ચૂંટણી પહેલા શરૂ થયું પોસ્ટર વોર! BJPએ Arvind Kejriwalને લઈ જાહેર કર્યું પોસ્ટર, તો AAPએ આપ્યો જવાબ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-10 17:33:02

રાજકારણમાં આવતો વ્યક્તિ માત્ર સમાજ, દેશ અને રાજનીતિ બદલવાના દાવા કરે છે... પણ કમનસીબે સિસ્ટમ બદલી શકે એ પહેલા જ વ્યક્તિ પોતે જ બદલાઈ જાય છે, વર્ષ 2014 પહેલા કૉંગ્રેસના ભ્રષ્ટાચારથી દેશ ત્રસ્ત થયો છે એવુ વાતાવરણ ઉભુ કરીને અન્ના આંદોલનના આધારે સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીના મુખીયા અરવિંદ કેજરીવાલ અત્યાારે જેલમાં છે... અને આમ આદમી પાર્ટી મુખ્યા વિના જ ખુબ આક્રમક રીતે લડી રહી છે... સ્વાભાવિક છે.. તો ભાજપ અને આમ આદમી પાર્ટી સામે હવે પોસ્ટર વોર શરુ થયું છે...  

ભાજપે સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ જેમાં...  

લોકસભા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિવિધ માધ્યમોથી, અલગ અલગ રીતે પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવતો હોય છે. ત્યારે દિલ્હીમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે.દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ એક નવું પોસ્ટર બહાર પાડ્યું છે... જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 'ભ્રષ્ટાચારના પોસ્ટર બોય' તરીકે વર્ણવવામાં આવ્યા છે....  ભાજપે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે.... જેમાં હોલિવુડ ફિલ્મ પાયરેટ્સ ઓફ કેરેબિયનના એક કેરેક્ટરના પોસ્ટરમાં કેજરીવાલનો ફોટો મુકી અને લખ્યું, પોસ્ટર બોય ઓફ કરપ્શન..... 

આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. અરવિંદ  કેજરીવાલ હાલ જેલમાં છે


આમ આદમી પાર્ટીએ આ અભિયાન સાથે શરૂ કર્યો પ્રચાર 

કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી. AAP સુપ્રીમો પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન તરીકે શરૂ થયેલી ચળવળ હવે "કેજરી ભ્રષ્ટાચાર ક્રાંતિ"માં ફેરવાઈ ગઈ છે સાથે આપને સવાલો પણ કર્યા કે, શું હવે તમારી પાસે કોઈ નૈતિકતા છે? સત્તા બાકી છે?  તો ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, "આપ દાવો કરી રહી છે કે પૈસાની કોઈ લેવડદેવડ મળી નથી, જ્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પૈસાની લેવડદેવડ મળી આવી છે અને તે ચૂંટણીની તૈયારીઓમાં ખર્ચવામાં આવી છે." હવે, એક જ પ્રશ્ન ઉભો થાય છે કે શું અરવિંદ કેજરીવાલ માટે તિહાર જેલમાંથી સરકાર ચલાવવી નૈતિક રીતે યોગ્ય છે? તો સામે જવાબમાં આમ આદમી પાર્ટીએ પણ જેલ કા જવાબ વોટ સે અભિયાન શરુ કર્યું છે..... 



રામલીલા મેદાનમાં કરી હતી આ જાહેરાત  

લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી  જેલ કા જવાબ વોટ સે અભિયાનને મહત્વનો મુદ્દો પોતાના પ્રચારમાં બનાવશે... પ્રચાર માટે કેજરીવાલના જેલની અંદરના ફોટાનો ઉપયોગ કરશે.... પણ અરવિંદ કેજરીવાલ જેલમાં પહોંચ્યા કેવી રીતે એ પણ જાણવું જરુરી છે... તો અરવિંદ કેજરીવાલ, સામાજિક કાર્યકર્તા અન્ના હજારે સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ શરૂ કરવા ઓગસ્ટ 2011માં રામલીલા મેદાનમાં પહેલીવાર ધરણા પર બેઠા હતા. જે બાદ 2012માં જંતરમંતર પર અને ત્યારબાદ ઓક્ટોબર 2013માં તેમણે રામલીલા મેદાનમાં પોતાની રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીની જાહેરાત કરી હતી. 



ઈડી દ્વારા કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલની ધરપકડ 

આ પછી તેઓ ચૂંટણી લડ્યાં અને જીત્યા, મુખ્યમંત્રી બન્યા. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હીમાં દારૂનું કૌભાંડ થયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને જેલમાં જવું પડ્યું હતું. હવે આ જ દારૂ કૌભાંડની તપાસમાં ED દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અને હવે તેઓ જેલની અંદર છે.   



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.