અંબાજીમાં મોહનથાળ શરૂ થાય તે માટે લગાવાયા પોસ્ટર, ચિક્કી પ્રસાદ બંધ કરાવા માઈભક્તો કરી રહ્યા છે માગ


  • Published By :
  • Published Date : 2023-03-07 16:05:15

શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળ પ્રસાદ બંધ કરાતા માઈભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. પ્રસાદમાં ફરીથી મોહનથાળ આપવામાં આવે તેવી માગ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. મોહનથાળ બંધ થયાને ચાર દિવસ જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ મામલો દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. માઈ ભક્તો ઉપરાંત સ્થાનિકોમાં આ નિર્ણયને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર મોહનથાળ પ્રસાદ શરૂ કરવામાં આવે તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત જો મોહનથાળ ફરી શરૂ કરવામાં નહીં આવે તો વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


મોહનથાળ ફરી શરૂ થાય તે માટે લગાવાયા પોસ્ટર 

દિવસેને દિવસે મોહનથાળના પ્રસાદનો વિવાદ વકરી રહ્યો છે. રાજકારણની એન્ટ્રી આ મુદ્દામાં થઈ ગઈ છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ વાતને લઈ નિવેદન આપ્યું હતું. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા માઈ ભક્તોમાં તેમજ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એક મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અનેક સંગઠનોએ પણ આ મુદ્દાને લઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 


પ્રસાદ બંધ થતા કોંગ્રેસે નોંધાવ્યો હતો વિરોધ  

કોંગ્રેસ દ્વારા પણ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. શનિવારે પ્રદેશ કાર્યાલયથી કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જે બાદ આવેદન પત્ર આપવા ગુજરાત કોંગ્રેસના આગેવાનો અંબાજી પહોંચી ગયા હતા. અને મોહનથાળ ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. મોહનથાળને લઈને કલેક્ટરે ખાતરી આપી હતી. આ અંગે ટૂંક સમયમાં હિતકારી નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. 


મોહનથાળ પ્રસાદ ફરી શરૂ થાય તેવી માઈભક્તોની માગ 

મહત્વનું છે કે ન માત્ર અંબાજીમાં આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ અનેક જગ્યાઓ પર આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંબાજીમાં વિવિધ સ્થળો પર તેમજ સર્કલો અને બજારો સહિત અનેક સ્થળો પર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ચિક્કીને નાબુદ કરો અને મોહનથાળ રાજભોગને ફરીથી ચાલુ કરો. અનેક ભક્તો ચિક્કીનો પ્રસાદ લેવાનું ટાળી રહ્યા છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થાય તેવી પ્રબળ માગ ઉઠી રહી છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.