Porbandar Loksabha Seat પર શરૂ થયો પોસ્ટર વોર! પોસ્ટરમાં લખવામાં આવ્યું - પોરબંદર માગે લોકલ ઉમેદવાર....


  • Published By :
  • Published Date : 2024-03-26 12:57:48

લોકસભા ચૂંટણીને ભલે હજી વાર હોય પરંતુ રાજનીતિ તો હમણાંથી ગરમાવા લાગી છે. રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા અનેક વખત શાબ્દિક પ્રહારો કરવામાં આવશે, કદાચ વિવાદીત નિવેદન પણ આપવામાં આવશે, વિવાદ વધતા તે માફી પણ માગી લેશે વગેરે વગેરે... આ બધું તો ચૂંટણીના સમયે સામાન્ય રીતે જોવા મળતું હોય છે પરંતુ સાથે સાથે પોસ્ટર વોર પણ જોવા મળતો હોય છે. થોડા સમય પહેલા વડોદરામાં આ પોસ્ટર વોર જોવા મળ્યું હતું ત્યારે હવે આ પોસ્ટર વોર પોરબંદર પર જોવા મળી રહ્યું છે.

Poster war started in Saurashtra regarding Lok Sabha elections, Porbandar Lok Sabha won't win imported candidate, who is it.... સૌરાષ્ટ્રમાં પૉસ્ટર વૉર શરૂઃ પોરબંદર લોકસભાને નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ....

પોરબંદરમાં મનસુખ માંડવિયા તેમજ લલિત વસોયા વચ્ચે જંગ 

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ અનેક બેઠકો પર નામ નથી જાહેર કરાયા. પરંતુ જ્યાં માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે ત્યાં હમણાંથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. પોરબંદરમાં કોંગ્રેસે લલિત વસોયાને ટિકીટ આપી છે જ્યારે ભાજપે મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં લખવામાં આવ્યું છે પોરબંદર લોકસભા માગે છે લોકલ ઉમેદવાર... એ કોણ.. પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર.. એ કોણ...


વડોદરા બાદ પોરબંદરમાં લાગ્યા બેનરો! 

મહત્વનું છે કે આની પહેલા પોસ્ટર વોર વડોદરા બેઠક પર જોવા મળ્યું હતું, ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટને ટિકીટ આપવામાં આવી હતી જે બાદ તેમના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા. તે પોસ્ટરમાં લખાયું હતું કે મોદી તુજ સે બેર નહીં પર રંજન તેરી ખેર નહી.. ત્યારે પોરબંદરમાં પણ ઉમેદવારોને લઈ પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટર કોણે લગાયા તેની જાણ નથી આ પોસ્ટરને જોતા લાગે કે પોરબંદરમાં પણ પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે.  




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે