રાજ્યના લગભગ દરેક ગામ અને શહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસના નાક નીચે રાજ્યમાં દારૂનું વેચાણ થયું રહ્યું છે અને આ નગ્ન સત્યથી ટોચની નેતાગીરી પણ વાકેફ છે. છતાં પણ કોઈ પગલા લેવામાં આવતા નથી. શું સરકાર વધુ એક લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે? આજકાલ રાજ્યમાં દારૂબંધીની મજાક ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર પોસ્ટર લગાવી 'દારૂ બાજુમાં મળે છે' તેવું સુચન કર્યું છે.


રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા


બનાસકાંઠાના પાલનપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળે છે. ગુજરાતમાં નામ માત્રની દારૂબંધી હોવાનું અને તંત્ર તેની સામે લાચાર છે આ વિડીયો જોતા સાબિત થાય છે. વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું છે જેમાં તેણે દારૂ ક્યાં ઘરે મળશે તે અંગેનું દિશા સુચન કર્યું છે.


પોટલીની પૂછપરછથી ત્રાસીને લગાવ્યું પોસ્ટર 


પાલનપુરના દિલ્લી ગેટ વિસ્તારમાં રહેતા જીતુભાઈ ઠાકોરે તેના ઘરની બહાર 'દારૂ અહીં નથી મળતો બાજુમાં મળે છે. અહીંઆ કોઈએ આવું નહી' તેવું પોસ્ટર લગાવી દીધું છે. તેમના ઘરની બાજુમાં જ દારૂ વેચાતો હોઈ રાત્રીનાં સમયે દારૂ લેવા આવતા લોકો ભૂલથી તેમના ઘરે પોટલીની પુછપરછ કરતા હોવાથી તેઓ કંટાળી ગયા હતા અને અંતે તેમણે તેમના ઘરની બહાર જ બોર્ડ મારી દેતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં પણ કૂતુહલ સર્જાયું હતું. જો કે પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરતા બુટલેગરની અટકાયત કરી છે, પણ આ એક પોસ્ટરે રાજ્યમાં દારૂબંધીને મજાક સાબિત કરી દીધી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.