ચૂંટણી પહેલા શરૂ થયું પોસ્ટર વોર! BJPએ Arvind Kejriwalને લઈ જાહેર કર્યું પોસ્ટર, તો AAPએ આપ્યો જવાબ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-10 17:33:02

રાજકારણમાં આવતો વ્યક્તિ માત્ર સમાજ, દેશ અને રાજનીતિ બદલવાના દાવા કરે છે... પણ કમનસીબે સિસ્ટમ બદલી શકે એ પહેલા જ વ્યક્તિ પોતે જ બદલાઈ જાય છે, વર્ષ 2014 પહેલા કૉંગ્રેસના ભ્રષ્ટાચારથી દેશ ત્રસ્ત થયો છે એવુ વાતાવરણ ઉભુ કરીને અન્ના આંદોલનના આધારે સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીના મુખીયા અરવિંદ કેજરીવાલ અત્યાારે જેલમાં છે... અને આમ આદમી પાર્ટી મુખ્યા વિના જ ખુબ આક્રમક રીતે લડી રહી છે... સ્વાભાવિક છે.. તો ભાજપ અને આમ આદમી પાર્ટી સામે હવે પોસ્ટર વોર શરુ થયું છે...  

ભાજપે સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ જેમાં...  

લોકસભા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિવિધ માધ્યમોથી, અલગ અલગ રીતે પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવતો હોય છે. ત્યારે દિલ્હીમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે.દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ એક નવું પોસ્ટર બહાર પાડ્યું છે... જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 'ભ્રષ્ટાચારના પોસ્ટર બોય' તરીકે વર્ણવવામાં આવ્યા છે....  ભાજપે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે.... જેમાં હોલિવુડ ફિલ્મ પાયરેટ્સ ઓફ કેરેબિયનના એક કેરેક્ટરના પોસ્ટરમાં કેજરીવાલનો ફોટો મુકી અને લખ્યું, પોસ્ટર બોય ઓફ કરપ્શન..... 

આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. અરવિંદ  કેજરીવાલ હાલ જેલમાં છે


આમ આદમી પાર્ટીએ આ અભિયાન સાથે શરૂ કર્યો પ્રચાર 

કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી. AAP સુપ્રીમો પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન તરીકે શરૂ થયેલી ચળવળ હવે "કેજરી ભ્રષ્ટાચાર ક્રાંતિ"માં ફેરવાઈ ગઈ છે સાથે આપને સવાલો પણ કર્યા કે, શું હવે તમારી પાસે કોઈ નૈતિકતા છે? સત્તા બાકી છે?  તો ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, "આપ દાવો કરી રહી છે કે પૈસાની કોઈ લેવડદેવડ મળી નથી, જ્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પૈસાની લેવડદેવડ મળી આવી છે અને તે ચૂંટણીની તૈયારીઓમાં ખર્ચવામાં આવી છે." હવે, એક જ પ્રશ્ન ઉભો થાય છે કે શું અરવિંદ કેજરીવાલ માટે તિહાર જેલમાંથી સરકાર ચલાવવી નૈતિક રીતે યોગ્ય છે? તો સામે જવાબમાં આમ આદમી પાર્ટીએ પણ જેલ કા જવાબ વોટ સે અભિયાન શરુ કર્યું છે..... 



રામલીલા મેદાનમાં કરી હતી આ જાહેરાત  

લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી  જેલ કા જવાબ વોટ સે અભિયાનને મહત્વનો મુદ્દો પોતાના પ્રચારમાં બનાવશે... પ્રચાર માટે કેજરીવાલના જેલની અંદરના ફોટાનો ઉપયોગ કરશે.... પણ અરવિંદ કેજરીવાલ જેલમાં પહોંચ્યા કેવી રીતે એ પણ જાણવું જરુરી છે... તો અરવિંદ કેજરીવાલ, સામાજિક કાર્યકર્તા અન્ના હજારે સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ શરૂ કરવા ઓગસ્ટ 2011માં રામલીલા મેદાનમાં પહેલીવાર ધરણા પર બેઠા હતા. જે બાદ 2012માં જંતરમંતર પર અને ત્યારબાદ ઓક્ટોબર 2013માં તેમણે રામલીલા મેદાનમાં પોતાની રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીની જાહેરાત કરી હતી. 



ઈડી દ્વારા કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલની ધરપકડ 

આ પછી તેઓ ચૂંટણી લડ્યાં અને જીત્યા, મુખ્યમંત્રી બન્યા. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હીમાં દારૂનું કૌભાંડ થયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને જેલમાં જવું પડ્યું હતું. હવે આ જ દારૂ કૌભાંડની તપાસમાં ED દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અને હવે તેઓ જેલની અંદર છે.   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"