અંબાજીમાં મોહનથાળ શરૂ થાય તે માટે લગાવાયા પોસ્ટર, ચિક્કી પ્રસાદ બંધ કરાવા માઈભક્તો કરી રહ્યા છે માગ


  • Published By :
  • Published Date : 2023-03-07 16:05:15

શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળ પ્રસાદ બંધ કરાતા માઈભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. પ્રસાદમાં ફરીથી મોહનથાળ આપવામાં આવે તેવી માગ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. મોહનથાળ બંધ થયાને ચાર દિવસ જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ મામલો દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. માઈ ભક્તો ઉપરાંત સ્થાનિકોમાં આ નિર્ણયને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર મોહનથાળ પ્રસાદ શરૂ કરવામાં આવે તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત જો મોહનથાળ ફરી શરૂ કરવામાં નહીં આવે તો વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


મોહનથાળ ફરી શરૂ થાય તે માટે લગાવાયા પોસ્ટર 

દિવસેને દિવસે મોહનથાળના પ્રસાદનો વિવાદ વકરી રહ્યો છે. રાજકારણની એન્ટ્રી આ મુદ્દામાં થઈ ગઈ છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ વાતને લઈ નિવેદન આપ્યું હતું. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા માઈ ભક્તોમાં તેમજ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એક મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અનેક સંગઠનોએ પણ આ મુદ્દાને લઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 


પ્રસાદ બંધ થતા કોંગ્રેસે નોંધાવ્યો હતો વિરોધ  

કોંગ્રેસ દ્વારા પણ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. શનિવારે પ્રદેશ કાર્યાલયથી કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જે બાદ આવેદન પત્ર આપવા ગુજરાત કોંગ્રેસના આગેવાનો અંબાજી પહોંચી ગયા હતા. અને મોહનથાળ ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. મોહનથાળને લઈને કલેક્ટરે ખાતરી આપી હતી. આ અંગે ટૂંક સમયમાં હિતકારી નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. 


મોહનથાળ પ્રસાદ ફરી શરૂ થાય તેવી માઈભક્તોની માગ 

મહત્વનું છે કે ન માત્ર અંબાજીમાં આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ અનેક જગ્યાઓ પર આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંબાજીમાં વિવિધ સ્થળો પર તેમજ સર્કલો અને બજારો સહિત અનેક સ્થળો પર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ચિક્કીને નાબુદ કરો અને મોહનથાળ રાજભોગને ફરીથી ચાલુ કરો. અનેક ભક્તો ચિક્કીનો પ્રસાદ લેવાનું ટાળી રહ્યા છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થાય તેવી પ્રબળ માગ ઉઠી રહી છે.    




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.