રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતું પોસ્ટર થયું વાયરલ, બુટલેગરો સામે તંત્ર આટલું લાચાર કેમ?


  • Published By :
  • Published Date : 2023-04-04 22:03:34

ગુજરાતમાં દારૂબંધી કાયદાના પુસ્તકોમાં જ છે. રાજ્યના લગભગ દરેક ગામ અને શહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસના નાક નીચે રાજ્યમાં દારૂનું વેચાણ થયું રહ્યું છે અને આ નગ્ન સત્યથી ટોચની નેતાગીરી પણ વાકેફ છે. છતાં પણ કોઈ પગલા લેવામાં આવતા નથી. શું સરકાર વધુ એક લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે? આજકાલ રાજ્યમાં દારૂબંધીની મજાક ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર પોસ્ટર લગાવી 'દારૂ બાજુમાં મળે છે' તેવું સુચન કર્યું છે.


રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા


બનાસકાંઠાના પાલનપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળે છે. ગુજરાતમાં નામ માત્રની દારૂબંધી હોવાનું અને તંત્ર તેની સામે લાચાર છે આ વિડીયો જોતા સાબિત થાય છે. વીડિયોમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું છે જેમાં તેણે દારૂ ક્યાં ઘરે મળશે તે અંગેનું દિશા સુચન કર્યું છે.


પોટલીની પૂછપરછથી ત્રાસીને લગાવ્યું પોસ્ટર 


પાલનપુરના દિલ્લી ગેટ વિસ્તારમાં રહેતા જીતુભાઈ ઠાકોરે તેના ઘરની બહાર 'દારૂ અહીં નથી મળતો બાજુમાં મળે છે. અહીંઆ કોઈએ આવું નહી' તેવું પોસ્ટર લગાવી દીધું છે. તેમના ઘરની બાજુમાં જ દારૂ વેચાતો હોઈ રાત્રીનાં સમયે દારૂ લેવા આવતા લોકો ભૂલથી તેમના ઘરે પોટલીની પુછપરછ કરતા હોવાથી તેઓ કંટાળી ગયા હતા અને અંતે તેમણે તેમના ઘરની બહાર જ બોર્ડ મારી દેતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં પણ કૂતુહલ સર્જાયું હતું. જો કે પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરતા બુટલેગરની અટકાયત કરી છે, પણ આ એક પોસ્ટરે રાજ્યમાં દારૂબંધીને મજાક સાબિત કરી દીધી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.