ચૂંટણી પહેલા શરૂ થયું પોસ્ટર વોર! BJPએ Arvind Kejriwalને લઈ જાહેર કર્યું પોસ્ટર, તો AAPએ આપ્યો જવાબ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-10 17:33:02

રાજકારણમાં આવતો વ્યક્તિ માત્ર સમાજ, દેશ અને રાજનીતિ બદલવાના દાવા કરે છે... પણ કમનસીબે સિસ્ટમ બદલી શકે એ પહેલા જ વ્યક્તિ પોતે જ બદલાઈ જાય છે, વર્ષ 2014 પહેલા કૉંગ્રેસના ભ્રષ્ટાચારથી દેશ ત્રસ્ત થયો છે એવુ વાતાવરણ ઉભુ કરીને અન્ના આંદોલનના આધારે સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીના મુખીયા અરવિંદ કેજરીવાલ અત્યાારે જેલમાં છે... અને આમ આદમી પાર્ટી મુખ્યા વિના જ ખુબ આક્રમક રીતે લડી રહી છે... સ્વાભાવિક છે.. તો ભાજપ અને આમ આદમી પાર્ટી સામે હવે પોસ્ટર વોર શરુ થયું છે...  

ભાજપે સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ જેમાં...  

લોકસભા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિવિધ માધ્યમોથી, અલગ અલગ રીતે પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવતો હોય છે. ત્યારે દિલ્હીમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે.દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ એક નવું પોસ્ટર બહાર પાડ્યું છે... જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 'ભ્રષ્ટાચારના પોસ્ટર બોય' તરીકે વર્ણવવામાં આવ્યા છે....  ભાજપે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે.... જેમાં હોલિવુડ ફિલ્મ પાયરેટ્સ ઓફ કેરેબિયનના એક કેરેક્ટરના પોસ્ટરમાં કેજરીવાલનો ફોટો મુકી અને લખ્યું, પોસ્ટર બોય ઓફ કરપ્શન..... 

આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. અરવિંદ  કેજરીવાલ હાલ જેલમાં છે


આમ આદમી પાર્ટીએ આ અભિયાન સાથે શરૂ કર્યો પ્રચાર 

કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી. AAP સુપ્રીમો પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન તરીકે શરૂ થયેલી ચળવળ હવે "કેજરી ભ્રષ્ટાચાર ક્રાંતિ"માં ફેરવાઈ ગઈ છે સાથે આપને સવાલો પણ કર્યા કે, શું હવે તમારી પાસે કોઈ નૈતિકતા છે? સત્તા બાકી છે?  તો ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, "આપ દાવો કરી રહી છે કે પૈસાની કોઈ લેવડદેવડ મળી નથી, જ્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પૈસાની લેવડદેવડ મળી આવી છે અને તે ચૂંટણીની તૈયારીઓમાં ખર્ચવામાં આવી છે." હવે, એક જ પ્રશ્ન ઉભો થાય છે કે શું અરવિંદ કેજરીવાલ માટે તિહાર જેલમાંથી સરકાર ચલાવવી નૈતિક રીતે યોગ્ય છે? તો સામે જવાબમાં આમ આદમી પાર્ટીએ પણ જેલ કા જવાબ વોટ સે અભિયાન શરુ કર્યું છે..... 



રામલીલા મેદાનમાં કરી હતી આ જાહેરાત  

લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી  જેલ કા જવાબ વોટ સે અભિયાનને મહત્વનો મુદ્દો પોતાના પ્રચારમાં બનાવશે... પ્રચાર માટે કેજરીવાલના જેલની અંદરના ફોટાનો ઉપયોગ કરશે.... પણ અરવિંદ કેજરીવાલ જેલમાં પહોંચ્યા કેવી રીતે એ પણ જાણવું જરુરી છે... તો અરવિંદ કેજરીવાલ, સામાજિક કાર્યકર્તા અન્ના હજારે સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ શરૂ કરવા ઓગસ્ટ 2011માં રામલીલા મેદાનમાં પહેલીવાર ધરણા પર બેઠા હતા. જે બાદ 2012માં જંતરમંતર પર અને ત્યારબાદ ઓક્ટોબર 2013માં તેમણે રામલીલા મેદાનમાં પોતાની રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીની જાહેરાત કરી હતી. 



ઈડી દ્વારા કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલની ધરપકડ 

આ પછી તેઓ ચૂંટણી લડ્યાં અને જીત્યા, મુખ્યમંત્રી બન્યા. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હીમાં દારૂનું કૌભાંડ થયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને જેલમાં જવું પડ્યું હતું. હવે આ જ દારૂ કૌભાંડની તપાસમાં ED દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અને હવે તેઓ જેલની અંદર છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.