Porbandar Loksabha Seat પર શરૂ થયો પોસ્ટર વોર! પોસ્ટરમાં લખવામાં આવ્યું - પોરબંદર માગે લોકલ ઉમેદવાર....


  • Published By :
  • Published Date : 2024-03-26 12:57:48

લોકસભા ચૂંટણીને ભલે હજી વાર હોય પરંતુ રાજનીતિ તો હમણાંથી ગરમાવા લાગી છે. રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા અનેક વખત શાબ્દિક પ્રહારો કરવામાં આવશે, કદાચ વિવાદીત નિવેદન પણ આપવામાં આવશે, વિવાદ વધતા તે માફી પણ માગી લેશે વગેરે વગેરે... આ બધું તો ચૂંટણીના સમયે સામાન્ય રીતે જોવા મળતું હોય છે પરંતુ સાથે સાથે પોસ્ટર વોર પણ જોવા મળતો હોય છે. થોડા સમય પહેલા વડોદરામાં આ પોસ્ટર વોર જોવા મળ્યું હતું ત્યારે હવે આ પોસ્ટર વોર પોરબંદર પર જોવા મળી રહ્યું છે.

Poster war started in Saurashtra regarding Lok Sabha elections, Porbandar Lok Sabha won't win imported candidate, who is it.... સૌરાષ્ટ્રમાં પૉસ્ટર વૉર શરૂઃ પોરબંદર લોકસભાને નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ....

પોરબંદરમાં મનસુખ માંડવિયા તેમજ લલિત વસોયા વચ્ચે જંગ 

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ અનેક બેઠકો પર નામ નથી જાહેર કરાયા. પરંતુ જ્યાં માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે ત્યાં હમણાંથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. પોરબંદરમાં કોંગ્રેસે લલિત વસોયાને ટિકીટ આપી છે જ્યારે ભાજપે મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં લખવામાં આવ્યું છે પોરબંદર લોકસભા માગે છે લોકલ ઉમેદવાર... એ કોણ.. પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર.. એ કોણ...


વડોદરા બાદ પોરબંદરમાં લાગ્યા બેનરો! 

મહત્વનું છે કે આની પહેલા પોસ્ટર વોર વડોદરા બેઠક પર જોવા મળ્યું હતું, ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટને ટિકીટ આપવામાં આવી હતી જે બાદ તેમના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા. તે પોસ્ટરમાં લખાયું હતું કે મોદી તુજ સે બેર નહીં પર રંજન તેરી ખેર નહી.. ત્યારે પોરબંદરમાં પણ ઉમેદવારોને લઈ પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટર કોણે લગાયા તેની જાણ નથી આ પોસ્ટરને જોતા લાગે કે પોરબંદરમાં પણ પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.