ચૂંટણી પહેલા શરૂ થયું પોસ્ટર વોર! BJPએ Arvind Kejriwalને લઈ જાહેર કર્યું પોસ્ટર, તો AAPએ આપ્યો જવાબ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-10 17:33:02

રાજકારણમાં આવતો વ્યક્તિ માત્ર સમાજ, દેશ અને રાજનીતિ બદલવાના દાવા કરે છે... પણ કમનસીબે સિસ્ટમ બદલી શકે એ પહેલા જ વ્યક્તિ પોતે જ બદલાઈ જાય છે, વર્ષ 2014 પહેલા કૉંગ્રેસના ભ્રષ્ટાચારથી દેશ ત્રસ્ત થયો છે એવુ વાતાવરણ ઉભુ કરીને અન્ના આંદોલનના આધારે સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીના મુખીયા અરવિંદ કેજરીવાલ અત્યાારે જેલમાં છે... અને આમ આદમી પાર્ટી મુખ્યા વિના જ ખુબ આક્રમક રીતે લડી રહી છે... સ્વાભાવિક છે.. તો ભાજપ અને આમ આદમી પાર્ટી સામે હવે પોસ્ટર વોર શરુ થયું છે...  

ભાજપે સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ જેમાં...  

લોકસભા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિવિધ માધ્યમોથી, અલગ અલગ રીતે પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવતો હોય છે. ત્યારે દિલ્હીમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે.દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ એક નવું પોસ્ટર બહાર પાડ્યું છે... જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 'ભ્રષ્ટાચારના પોસ્ટર બોય' તરીકે વર્ણવવામાં આવ્યા છે....  ભાજપે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે.... જેમાં હોલિવુડ ફિલ્મ પાયરેટ્સ ઓફ કેરેબિયનના એક કેરેક્ટરના પોસ્ટરમાં કેજરીવાલનો ફોટો મુકી અને લખ્યું, પોસ્ટર બોય ઓફ કરપ્શન..... 

આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. અરવિંદ  કેજરીવાલ હાલ જેલમાં છે


આમ આદમી પાર્ટીએ આ અભિયાન સાથે શરૂ કર્યો પ્રચાર 

કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી. AAP સુપ્રીમો પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન તરીકે શરૂ થયેલી ચળવળ હવે "કેજરી ભ્રષ્ટાચાર ક્રાંતિ"માં ફેરવાઈ ગઈ છે સાથે આપને સવાલો પણ કર્યા કે, શું હવે તમારી પાસે કોઈ નૈતિકતા છે? સત્તા બાકી છે?  તો ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, "આપ દાવો કરી રહી છે કે પૈસાની કોઈ લેવડદેવડ મળી નથી, જ્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પૈસાની લેવડદેવડ મળી આવી છે અને તે ચૂંટણીની તૈયારીઓમાં ખર્ચવામાં આવી છે." હવે, એક જ પ્રશ્ન ઉભો થાય છે કે શું અરવિંદ કેજરીવાલ માટે તિહાર જેલમાંથી સરકાર ચલાવવી નૈતિક રીતે યોગ્ય છે? તો સામે જવાબમાં આમ આદમી પાર્ટીએ પણ જેલ કા જવાબ વોટ સે અભિયાન શરુ કર્યું છે..... 



રામલીલા મેદાનમાં કરી હતી આ જાહેરાત  

લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી  જેલ કા જવાબ વોટ સે અભિયાનને મહત્વનો મુદ્દો પોતાના પ્રચારમાં બનાવશે... પ્રચાર માટે કેજરીવાલના જેલની અંદરના ફોટાનો ઉપયોગ કરશે.... પણ અરવિંદ કેજરીવાલ જેલમાં પહોંચ્યા કેવી રીતે એ પણ જાણવું જરુરી છે... તો અરવિંદ કેજરીવાલ, સામાજિક કાર્યકર્તા અન્ના હજારે સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ શરૂ કરવા ઓગસ્ટ 2011માં રામલીલા મેદાનમાં પહેલીવાર ધરણા પર બેઠા હતા. જે બાદ 2012માં જંતરમંતર પર અને ત્યારબાદ ઓક્ટોબર 2013માં તેમણે રામલીલા મેદાનમાં પોતાની રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીની જાહેરાત કરી હતી. 



ઈડી દ્વારા કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલની ધરપકડ 

આ પછી તેઓ ચૂંટણી લડ્યાં અને જીત્યા, મુખ્યમંત્રી બન્યા. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હીમાં દારૂનું કૌભાંડ થયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને જેલમાં જવું પડ્યું હતું. હવે આ જ દારૂ કૌભાંડની તપાસમાં ED દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અને હવે તેઓ જેલની અંદર છે.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.